Surat : કાપડ પર GST વધારવાના વિરોધમાં વેપારીઓએ શરૂ કર્યું શાંતીપૂર્ણ આંદોલન

ટેક્ષટાઇલ યુવા બ્રિગેડ દ્વારા  શોપ ટુ શોપ દુકાનદારોનો સંપર્ક કરીને જીએસટીના વિરોધમાં મોટી સંખ્યામાં પોસ્ટ કાર્ડ લખાવવા માટે અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે.

Surat : કાપડ પર GST વધારવાના વિરોધમાં વેપારીઓએ શરૂ કર્યું શાંતીપૂર્ણ આંદોલન
Textile traders writes letters about GST issue
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 1:48 PM

આગામી તા .1 લી જાન્યુઆરી 2022 થી કપડા ઉદ્યોગમાં 12 ટકા ફ્લેટ દરે જીએસટી(GST) વસૂલ કરવા અંગે કેન્દ્ર સરકારે બહાર પાડેલા જાહેરનામાની વિરુદ્ધમાં સુરતમાં સક્રીય અનેક વેપારી સંગઠનો પૈકી સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ ટ્રેડર્સ એસોસીએશને આજથી કપડા બજારમાં કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ વ્યક્ત કરવાનું શરૂ કર્યું છે . આગામી દિવસોમાં ટેક્ષટાઇલ માર્કેટ વિસ્તારમાં બેનરો લગાડીને જીએસટીના નવા દરોનો વિરોધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે .

સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ ટ્રેડર્સ એસોસીએશનના પ્રેસિડેન્ટે  જણાવ્યું હતું કે ગઈકાલે યોજાયેલી મિટીંગમાં લેવાયેલા નિર્ણય મુજબ જીએસટીના નવા દરો વિરુદ્ધ શાંતિપૂર્ણ રીતે દેખાવો શરૂ કરવામાં આવ્યા છે . એસ.જી.ટી.ટી.એ.એ તેમના તમામ મેમ્બર વેપારીઓ અને તેમના સ્ટાફને બજારમાં કાળીપટ્ટી ધારણ કરીને લોકોમાં જાગૃતિ લાવવા જણાવવામાં આવ્યું હતું એ મુજબ આજે દરેક વેપારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

આગામી દિવસોમાં જીએસટીના નવા દરોનો વિરોધ કરવા માટે માર્કેટ વિસ્તારમાં બેનરો લગાડવાનો કાર્યક્રમ પણ આપવામાં આવશે.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કેન્દ્ર સરકાર સુધી વેપારીઓનો અવાજ પહોંચાડવા માટે દરેક શાંતિપૂર્ણ દેખાવો કરવામાં આવશે . સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ ટ્રેડર્સ એસોસીએશનના સભ્યો દ્વારા એસ.જી.ટી.ટી.એ.ના તમામ મેમ્બર્સને વ્હોટ્સએપ પર મેસેજીસ કરીને કાળી પટ્ટી ધારણ કરીને બિઝનેસ ચલાવવા માટે અભિયાન છેડ્યું છે .

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ટેક્ષટાઇલ યુવાબ્રિગેડે પોસ્ટકાર્ડ અભિયાન હાથ ધર્યું કપડા ઉદ્યોગમાં 12 ટકા જીએસટી દરના વિરોધમાં સુરતમાં સક્રીય જુદા જુદા વેપારી સંગઠનો પૈકી આજે એક તરફ સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ ટ્રેડર્સે કાળી પટ્ટી ધારણ કરીને દેખાવો કર્યા તો બીજી તરફ ટેક્ષટાઇલયુવાબ્રિગેડના કાર્યકર્તાઓએ શોપટુ શોપ સંપર્ક કરીને પોસ્ટકાર્ડ ઝુંબેશ શરૂ કરી છે .

જીએસટીના નવા દરોનો વિરોધ કરતા સંદેશાઓ ધરાવતા પોસ્ટ કાર્ડ નાણામંત્રી જોગ લખીને મોટી સંખ્યામાં પોસ્ટકાર્ડ નાણામંત્રી સુધી પહોંચાડવામાં આવશે . ટેક્ષટાઇલ યુવા બ્રિગેડ દ્વારા  શોપ ટુ શોપ દુકાનદારોનો સંપર્ક કરીને જીએસટીના વિરોધમાં મોટી સંખ્યામાં પોસ્ટ કાર્ડ લખાવવા માટે અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે. આમ, નાણામંત્રીને મળ્યા બાદ પણ કોઈ સંતોષકારક ઉકેલ નહીં આવતા વેપારીઓ દ્વારા જીએસટીના વિરોધમાં શાંત આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Surat : વધુ એક વેપારીનું 40 લાખમાં ઉઠમણું, વેપારી પાસેથી માલ લઇ પૈસા આપવાના બદલે જાનથી મારી નાખવાની ધમકી આપી

આ પણ વાંચો : Surat : સુરતમાં તાપમાનનો પારો ગગડતા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે કરાઈ હીટરની વ્યવસ્થા

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">