Surat: વરસાદ ખેંચાતા રેઇનકોટના વિક્રેતાઓને આવ્યો રડવાનો વારો, વેચાણમાં 20 ટકા સુધીનો ઘટાડો

એક તરફ કોરોનાનો માર, ત્યારે બીજી તરફ વરસાદ પણ પાછો ખેંચાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં રેઇનકોટ વિક્રેતાઓને રડવાનો વારો આવ્યો છે.

Surat: વરસાદ ખેંચાતા રેઇનકોટના વિક્રેતાઓને આવ્યો રડવાનો વારો, વેચાણમાં 20 ટકા સુધીનો ઘટાડો
રેઇનકોટ વિક્રેતા
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 05, 2021 | 8:00 PM

હાલના સમયમાં કોરોનામાં થોડી રાહત થઈ છે કારણ કે હવે કોરોનાના કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પરંતુ કોરોનાએ ફક્ત શારીરિક કે માનસિક રીતે જ નહીં લોકોને આર્થિક રીતે પણ તોડી નાંખ્યા છે. જેની અસર લગભગ દરેક ક્ષેત્ર પર જોવા મળી છે.

હાલ ભલે કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો હોય પણ કોરોનાના કારણે આર્થિક રીતે લોકો ભાંગી પડ્યા છે. જેની સીધી અસર રેઇનકોટના વેચાણ પર પણ પડી રહી છે. ગયા વર્ષ કરતા આ વર્ષે 20 ટકા જેટલી અસર વેચાણ પર પડી છે.

સુરતના નાનપુરા વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી રેઇનકોટનું વેચાણ કરતા ભૃગેશ દમણિયા કહે છે કે આખા ગુજરાતમાં તેઓ એકમાત્ર એવા વિક્રેતા છે જે લોકોને માપ લઈને રેઇનકોટ સીવી આપે છે. જેથી સિંગલ અથવા તો ટ્રિપલ એક્સેલ સાઈઝ ધરાવતા લોકો પણ અહીં માપ આપીને રેઇનકોટ સિવડવવા આવે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

પરંતુ છેલ્લા 15 વર્ષમાં નથી જોઈ એવી મંદી હાલ તેઓ જોઈ રહ્યા છે. જેનું કારણ છે કે રેઇનકોટ બનાવવાના મટીરીયલ, લેબર વર્ક સહિતના ભાવો વધારે ચૂકવવા પડી રહ્યા છે. જેના લીધે તેઓએ પણ વધુ ભાવ લેવા પડે છે.

અધૂરામાં પૂરું આ વર્ષે ચોમાસામાં એકાદ બે ઝાપટા આવી ગયા બાદ ફરી વરસાદે લાંબો વિરામ લીધો છે. જેના કારણે લોકોને હાલ રેઇનકોટ ખરીદવાની કોઈ જરૂર લાગતી નથી. અને તેથી પણ લોકો રેઇનકોટ નથી ખરીદી રહ્યા.

આવનાર દિવસોમાં જો સારો વરસાદ આવે છે. તો થોડીઘણી આશા છે કે ગયા વર્ષે કોરોનાના કારણે બગડેલું માર્કેટ આ વર્ષે થોડું સુધરે અને વેચાણ વધે. હાલ કોરોનાના કેસો ઘટતાં રેઇનકોટ વિક્રેતાઓને રાહત હતી કે વરસાદ શરૂ થતા રેઇનકોટનું વેચાણ વધશે. પણ આર્થિક મંદી અને વરસાદ ખેંચાતા તેમની આ આશા પર પણ પાણી ફરી વળ્યું છે.

આ પણ વાંચો: Surat: આખરે જર્જરિત ટેનામેન્ટમાં રહેતા રહીશોના સ્થળાંતર માટેનું કોકડું ઉકેલાયું, જાણો વિગત

આ પણ વાંચો: સુરતના આ મંદિરે ફૂલ કે નારિયેળ નહીં, પરંતુ સિગારેટ ચડાવવાની માન્યતા, જાણો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">