Surat: સુરતના પહેલાં થ્રિ લેયર બ્રિજનું કામ ગોકળગાય ગતિએ ચાલતા વાહનચાલકોને મુશ્કેલી, ડિસેમ્બર સુધી બ્રિજ ખુલ્લો કરવા શાસકોની ખાતરી
Suratનાં સહારા દરવાજા ખાતે શહેરનો પહેલો થ્રિ લેયર બ્રિજ તૈયાર થઈ રહ્યો છે. પણ સમય અવધિ પૂર્ણ થયા બાદ પણ આ બ્રિજ ખુલ્લો ન મુકાતા વાહનચાલકોને ભારે મુશ્કેલી અનુભવવી પડી રહી છે.
Suratનાં સહારા દરવાજા ખાતે શહેરનો પહેલો થ્રિ લેયર બ્રિજ (Three Layer Bridge) તૈયાર થઈ રહ્યો છે. પણ સમય અવધિ પૂર્ણ થયા બાદ પણ આ બ્રિજ ખુલ્લો ન મુકાતા વાહનચાલકોને ભારે મુશ્કેલી અનુભવવી પડી રહી છે. ખાસ કરીને આ ટેકસટાઇલ માર્કેટ વિસ્તાર હોય અહીં પિક અવર્સમાં સૌથી વધુ વાહનચાલકોની અવરજવર રહે છે. પણ બ્રિજનું કામ મંથરગતિએ ચાલતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
સુરત સહારા દરવાજા બ્રિજની કામગીરીને કોન્ટ્રાક્ટર સમયસર પૂર્ણ કરી શક્યા નથી. જેના માટે કોન્ટ્રાક્ટરને રૂબરૂ બોલાવી ખુલાસા માગવામાં આવ્યા હતા. કોન્ટ્રાક્ટરે આ બ્રિજને ત્રણથી સાડા ત્રણ મહિનામાં પૂર્ણ કરવાની બાંહેધરી આપી છે. પરંતુ આ બ્રિજ રેલવે ટ્રેક પરથી પસાર થનાર હોય હજી રેલવેની મંજુરી મળી શકી નથી. તેવામાં ડિસેમ્બર સુધીમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થાય તેવી પાલિકાએ ગણતરી કરી છે.
સહારાદરવાજા પાસે હયાત ગરનાળા નીચેના ભાગે આઠ લેન ખુલશે. ગરનાળાના ઉપરના ભાગે બે લેનના મલ્ટીલેવલ ફ્લાયઓવર બ્રિજ છે. જંકશન પર નીચેના ભાગે ચાર લેન અને બ્રિજ પર બે-બે લેન એક સાથે હશે. બે લેન રિંગરોડ બ્રિજના નીચેના ભાગથી ઉધના દરવાજા જવા માટે અને બે લેન ઉધના દરવાજા થી દિલ્હી જવા માટે હશે.
આર.ઓ.બી. માટે 41 મીટરના નવ જેટલાં સ્પાન ટ્રેક ઉપર મૂકવા પડશે. તે માટે રેલવે પાસે બ્લોક માંગવામાં આવશે. રેલવેના ત્રણ સ્પાન બાકી છે અને 1 સ્પાનની મંજૂરી અંતિમ તબક્કામાં છે.
આ મલ્ટીલેયર ફ્લાયઓવર બ્રિજ 80% તૈયાર થઈ ગયો છે અને ત્રણ મહિનામાં પૂર્ણ કરવા માટેની ખાતરી કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવી છે.
સહારા દરવાજા મલ્ટીલેયર ફ્લાયઓવર બ્રિજ પ્રોજેકટ : પ્રોજેકટ કોસ્ટ રૂપિયા 138 કરોડ કોન્ટ્રાકટર રણજીત બિલ્ડકોન કામગીરી શરૂ કર્યાનો સમય નવેમ્બર 2017 કામગીરી પૂર્ણ કરવાનો સમય 36 મહિના એટલે કે 5/11/2020 માં આ બ્રિજનું જ પૂર્ણ કરવાનું હતું.. બ્રિજની કામગીરી 80% પૂર્ણ થઇ છે
કઈ કામગીરી બાકી ? સહરા દરવાજા પાસે આરએલબી બેંકથી રેલ્વે આરઓબી ફ્લાયઓવર અને સહારા દરવાજા જંકશન પાસે ત્રણ પિલર ગર્ડર બનવાના બાકી.