Surat : એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ઉભી કરવા કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની ઉડ્ડયન મંત્રીને રજુઆત

દર્શના જરદોશે કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની મુલાકાત લઈને સુરત એરપોર્ટ પર 356 કરોડના ખર્ચે ચાલી રહેલા વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરાવવા માંગણી કરી છે.

Surat : એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ઉભી કરવા કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની ઉડ્ડયન મંત્રીને રજુઆત
Union Minister Darshan Jardosh's presentation to Aviation Minister
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 5:25 PM

કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમને સુરતથી દુબઇ, બેંગકોક, લંડનની ફ્લાઇટ આપવા રજુઆત કરી હતી અને આંતરરાષ્ટ્રીય સુવિધાઓ વધારવા માટે પણ માંગણી કરી હતી. કેન્દ્રના ટેક્ષટાઇલ અને રેલવે રાજ્ય મંત્રી તથા સુરતના સાંસદ દર્શના જરદોશે કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની મુલાકાત લઈને સુરત એરપોર્ટ પર 356 કરોડના ખર્ચે ચાલી રહેલા વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરાવવા માંગણી કરી છે.

સાથે સાથે 360 જેટલા સીઆઇએસએફ જવાનોનું  મહેકમ મંજુર કર્યું છે. આ જવાનોને સુરત એરપોર્ટ પર ડિપ્લોય કરવા અને તેમના રહેઠાણ માટે જરૂરી વ્યવસ્થા અને સુવિધા ઉભી કરવા પણ રજુઆત કરવામાં આવી છે. સાંસદ દ્વારા સુરત એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગના વિસ્તરણ, ટેક્સી વે અને એપર્નનું કામ સમયસર અને ઝડપથી પૂર્ણ થાય તે માટે સંબંધિત વિભાગને આદેશ આપવા પણ રજુઆત કરવામાં આવી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સુરતના કસ્ટમ નોટીફાઈડ એરપોર્ટને ઇન્ટરનેશનલ કક્ષાના એરપોર્ટ તરીકે ડેવલપ કરવા પણ દર્શના જરદોશે ભાર મુક્યો હતો. તેમને ડોમેસ્ટિક કાર્ગો ટર્મિનલની સફળતાની વિગતો પણ રજૂ કરી હતી. આ સાથે જ તેમને ડૉમેસ્ટિકની સાથે સુરત એરપોર્ટના પરિસરમાં ઇન્ટરનેશનલ કાર્ગો ટર્મિનલ વિકસાવવા પણ માગ કરી છે.

સાંસદ અને મંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સિંધિયાને સુરત એરપોર્ટ પર ચાલી રહેલા વિકાસના કામો ઝડપથી પુરા કરાવવા અને સીઆઈએસએફ બંદોબસ્ત માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જે સુવિધા હોય છે તે સુવિધાઓ ઝડપથી આપવા પણ રજુઆત કરવામાં આવી છે.

દર્શના જરદોશે સુરત એરપોર્ટથી 50 કોમર્શિયલ ફ્લાઇટ કોરોના પહેલા ઓપરેટ થતી હતી અને મહિને દોઢ લાખથી વધુ પેસેન્જરોની અવર જવર રહેતી હતી. તેની વિગતો પણ આપી હતી અને હવે જયારે ફરી પેસેન્જરની સંખ્યા વધી છે, તેની વિગતો પણ આપવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે દર્શના જરદોશે સુરતથી દુબઇ, બેંગકોક, સિંગાપોર અને લંડનની ફ્લાઇટ એર ઇન્ડિયા એક્સપ્રેસ સમયાંતરે શરૂ કરે તેવી રજુઆત કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">