આવતીકાલથી બાગબગીચા પણ ખુલશે, પણ હાલત છે બદતર
અનલોકમાં થિયેટરની સાથે શહેરના બાગ બગીચાઓને પણ ખોલવાની પરવાનગી આપી છે. લોકડાઉન બાદ લગભગ 6 મહિના સુધી શહેરના બાગબગીચા બંધ હાલતમાં હતા. અને જેનું પરિણામ એ છે કે સુરતમાં બધા જ ગાર્ડનની હાલત અત્યંત બિસમાર અને બદતર છે. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? […]
અનલોકમાં થિયેટરની સાથે શહેરના બાગ બગીચાઓને પણ ખોલવાની પરવાનગી આપી છે. લોકડાઉન બાદ લગભગ 6 મહિના સુધી શહેરના બાગબગીચા બંધ હાલતમાં હતા. અને જેનું પરિણામ એ છે કે સુરતમાં બધા જ ગાર્ડનની હાલત અત્યંત બિસમાર અને બદતર છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સુરતની વાત કરીએ તો સુરતમાં કુલ 150 જેટલા ગાર્ડન આવેલા છે. લોકડાઉનમાં બંધ રહેલા ગાર્ડનની હાલત આજે એવી છે કે કેટલાજ ગાર્ડનમાં જોખમી રીતે વાયર લટકી રહ્યા છે, ક્યાંક રમતગમતના સાધનો કાટ ખાઇ ગયા છે તો ક્યાંક ગંદકીના થર અને ઘાસ ઉગેલા જોવા મળી રહ્યા છે.
હજી મેઇન્ટેઇનન્સની કોઈ જ કામગીરી થઈ નથી અને એવામાં બાગબગીચા ખુલ્લા મુકવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 1.15 કરોડના ખર્ચે શહેરના તમામ બાગ બગીચાઓને સમારકામ અને નિભાવ કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. પણ આ કામગીરી પહેલા જ ગાર્ડન ખોલવાનો નિર્ણય કરી દેવામાં આવ્યો છે.
ગાર્ડન ખોલવાની ગાઈડલાઈન 15 દિવસ પહેલા જાહેર કરવામાં આવી હતી છતાં પણ પાલિકાએ કોઈ પણ જાતની કામગીરી કરી નથી. અને આ લાલીયાવાડી જોવા મળી છે. નોંધનીય છે કે ગાઈડલાઈન પ્રમાણે આવતીકાલથી 10વર્ષથી નાના બાળકો અને 65 વર્ષથી વધુ વયના વૃધ્ધોને પ્રવેશ આપવા દેવામાં આવશે નહિ.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો