Surat: ગોપીપુરામાં વર્ષો જૂનું જર્જરિત મકાન ધરાશાયી, મકાન ખાલી હોવાથી જાનહાની ટળી

વરસાદી માહોલ વચ્ચે શહેરમાં ઠેર ઠેર આવેલા વર્ષો જુના અને જર્જરિત મકાનો જીવના જોખમ સમાન દેખાઈ રહયા છે. દરમિયાન ગોપીપુરા વિસ્તારમાં વર્ષો જૂનું જર્જરિત મકાન ધરાશાયી થઇ ગયું હતું.

Surat: ગોપીપુરામાં વર્ષો જૂનું જર્જરિત મકાન ધરાશાયી, મકાન ખાલી હોવાથી જાનહાની ટળી
dilapidated building collapses
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 24, 2022 | 5:36 PM

Surat: વરસાદી માહોલ વચ્ચે શહેરમાં ઠેર ઠેર આવેલા વર્ષો જુના અને જર્જરિત મકાનો જીવના જોખમ સમાન દેખાઈ રહયા છે. દરમિયાન ગોપીપુરા વિસ્તારમાં વર્ષો જૂનું જર્જરિત મકાન ધરાશાયી થઇ ગયું હતું. જોકે મકાન વર્ષોથી ખાલી હોવાથી જાનહાની ટળી ગઈ હતી. પરંતુ આજુબાજુના અન્ય રહીશો ગભરાઈ ગયા હતા. ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયરના જવાનો તેમજ સ્થાનિક ઝોનના અધિકારીઓ પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને જરૂરી કામગીરી શરૂ કરી હતી.

ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગોપીપુરા સુભાષ ચોક ખાતે ગ્રાઉન્ડ સહીત બે માળનું જૂનું અને જર્જરિત મકાન આવેલું છે. આ મકાનનો પહેલા અને બીજા માળનો છજ્જો સહિતનો ભાગ ધરાશાયી થઇ ગયો હતો. ઘટનાને પગલે સ્થળ ઉપર હાજર લોકો તેમજ રહીશો ગભરાઈ ગયા હતા. ઘટના અંગે ફાયર કંટ્રોલને જાણ કરવામાં આવતા નવસારી બજાર ફાયર સ્ટેશનથી ફાયરના જવાનો સ્થળ ઉપર પહોંચ્યા હતા અને કાટમાળ હટાવવા સહીતની કામગીરી કરી હતી.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ફાયર ઓફિસર મહેશ પટેલે જણાવ્યું હતું કે, આ મકાન વર્ષો જૂનો અને જર્જરિત થઇ ગયો હતો. જેનો પહેલા અને બીજા માળનો છજ્જો અને ગેલેરીનો ભાગ પડી ગયો હતો. એટલું જ નહીં છેલ્લા 25 વર્ષથી આ મકાનમાં કોઈ રહેતું ન હતું અને ખાલી હતું. જેથી ઈજા જાનહાની ટળી ગઈ હતી. ઘટના અંગે જાણ કરવામાં આવતા સ્થાનિક ઝોનના બિલ્ડીંગ ઇન્સ્પેકટર સહિતના અધિકારીઓ પણ સ્થળ ઉપર આવી ગયા હતા અને મકાન ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, ચોમાસુ શરૂ થતા જ જર્જરિત બિલ્ડીંગનો પડવાનો ભય સૌથી વધારે રહેલો છે. તેવામાં સુરત મહાનગરપાલિકાએ ઝોન પ્રમાણે આવી મિલકતોને નોટિસ આપીને તેને ઉતારવાની અથવા તો તેને તાત્કાલિક રીપેર કરવાની કામગીરી શરૂ કરી છે.

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">