Surat: મહિલાઓનું મહોલ્લામાં જ પિયરીયું અને મહોલ્લામાં જ સાસરિયું

ગામમાં પિયરિયું અને ગામમાં સાસરિયું આવું તો તમે સાંભળ્યું હશે પરંતુ ક્યારેય મહોલ્લામાં જ પિયરીયું અને મહોલ્લામાં જ સાસરિયું એવું ક્યારેય જોયું છે ખરું?

Surat: મહિલાઓનું મહોલ્લામાં જ પિયરીયું અને મહોલ્લામાં જ સાસરિયું
સુરત
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 29, 2021 | 1:20 PM

Surat : ગામમાં પિયરિયું અને ગામમાં સાસરિયું આવું તો તમે સાંભળ્યું હશે પરંતુ ક્યારેય મહોલ્લામાં જ પિયરીયું અને મહોલ્લામાં જ સાસરિયું એવું ક્યારેય જોયું છે ખરું ? સુરતના નાનપુરા(nanpur) વિસ્તારમાં આવું જ કઈક જોવા મળે છે.

સુરતના નાનપુરા(Nanpur) વિસ્તારમાં આવેલા ખારવાવાડ મોહલ્લામાંનો રિવાજ માનો, કે લોકોની પસંદગી માનો, પણ આ વિસ્તારના મોટાભાગના લગ્ન એક જ મહોલ્લામાં થયા છે. અહીંના રહીશોનું માનીએ તો લગભગ 350 જેટલા ઘરોમાંથી આંગળીના વેઢે ગણાય તેટલા લગ્ન આ મહોલ્લા સિવાય બહાર થયા છે.

નવાઇની વાત તો એ છે કે સાસુ પણ ત્યાંના, વહુ પણ ત્યાંની, દીકરી પણ ત્યાંની અને દીકરીની મમ્મીએ પણ ત્યાં લગ્ન કર્યા એવા તો ઘણા ઘરો છે. એટલે કે એક જ ઘરમાં ત્રણથી ચાર લગ્ન તો મોહલ્લામાં જ થયા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ખારવા મહોલ્લાના લોકોનું માનવું છે કે, એક મહોલ્લામાં લગ્ન કરે તો જે તે મહોલ્લાના લોકો વિશેની પૂરી જાણકારી હોય છે. દીકરીને જે ઘરમાં મોકલે તે ઘર કેવું છે? માણસો કેવા છે ? છોકરાની ટેવ કુટેવ તેની સંગત વિસંગત દરેક વસ્તુની જાણકારી સાથે રહેતા હોય, તે તેનો પ્લસ પોઇન્ટ રહે છે. દીકરી પણ નજરની સામે જ રહે છે. જેથી તેના સુખ-દુઃખ અને મુસીબતોમાં તેની પડખે ઉભા રહી શકાય છે. જેથી તેને સપોર્ટ મળે.

મોટાભાગની મહિલાઓ ખાસ નાની નાની વાતો પોતાની માતાને ફોન દ્વારા કહેતી હોય છે. પણ અહીંની મહિલાઓને પિયરમાં ફોન કરવાની જરૂર નથી પડતી એમ કહીએ તો પણ ખોટું નથી. કારણ કે ફોન લગાવે અને તેઓ રિસિવ કરે એટલા સમયમાં તેઓ પિયરનું ઉંબરો ચડી ગયા હોય છે.

જ્યારે પણ કોઈના મોહલ્લામાં લગ્ન થાય તો આપણને સહજ રીતે એવું લાગે કે તેમના લવ મેરેજ થયા હોઈ શકે. પણ ખારવા મોહલ્લામાં લવ મેરેજ પણ થયા છે અને અરેન્જ મેરેજ પણ થયા છે.

અહીં મોટા ભાગના લગ્ન મોહલ્લામાં જ કરવાને લીધે મોહલ્લામાં સગાસંબંધીઓ હોય છે. જેથી તહેવારની ઉજવણીમાં દરેક લોકો સાથે મળીને ઉજવે છે, તે પછી ગણપતિનો પ્રસંગ હોય, ગોકુળ આઠમ હોય કે હનુમાન જયંતી. દરેક ઉત્સવ અહીં રહીશો સાથે મળીને ઉજવે છે.

એક જ મહોલ્લામાં લગ્ન કરનાર અલ્પા પટેલ કહે છે કે, એક જ મહોલ્લામાં મેરેજ કરવા માટે તેમને ગેરલાભ કરતા લાભ થયા છે. સવાર પડે એટલે મમ્મી જોવા મળે. ઘણા લોકોને નવાઇ લાગે અને તેને પૂછે પણ છે કે વારંવાર પિયર આવવા-જવાથી માન જળવાઇ રહે ખરું ? પણ તેમનો જવાબ હોય છે કે તેના કારણે તેમના પારિવારિક સંબંધો વધુ ગાઢ બન્યા છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">