Surat : તહેવારોમાં મહેમાનોને મીઠાઈ-નાસ્તો કરાવવા વધુ રૂપિયા ખર્ચવા રહેવું પડશે તૈયાર, ભાવમાં 15 ટકા સુધીનો વધારો

18 જુલાઈએથી સરકારે જે જીએસટીનો નવો નિયમ લાગુ કર્યો છે, તેની અસર મીઠાઈ અને ફરસાણના ભાવ પર જોવા મળી રહી છે.

Surat : તહેવારોમાં મહેમાનોને મીઠાઈ-નાસ્તો કરાવવા વધુ રૂપિયા ખર્ચવા રહેવું પડશે તૈયાર, ભાવમાં 15 ટકા સુધીનો વધારો
Sweets prices high in festivals (Symbolic Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2022 | 10:03 AM

આગામી થોડા દિવસોમાં તહેવારોની (Festivals ) સીઝન શરૂ થવા જઈ રહી છે. પરંતુ તહેવારોમાં ઘરે આવતા મહેમાનોનું (Guest ) મોઢું મીઠું કરાવવા અને તેમને નાસ્તો કરાવવા માટે લોકોએ હવે થોડા વધારે રૂપિયા ખર્ચવા પડશે એ નક્કી છે, કારણ કે આ વખતે મીઠાઈ અને ફરસાણના ભાવમાં 15 ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. કારણ કે કેન્દ્ર સરકારે દૂધ, દહીં, છાશ અને લોટ સહિતની ચીજવસ્તુ પર પાંચ ટકા જીએસટી લાગુ કર્યો છે.

તારીખ 10 જુલાઈથી ચાતુર્માસ શરૂ થવાની સાથે જ તહેવારોની સીઝન શરૂ થઇ ગઈ છે. આગામી થોડા દિવસોમાં જન્માષ્ટમી અને રક્ષાબંધન જેવા તહેવારો આવી રહ્યા છે. સુરતીઓ તહેવારોની ઉજવણીમાં જરા પણ પાછી પાની કરતા નથી. લોકો મીઠાઈ અને ફરસાણની ખરીદી પણ તહેવારોમાં અચૂક કરે છે. ત્યારે તેના બુકીંગ પણ અત્યારથી જ શરૂ થવા લાગ્યા છે.

ત્યારે 18 જુલાઈએથી સરકારે જે જીએસટીનો નિયમ લાગુ કર્યો છે તેની અસર મીઠાઈ અને ફરસાણના ભાવ પર જોવા મળી રહી છે. મીઠાઈના ભાવમાં પણ વધારો થતા હવે લોકોએ મહેમાનો અને સબંધીઓનું મોઢું મીઠું કરાવવા માટે વધારે રૂપિયા ચૂકવવા પડશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

મીઠાઈના ભાવ વધ્યા :

એક મીઠાઈ વિક્રેતાના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે જે કાજુ કતરીના ભાવ 800 રૂપિયા કિલો હતા તે આ વર્ષે વધીને 840 રૂપિયા થઇ ગયા છે. ડ્રાય ફ્રૂટ્સ, દૂધ, લેબર ચાર્જ વગેરેમાં ભાવ વધારો થતા અમારે પણ મીઠાઈના ભાવમાં વધારો કરવો પડ્યો છે.

ફરસાણના ભાવમાં પણ કરવો પડ્યો વધારો

જયારે એક ફરસાણ વિક્રેતાના જણાવ્યા પ્રમાણે પહેલા જે માલ પર ટેક્સ નહોતો લાગતો તેના પર પણ હવે ટેક્સ લાગ્યો છે. જેના કારણે અમારે ફરસાણની કિંમતમાં વધારો કરવો પડ્યો છે. ફરસાણના ભાવમાં કિલો દીઠ 25 થી 30 રૂપિયા સુધીનો વધારો થયો છે. જે ફરસાણ પહેલા 200 થી 300 રૂપિયામાં વેચાતું હતું તે આજે 220 થી 330 રૂપિયામાં વેચાતું થઇ ગયું છે.

આમ એક વસ્તુ નક્કી છે કે મોંઘવારી ની અસર હવે મીઠાઈ અને ફરસાણના ભાવ પર પણ પડી છે. લોકોએ આ મોંઘવારીમાં તહેવારો ઉજવવા માટે થોડા વધારે રૂપિયા ખર્ચવા પડશે એમાં કોઈ બેમત નથી.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">