Surat: માસ પ્રમોશનથી વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત ના રહે તે માટે સુમન શાળામાં શરૂ થશે ધોરણ 11ના વર્ગો

સુરત મહાનગરપાલિકા(Surat municipal corporation) સંચાલિત સુમન હાઈસ્કૂલ (Suman High school) દ્વારા  ઉચ્ચતર માધ્યમિકના 11માં ધોરણના વર્ગ શરૂ પરવાનગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

Surat: માસ પ્રમોશનથી વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત ના રહે તે માટે સુમન શાળામાં શરૂ થશે ધોરણ 11ના વર્ગો
સુમન સ્કૂલમાં શરૂ કરવામાં આવશે ધોરણ 11ના વર્ગ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 18, 2021 | 7:54 PM

Surat: સામાન્ય રીતે સરકારી શાળાઓમાં ધોરણ 10 સુધીના જ વર્ગ ચાલતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે ધોરણ 10માં માસ પ્રમોશન (Mass Promotion) આપવામાં આવ્યું છે તો માસ પ્રમોશન મળતા જ વિદ્યાર્થીઓને ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ સ્કુલમાં પ્રવેશ નથી મળતો ત્યારે મુશ્કેલી ઉભી થાય તેવી સ્થિતિ છે.

આ સ્થિતિ જોતા સુરત મહાનગરપાલિકા(Surat municipal corporation) સંચાલિત સુમન હાઈસ્કૂલ (Suman High school) દ્વારા  ઉચ્ચતર માધ્યમિકના 11માં ધોરણના વર્ગ શરૂ પરવાનગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ધોરણ 12ના અભ્યાસ માટે પણ કઈ રીતે તૈયારી કરવી તેના પર પણ વિચારણા ચાલી રહી છે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

સુમન શાળામાં ધોરણ10ના ગુજરાતી માધ્યમના 1,892, મરાઠી માઘ્યમના 2,116 હિન્દી માધ્યમના 424 વિદ્યાર્થીઓને સુમન હાઈસ્કૂલ નંબર 1થી 18માં આઠ ગુજરાતી, ચાર મરાઠી અને હિન્દી માધ્યમના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. 11માં કોમર્સના પ્રથમ વર્ષમાં રાજ્ય, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા પ્રતિ સ્કૂલ ફક્ત એક જ ધોરણ સ્વીકાર્ય છે.

પ્રતિ ધોરણ પાછળ અંદાજે વાર્ષિક 1.5 લાખનો ખર્ચ થઈ શકે છે. જોકે હાલ કોન્ટ્રાક્ટ બેઝ પર શિક્ષકોને 15,000 રૂપિયા પગાર સહિત એક ક્લાસનો ઓછામાં ઓછા ખર્ચ પાંચ લાખ થશે. સુમન માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ મફત કરી દેવામાં આવ્યો છે.

હાયર સેકન્ડરી સ્કુલ અને નગર પ્રાથમિક સ્કૂલને કંપનીઓ અને બીજા અન્ય ઔદ્યોગિક એકમો મારફતે સીએસઆર ફંડ પ્રાપ્ત કરીને ખર્ચ ઉઠાવવાનો પ્રયાસ થશે. કેટલાક ઉદ્યોગપતિઓ મૌખિક બાંહેધરી આપી છે. વિદ્યાર્થીઓને પ્રવેશ ફ્રી મળે એટલા માટે છૂટ આપવામાં આવી છે. જેથી પૈસાના કારણે તેમનો અભ્યાસ ન છૂટે.

મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ ચેરમેન પરેશ પટેલે જણાવ્યું છે કે, જે શાળામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા છે. ત્યાં જ ધોરણ 11ના ક્લાસ શરૂ કરવામાં આવશે. જેના માટે કોઈપણ વધારાનો ખર્ચ હાલ નથી કરવો પડતો. એક જાણકારી પ્રમાણે વરાછા ઝોનની બે સ્કૂલોમાં ધોરણ 11ના ચાર ક્લાસ શરૂ કરવામાં આવશે. તેવી જ રીતે કતારગામમાં એક સ્કૂલમાં બે, લીંબાયત ઝોનમાં એક સ્કૂલમાં બે અને ઉધના ઝોનના બે સ્કૂલોમાં ચાર ક્લાસ શરૂ કરવામાં આવશે.

નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે મનપા સંચાલિત શાળામાં હવે જ્યારે ધોરણ 11ના વર્ગો શરૂ થવા જઈ રહ્યા છે, ત્યારે ઉચ્ચતર માધ્યમિકના અભ્યાસ માટે જરૂરી પરવાનગી સરકાર પાસે મેળવવાની થાય છે, જેની પ્રક્રિયા શિક્ષણ સમિતિ દ્વારા શરૂ કરવામાં આવી છે. આવનારા સમયમાં ધોરણ 12ના અભ્યાસ માટે પણ કઈ રીતે તૈયારી કરવી તેના પર પણ વિચારણા ચાલી રહી છે.

આ પણ વાંચો: Surat: ‘Save The Saviors’ના બેનર સાથે તબીબો પર થતાં હુમલા અટકાવવા IMA દ્વારા વિરોધ પ્રદર્શન

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">