Surat : પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં અર્બન ફોરેસ્ટ તૈયાર કરશે, અઢી વર્ષમાં તૈયાર થશે ગીચ જંગલ

આ અર્બન ફોરેસ્ટની(Urban Forest ) માત્ર ઔદ્યોગિક વિસ્તાર જ નહીં પરંતુ પાંડેસરાની આસપાસ રહેતા હજારો લોકોના સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર પડશે.

Surat : પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં અર્બન ફોરેસ્ટ તૈયાર કરશે, અઢી વર્ષમાં તૈયાર થશે ગીચ જંગલ
Urban Forest in Pandesara GIDC (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2022 | 1:34 PM

સુરતની સ્થાનિક એનજીઓ(NGO) , GPCB અને પાંડેસરા ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ વચ્ચે પાંડેસરા(Pandesara ) ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં નવનિર્મિત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ઓફિસ પાસે વિશાળ શહેરી જંગલ બનાવવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેની સાથે પ્રથમ તબક્કાનું વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પહેલી જ વખત છે જયારે કોઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યું હોય. આ જંગલને કારણે અહીંના તાપમાનમાં પાંચ ડિગ્રી નો ઘટાડો થશે.

પાંડેસરા ખાતે શહેરી જંગલનું નિર્માણ સુરતમાં ગ્રીનમેન તરીકે જાણીતા બનેલા વિરલ દેસાઈ દ્વારા તેમના ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન’ ચળવળના ભાગરૂપે જાપાનીઝ મિયાવાકી પેટર્નમાં કરવામાં આવશે, જેનું GPCB તેમજ PIL દ્વારા દેખરેખ રાખવામાં આવશે. આ શહેરી જંગલમાં એક જ ખિસ્સામાં પાંચસોથી વધુ દેશી વૃક્ષો વાવીને નજીકના ભવિષ્યમાં ઓક્સિજન પાર્ક બનાવવામાં આવશે. ઉપરાંત, નજીકના ભવિષ્યમાં આ શહેરી જંગલ દ્વારા આબોહવાની ક્રિયા તેમજ જૈવ વિવિધતાને પણ ટેકો મળશે. ઓક્સીજનનું પ્રમાણ વધે તેવા વૃક્ષો અહીં વાવવામાં આવશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ અંગે ગ્રીનમેન વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે, “અમારા સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન મુવમેન્ટ હેઠળ બનાવવામાં આવી રહેલા આ અર્બન ફોરેસ્ટની માત્ર ઔદ્યોગિક વિસ્તાર જ નહીં પરંતુ પાંડેસરાની આસપાસ રહેતા હજારો લોકોના સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર પડશે.

જીપીસીબીના પ્રાદેશિક અધિકારી જીજ્ઞાસા ઓઝાએ જણાવ્યું હતું કે, “અમારો વિભાગ હંમેશા પ્રદૂષણ સામે લડવા માટે પ્રતિબદ્ધ છે.” જ્યારે કોઈપણ એનજીઓ ‘પ્રદૂષણ સામે સત્યાગ્રહ’નો વિચાર લઈને આવે છે, ત્યારે અમે તેની સાથે જોડાયેલા હોવાનો આનંદ અનુભવીએ છીએ. મને ખાતરી છે કે નજીકના ભવિષ્યમાં આ શહેરી જંગલ એક મોડેલ તરીકે ઓળખાશે.’

નોંધનીય છે કે આ શહેરી જંગલને ‘અમૃત વન’ નામ આપવામાં આવ્યું છે, જે ‘આઝાદીના અમૃત ઉત્સવ’ને સમર્પિત છે. સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખના જણાવ્યા પ્રમાણે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર એવો છે કે જ્યાં સૌથી વધારે પ્રદુષણ હોય છે. પણ આવા અર્બન ફોરેસ્ટ તૈયાર કરવાથી અહીં વાતાવરણમાં થોડો ઘણો પણ ફર્ક આવે એ પણ ઘણું છે. આ પ્રોજેક્ટની સફળતા બાદ હવે તેને પાંડેસરા અને સચિન જીઆઇડીસી સુધી પણ લઇ જવાનો પ્રયત્ન કરવામાં આવશે તેવું તેઓએ ઉમર્યું હતું.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">