અનોખા ગણપતિ : સુરતમાં એક મૂર્તિકારે પેપરની પસ્તીમાંથી બનાવી ગણેશજીની પ્રતિમા

નવાઇની વાત તો એ છે કે આ ગણપતિની (Ganesh ) પ્રતિમા બનાવવા પાછળ તેમને એક રૂપિયાનો ખર્ચો પણ કરવો પડ્યો નથી.

અનોખા ગણપતિ : સુરતમાં એક મૂર્તિકારે પેપરની પસ્તીમાંથી બનાવી ગણેશજીની પ્રતિમા
Ganesh Idol made by paper waste (File Image )
Follow Us:
| Updated on: Aug 25, 2022 | 9:24 AM

ગણેશ (Ganesh )ઉત્સવ હવે નજીક છે ત્યારે ગણેશભક્તો ગણેશજીને આવકારવાની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ગણપતિનાં એક ઉત્સવ(Festival ) પાછળ જ ગણેશ આયોજકો હજારોથી લઇને લાખો રૂપિયાનો ખર્ચો કરતાં હોય છે. જેમાં ગણેશજીની મુર્તિ,મંડપથી લઇને ડેકોરેશન અને વિસર્જન સુધી ગણેશ આયોજકો લખલુંટ ખર્ચો કરતાં અચકાતા નથી. પણ સુરતનું એક ગણેશ મંડળ એવું છે જેમણે ગણેશ સ્થાપનાથી લઇને વિસર્જન સુધી એક રૂપિયાનો ખર્ચો કરવામાં આવતો નથી.સુરતનાં સરથાણામાં રહેતાં એક મંડળે છેલ્લા છ વર્ષથી એક નવો ચીલો શરૂ કર્યો છે. અને તે છે ઇકોફ્રેન્ડલી ગણપતિ બનાવવાનો.

પેપરમાંથી તૈયાર કરાઈ ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા

આમ,તો માટીની મુર્તિ પણ ઇકોફ્રેન્ડલી જ ગણાય છે..પણ તેને બનાવવા પાછળ ખર્ચો પણ થાય છે. એટલું જ નહિં આ મુર્તિ ખંડિત થવાનો પણ ભય રહેલો હોય છે. ત્યારે સુરતમાં સરથાણા વિસ્તારમાં રહેતાં આ ગણેશ મંડળે તૈયાર કરી છે પસ્તીમાંથી બનાવેલી ગણેશજીની પ્રતિમા. જેમાં તેમણે સોસાયટીમાંથી લોકોના ઘરેથી રદ્દી થઇ ચુકેલા પેપર લઇને તેનો માવો બનાવીને તૈયાર કર્યા છે આ સુંદર ગણેશજી. અંદાજે 80 કિલો પેપરમાંથી તૈયાર કરવામાં આવી છે સાડા પાંચ ફુટની ગણેશજીની પ્રતિમા.

ફક્ત એક અઠવાડિયાની અંદર જ આ પ્રતિમા તૈયાર કરાઇ છે. અને હજી રંગરોગાન સાથે આ પ્રતિમા સંપુર્ણ તૈયાર પણ થઇ જશે. નવાઇની વાત તો એ છે કે આ ગણપતિની પ્રતિમા બનાવવા પાછળ તેમને એક રૂપિયાનો ખર્ચો પણ કરવો પડ્યો નથી. મૂર્તિ તૈયાર કરનાર સંજયભાઈનું કહેવું છે કે અમે વેસ્ટમાંથી જ આ પ્રમાણે મુર્તિ તૈયાર કરીએ છીએ. પેપરમાંથી માવો બનાવીને મુર્તિ તૈયાર કરીએ છીએ. અમારો મુખ્ય આશય પર્યાવરણનું રક્ષણ થાય એ જ છે. લોકોને પણ હું અપીલ કરૂ છું કે માત્ર પેપર અને પાણીમાંથી જ ગણપતિ બની શકે છે તો તેઓ પણ ઘરે આ જ પ્રકારે ગણપતિ બનાવે.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

લોકોમાં પણ આવી જાગૃતિ

તેઓ જણાવે છે છેલ્લા ઘણા વર્ષથી આ મંડળ દ્રારા આ જ પ્રમાણે ઇકોફ્રેન્ડલી કાગળની પ્રતિમા બનાવવામાં આવી રહી છે. અને તેમાં પણ હવે તો લોકોમાં પણ ખાસ જાગૃતિ આવી છે. લોકોનું પણ માનવું છે કે પીઓપી કે માટીની ગણપતિની પ્રતિમા બેસાડવાની જગ્યાએ કાગળથી બનાવેલા ગણપતિ બેસાડે તો પર્યાવરણને બચાવી શકાય તેમ છે. એક સ્થાનિક ના જણાવ્યા પ્રમાણે અમે એપાર્ટમેન્ટની બધી બહેનો ઘરેથી પેપર લઇને ભેગા થઇ છે અને તેનું કટીંગ કરીને આ ગણપતિ બનાવવા મદદ કરીએ છીએ.

વિસર્જન બાદ ખાતર બનાવાય છે

આ ગણપતિની બનાવટની જેટલી ખાસિયત છે તેટલી જ ખાસ વાત તેનાં વિસર્જનની પણ છે. કારણ કે તેનું વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવાનું નથી હોતું.પોતાના જ વિસ્તારમાં ગણપતિ ફેરવીને તેનું વિસર્જન પણ ઇકોફ્રેન્ડલી રીતે કરીને તેનું ખાતર બનાવીને વનસ્પતિ માટે વાપરવામાં આવે છે..

સુરતમાં પણ આ વર્ષે લગભગ 30,000 જેટલી નાની મોટી ગણેશજીની મુર્તિઓ સ્થાપિત થવા જઇ રહી છે..પણ જ્યારે જ્યારે પણ ગણપતિ ઉત્સવ આવે છે ત્યારે તેનાં સમાપન બાદ પ્રદુષણનો એક ગંભીર પ્રશ્ન પણ ઉપસ્થિત થાય છે. ત્યારે કાગળથી તૈયાર કરાયેલાં આ ગણપતિ પણ પર્યાવરણ માટે નુકશાનકારક નહિં હોવાથી ગણેશ આયોજકોએ પીઓપીની પ્રતિમાને છોડીને આ પ્રકારે ઇકોફ્રેન્ડલી પ્રતિમા તરફ વળવાનો સમય આવી ગયો છે..અને કદાચ તેનાથી જ આપણે ગણેશ ઉત્સવને સાચા અર્થમાં સાર્થક કરી શકીશું.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">