Surat : કોરોના મહામારીની બીજી લહેર પછી ગુજરાતના સુરતમાંથી અંગ દાન કરવાની સૌપ્રથમ ઘટના

મજુરા ગેટ પાસે આવેલ બોથરા ફાઈનાન્સમાં મેનેજર તરીકે ફરજ બજાવતા પરેશભાઈ કોરોનાના કારણે થોડા સમયથી રજા પર હતા. 12મી મેના રોજ પરેશભાઈ તેમના પત્ની સાથે આ કંપનીમાં પગાર લેવા માટે ગયા હતા.

Surat : કોરોના મહામારીની બીજી લહેર પછી ગુજરાતના સુરતમાંથી અંગ દાન કરવાની સૌપ્રથમ ઘટના
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 15, 2021 | 9:29 PM

Surat: મજુરા ગેટ પાસે આવેલ બોથરા ફાઈનાન્સમાં મેનેજર તરીકે ફરજ બજાવતા પરેશભાઈ કોરોનાના કારણે થોડા સમયથી રજા પર હતા. 12મી મેના રોજ પરેશભાઈ તેમના પત્ની સાથે આ કંપનીમાં પગાર લેવા માટે ગયા હતા. પગાર લઈને ઓફિસમાંથી નીચે ઊતરતા હતા ત્યારે તેઓને ચક્કર આવતા તેઓ પડી ગયા હતા.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

તે બાદ તેમને ઊલટીઓ થતા તાત્કાલિક નિર્મલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ત્યાં સિટી સ્કેન કરાવતા તેમને મગજની નસો ફાટી જવાથી બ્રેન હેમરેજ થયું હોવાનું બહાર આવ્યું હતું. તારીખ 13 મેના રોજ તેમને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

નિર્મલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો સંપર્ક કરીને પરેશભાઈના બ્રેનડેડ થયા હોવાની જાણકારી આપવામાં આવી હતી. ડોનેટ લાઈફના સભ્યો દ્વારા પરિવારના અન્ય સભ્યો સાથે ચર્ચા કરી અને નક્કી કર્યું કે તેમનું બ્રેનડેડ થઈ ગયું છે અને તેમનું મૃત્યુ નિશ્ચિત છે.

હાલ કોરોના સમયમાં જ્યારે દેશમાં અંગદાનનું પ્રમાણ ખૂબ ઓછું છે. ત્યારે પરેશભાઈના સગાઓ દ્વારા તેમનું અંગદાન કરીને અન્ય દર્દીઓને નવજીવન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરિવારજનો તરફથી અંગદાન અંગેની સંમતિ મળતાં પરેશભાઈના કિડની, લિવર, હૃદય અને ફેફસાં માટે જણાવવામાં આવ્યું હતું.

જોકે લોજિસ્ટિક પ્રોબ્લેમને કારણે ફેફસાં અને હૃદયનું અંગદાન થઈ શક્યું નહોતું. પરંતુ અમદાવાદની સિમ્સ હોસ્પિટલના ડોક્ટરે તેમનું લિવરનું દાન સ્વીકાર્યું, ત્યારે ચક્ષુદાન લોકસમર્પણ બેંકના પ્રફુલ્લ શિરોયાએ સ્વીકાર્યું હતું.

દાનમાં મેળવવામાં આવેલા લીવર ટ્રાન્સપ્લાન્ટ વડોદરાના રહેવાસી 64 વર્ષીય વ્યક્તિ કે જેઓ છેલ્લા દોઢ વર્ષથી સિરોસીસ બીમારીથી પીડાતા હતા, તેમાં અમદાવાદની સિમ્સ હોસ્પિટલને આપવામાં આવ્યું હતું. લીવરને સમયસર અમદાવાદ પહોંચાડવા માટે નિર્મલ હોસ્પિટલથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુધીનો 280 કિલોમીટરનો ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો.

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 382 કિડની, 157 લીવર, 8 પેન્ક્રીઆસ, 31 હૃદય અને 12 ફેફસા 286 ચક્ષુઓ મળીને કુલ 873 વ્યકિતઓને અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને આપશો 803 વ્યક્તિઓને નવજીવન અને નવી દ્રષ્ટિ આપવામાં સફળતા મળી છે.

આ પણ વાંચો: COVID સંબંધિત સેવાઓ માટે Aadhaar ની માંગણી કરાય છે પણ આધાર નંબર જ ન હોય તો શું દર્દી સુવિધાથી વંચિત રહેશે ? UIDAI એ કરી આ સ્પષ્ટતા

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">