Surat: આખરે જર્જરિત ટેનામેન્ટમાં રહેતા રહીશોના સ્થળાંતર માટેનું કોકડું ઉકેલાયું, જાણો વિગત

સુરતના માન દરવાજા ખાતે આવેલા જર્જરિત વિસ્તારમાં રહેતા રહીશોના સ્થળાંતર મુદ્દે હવે ઉકેલ આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. યોજવામાં આવેલી બેઠકમાં હવે મોટાભાગના પરિવાર સ્થળાંતરને લઈને તૈયાર થઇ ગયા છે.

Surat: આખરે જર્જરિત ટેનામેન્ટમાં રહેતા રહીશોના સ્થળાંતર માટેનું કોકડું ઉકેલાયું, જાણો વિગત
સુરતના જર્જરિત આવાસ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 05, 2021 | 5:26 PM

સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્ર માટે માથાના દુખાવા સમાન સાબિત થઈ રહેલા માન દરવાજા ટેનામેન્ટ રહેવાસીઓનું સ્થળાંતર હવે ટૂંક સમયમાં કરવામાં આવશે. છેલ્લા પંદર દિવસથી વહીવટીતંત્ર દ્વારા જર્જરિત આવાસમાં વસવાટ કરી રહેલા પરિવારજનોના સ્થળાંતરને લઈને કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધી 110 પરિવારોએ મકાન ખાલી કરી દીધા છે.

જ્યારે બાકીના રહેવાસીઓની ધારાસભ્ય સંગીતા પાટીલ, અરવિંદ રાણા તેમજ સ્લમ કમિટીના ચેરમેન દિનેશ પુરોહિત સાથે એક સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માન દરવાજા ઉમરવાડા ટેનામેન્ટના સ્થાનિકોને અડાજણ સુધીના વિસ્તારોમાં વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરવાની તંત્ર દ્વારા બાંહેધરી આપવામાં આવી છે.

રીંગ રોડ વિસ્તારમાં આવેલા માન દરવાજા ટેનામેન્ટમાં 320 જેટલા આવાસ છે. પરંતુ વર્ષોથી આ આવાસની હાલત જર્જરિત થઈ ગઈ છે. જેના કારણે અહીં વસવાટ કરતા પરિવારોજનોના માથે હંમેશા જીવનું જોખમ તોળાઈ રહ્યું છે.

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

એવી સ્થિતિમાં ચોમાસા દરમિયાન આવા 300થી વધુ પરિવારોને સ્થળાંતર માટે કવાયત હાથ ધરવામાં આવી હતી.જોકે વસવાટ કરતાં પરિવારો સ્વજન સ્થળાંતર માટે તૈયાર ન થતા કોકડું ગૂંચવાયું હતું. તે દરમિયાન વહીવટીતંત્ર દ્વારા ટેનામેન્ટમાં સીલીંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.

આજે સવારે માન દરવાજા ખાતે યોજવામાં આવેલ મિલકતદાર સાથેની બેઠક દરમિયાન મોટાભાગના મિલ્કતદારો મનપા દ્વારા ફાળવવામાં આવનાર આવાસોમાં વસવાટ કરવા માટે તૈયાર થઈ ચૂક્યા છે.

લિંબાયત ઝોન ખાતે મિલકતદારો દ્વારા નક્કી કરવામાં આવેલ 12 સભ્યોની કમિટી સાથે એક અંતિમ બેઠકનુ આયોજન પણ કરવામાં આવનાર છે. જેમાં સ્થળાંતર માટે આવાસ આપવા સહિતની તમામ પ્રક્રિયા પર ચર્ચા-વિચારણા કર્યા બાદ સંભવત બે-ત્રણ દિવસમાં સ્થળાંતર ની કામગીરી હાથ ધરવામાં આવશે.

સ્લમ કમિટીના ચેરમેન દિનેશ પુરોહિતે જણાવ્યું છે કે અહીં વસવાટ કરતા ગરીબ શ્રમિકોના જીવના જોખમને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે સ્થળાંતર પ્રક્રિયાઓ સરળ બનશે. પરિવારોને મહાનગરપાલિકા દ્વારા આવાસ ફાળવવામાં આવશે તે પરિવારો અને પીપીપીના ધોરણે જે બિલ્ડર ડેવલપર્સને આ સ્થળના વિકાસ માટે નિર્ધારીત કરવામાં આવશે તેની અને મહાનગરપાલિકા વચ્ચે કરાર કરવામાં આવશે.

જેમાં બિલ્ડર દ્વારા જે મિલકતદારો મનપાના આવાસમાં વસવાટ કરવા તૈયાર હશે તેનું ભાડું મનપાને ચૂકવવામાં આવશે અને જે મિલ્કતદારો મનપાના આવાસ ખાલી કરીને અન્યત્ર જવા માંગતા હશે તેમને ભાડાની રકમ ચુકવણી કરવામાં આવશે. આમ ભાડાની સ્થિતિ પણ હવે સ્પષ્ટ થઈ ચૂકી છે.

આ પણ વાંચો: સુરતના આ મંદિરે ફૂલ કે નારિયેળ નહીં, પરંતુ સિગારેટ ચડાવવાની માન્યતા, જાણો

આ પામ વાંચો: Surat : સુરતીઓ માટે રાહતના સમાચાર, કોરોનાના સવા વર્ષ બાદ માત્ર 10 કેસ નોંધાયા

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">