Surat: ઉમરપાડામાં 75 બળદગાડા સાથે નીકળી ત્રિરંગા યાત્રા, ગામડાઓમાં ઘરે ઘરે લગાવાયો ત્રિરંગો

ઉમરપાડા (Umarpada) તાલુકાના ખોટા રામપુરા ગામથી આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે પૂર્વક કેબિનેટ મંત્રી ગણપત વસાવાની ઉપસ્થિતિમાં 75 બળદગાડા સાથે ત્રિરંગા યાત્રા યોજાઈ હતી.

Surat: ઉમરપાડામાં 75 બળદગાડા સાથે નીકળી ત્રિરંગા યાત્રા, ગામડાઓમાં ઘરે ઘરે લગાવાયો ત્રિરંગો
Tiranga Yatra on Bullock Cart (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2022 | 9:25 AM

માંગરોળ(Mangrol) તાલુકાના વાંકલ ગામે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવાની (Ganpat Vasava) હાજરીમાં એક વિશાળ ત્રિરંગા (Tiranga ) રેલી કાઢવામાં આવી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ત્રિરંગા અભિયાન શરૂ કર્યું છે. સમગ્ર દેશવાસીઓ આનંદ ઉલ્લાસ સાથે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ખૂબ જ આનંદ ઉત્સાહ સાથે કરી રહ્યા છે, ત્યારે વાંકલ ગામે ભવ્ય ત્રિરંગા રેલી એન ડી દેસાઈ હાઈસ્કૂલ ખાતેથી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.

નવી પેઢી જ આવતીકાલનું ભારત

રેલીમાં એક કિલો મીટર લાંબા તિરંગો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. દેશભક્તિના નારા સાથે તિરંગા રેલી વાંકલ બજારે આવી પહોંચી હતી. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવા એ રેલીને સંબોધન કરતા જણાવ્યું કે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, વીર ભગતસિંહ, ઝાંસીની રાણી સહિત અનેક દેશ ભક્તોએ કોઈપણ જાતના સ્વાર્થ વિના પોતાના પ્રાણની આહુતિ આપીને આ દેશને મહામૂલી આઝાદી અપાવી છે. આઝાદીનો અમૃત મહોત્સવ યોજવા પાછળનું એ જ મુખ્ય કારણ એ છે કે નવી પેઢી જે આવતીકાલનું ભારત છે, તે મહામૂલી આઝાદી અને સંસ્કૃતિનું મહત્વ સમજે જાણે અને તેને ભૂલે નહીં.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

ઉમરપાડામાં 75 બળદગાડા સાથે ત્રિરંગા યાત્રા નીકળી

ઉમરપાડા તાલુકાના ખોટા રામપુરા ગામથી આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે પૂર્વક કેબિનેટ મંત્રી ગણપત વસાવાની ઉપસ્થિતિમાં 75 બળદગાડા સાથે ત્રિરંગા યાત્રા યોજાઈ હતી. આ યાત્રા ખોટારામપુરાથી શરૂ થઈ ડોગરીપાડા, કોલવણ, ગુલી ઉંમર સુધી યોજાઈ હતી. આ યાત્રામાં 75 બળદ-ગાડા સાથે ઉમરપાડા તાલુકાના ગામોના લોકો મોટી સંખ્યામાં હાથમાં ત્રિરંગો લઈ જોડાયા હતા અને આ યાત્રાના રુટમાં આવતા તમામ ગામના લોકો તરફથી ઉત્સાહ ભેર યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને દરેક ગામોમાં ઘરે ઘરે ત્રિરંગો લગાવવામાં આવ્યો હતો.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">