Surat : કોર્પોરેશનના વાહનોમાં ઇંધણનો ખર્ચ બચાવવા નવા બે પેટ્રોલપંપ શરૂ કરાશે, કોર્પોરેશનના નાણાં બચશે

આ નવા પેટ્રોલ(Petrol ) પંપ બનાવવા માટેની જગ્યા આગામી થોડા દિવસોમાં ફાઇનલ કરીને તે દિશામાં કાર્યવાહી શરૂ કરવામાં આવશે. 

Surat : કોર્પોરેશનના વાહનોમાં ઇંધણનો ખર્ચ બચાવવા નવા બે પેટ્રોલપંપ શરૂ કરાશે, કોર્પોરેશનના નાણાં બચશે
Surat Municipal Corporation (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2022 | 6:46 PM

સુરતના(Surat ) નગરજનોને વિવિધ સેવાઓ આપવા માટે કોર્પોરેશનના વિવિધ વાહનો(Vehicles ) કાર્યરત છે. પણ હાલ આ બધા વાહનોની વચ્ચે એક જ વર્કશોપ(Workshop ) કાર્યરત હોય કોર્પોરેશનના આ વાહનોને લાંબો ફેરો પડતો હતો અને ઇંધણ, રૂપિયા અને સમયનો વ્યય થતો હતો. પણ સુરત કોર્પોરેશને હવે તેનો પણ ઉકેલ શોધી કાઢ્યો છે.

સુરત મહાનગર પાલિકાનું સેન્ટ્રલ વર્કશોપ હાલ ઉમરવાડા ખાતે કાર્યરત છે. સુરત કોર્પોરેશનના તમામ વાહનોએ ઈંધણ પુરાવા માટે લાંબુ અંતર કાપીને વર્કશોપમાં આવવું પડે છે. હદવિસ્તરણ બાદ સુરત શહેરનો વિસ્તાર વધતા આગામી વાહનોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવનાર છે. પરીણામે ઈંધણની બચત કરવા માટે ઉધના ખરવરનગર અને કતારગામ લાલદરવાજા ખાતે નવો પેટ્રોલ પંપ શરૂ કરવામાં આવનાર છે.

નવા બે પેટ્રોલ પંપ શરૂ થતા વર્ષે 54 હજાર લિટર ઈંધણની બચત થવાનો અંદાજ આંકવામાં આવ્યો છે. આ સાથે કોર્પોરેશનને 93.18 લાખનો ફાયદો પણ થશે. શહેરીજનોને વિવિધ સેવાઓ પુરી પાડવા માટે સુરત મનપાને વિવિધ મશીનરી, વાહનોની જરૂર પડતી હોય છે. આ ઉપરાંત મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓને પણ હોદા પ્રમાણે વાહનોની ફાળવણી કરવામાં આવે છે. મનપાના તમામ વાહનોમાં ઈંધણ પુરાવવા માટે ઉમરવાડા ખાતે આવેલા મનપાના વર્કશોપમાં જવુ પડે છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

અઠવા, રાંદેર ઝોનના વાહનોએ પણ લાંબુ અંતર કાપીને ઉમરવાડા સુધી ધક્કો ખાવો પડે છે. 791 જેટલી મશીનરી અને હેડ કવાટર્સના 471 વાહનોમાં વાર્ષીક 1800 થી 2000 લીટર ડીઝલનો વપરાશ થાય છે. હદવિસ્તરણ બાદ સુરત શહેરનો વિસ્તાર વધ્યો છે. નવા વિસ્તારના લોકોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની હોય સન્સપોર્ટેશનનો ખર્ચ વધે તે વાત નકારી શકાય તેમ નથી. ઓછામાં ઓછા ઈંધણનો વપરાશ થાય અને મનપાના વાહનોએ ઈંધણ પુરાવા માટે ઉમરવાડા સુધી ધક્કો નહી ખાવો પડે તે માટે ઉધના ખરવરનગર અને કતારગામ લાલદરવાજા ખાતે નવો પેટ્રોલ પંપ શરૂ કરવામાં આવનાર છે.

આ બે પેટ્રોલ પંપ શરૂ થવાથી કોર્પોરેશનના વાહનોમાં ઇંધણનો બચાવ થશે, એટલું જ નહીં સમય અને કોર્પોરેશનના રૂપિયાની પણ સીધી રીતે બચત થશે. આ નવા પેટ્રોલ પંપ બનાવવા માટેની જગ્યા આગામી થોડા દિવસોમાં ફાઇનલ કરીને તે દિશામાં કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">