Surat : ટેક્સ્ટાઇલ માર્કેટના વેપારીઓનો સંકલ્પ, સાડીઓના દરેક પાર્સલમાં મોકલશે રાષ્ટ્રધ્વજ
સાડીના(Saree ) વેપારીએ સંકલ્પ લીધો કે એક લાખથી વધુ સાડીઓ જે પાર્સલ મોકલવામાં આવશે તે સાડીઓની અંદર તિરંગો મોકલી અને પાર્સલ કરવામાં આવશે
75માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશના પ્રધાનમંત્રી (PM) નરેન્દ્ર મોદી(Narendra Modi ) દ્વારા 13 થી 15 ઓગસ્ટ હર ઘર તિરંગા(Tiranga ) અભિયાનની જાહેરાત કરી છે. જેને લઇ સુરત ટેક્સટાઇલ વેપારીઓ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે. ત્યાં માર્કેટના કેટલાક વેપારીએ પોતાના પાર્સલો ની અંદર પણ હવે એક એક તિરંગો મોકલી અને અભિયાનમાં જોડાઈ રહ્યા છે. નોંધનીય છે કે સુરતમાંથી દરરોજ લાખોની સંખ્યામાં સાડીઓના પાર્સલ જતા હોય છે.
અંદાજે એક લાખથી વધુ સાડીઓના પાર્સલમાં પહોંચશે ત્રિરંગો
દેશભરમાં તિરંગા નું અભિયાન ચાલી રહ્યું છે ત્યાં લોકો સાથે વેપારીઓ પણ આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે. ત્યારે સુરતનું ટેક્સટાઇલ માર્કેટ દેશભર નહીં પણ વિદેશમાં પણ જાણીતું માર્કેટ છે અને ટેક્સટાઇલ માર્કેટનું સુરતની આર્થિક કરોડરજ્જુ તરીકે ઓળખાય છે. ત્યારે આ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ પણ પોતાનો નાનો મોટો સહયોગ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં આવેલ એક વેપારીએ પોતાના દુકાનની અંદરથી અલગ અલગ રાજ્યો ની અંદર જે સાડીઓ પાર્સલ જાય છે તે સાડીઓના પાર્સલના બોક્સની અંદર એક તિરંગો મૂકી અભિયાનમાં જોડાયાએ છે. તેમનો સંકલ્પ છે કે તારીખ 13 સુધી તેમના ત્યાંથી જેટલા પણ સાડીઓના પાર્સલ જશે. તેની અંદર એક તિરંગો મોકલવામાં આવશે. અંદાજિત આ ચારથી પાંચ દિવસની અંદર એક લાખથી વધુ સાડીઓના પાર્સલ જશે અને તેની અંદર એક લાખથી વધુ આ તિરંગા છે લોકો સુધી પહોંચે તે માટેની વ્યવસ્થા છે તે ઉભી કરવામાં આવી છે.
ટેક્સ્ટાઇલ માર્કેટના વેપારીએ લીધો છે સંકલ્પ
સુરત ટેક્સટાઇલ માર્કેટમાં આગામી દિવસમાં ગુજરાતની સૌથી મોટી તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે. ત્યારે હવે નાના નાના વેપારીઓ પણ આ રીતે એક પછી એક અભિયાન ની અંદર જોડાઈ રહ્યા છે. તેવામાં સાડીના વેપારીએ સંકલ્પ લીધો કે એક લાખથી વધુ સાડીઓ જે પાર્સલ મોકલવામાં આવશે તે સાડીઓની અંદર તિરંગો મોકલી અને પાર્સલ કરવામાં આવશે કારણ કે સુરત ટેક્સટાઇલ માર્કેટમાંથી અલગ અલગ રાજ્યો અલગ અલગ શહેરો અને નાનો મોટા ગામડાઓ સુધી આ સાડીઓ જતી હોય છે અને જે લોકો સાડીઓ ખરીદશે તેમને આ તિરંગો સરળતાથી મળી રહે તે માટેની વ્યવસ્થા છે ઉભી કરવામાં આવી છે.
વેપારીઓ દરેક અભિયાનમાં રહ્યા છે અગ્રેસર
આ માર્કેટની મુલાકાત સુરતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ દ્વારા પણ લેવામાં આવી હતી અને વેપારીઓનું પ્રોત્સાહન વધે તે માટે તેમણે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કોઈપણ અભિયાન ની અંદર સુરત ટેક્સટાઇલ માર્કેટ હંમેશા આગળ રહેતું હોય છે વેપારીઓ આગળ આવીને અભિયાન ની અંદર જોડાતા હોય છે કારણ કે જ્યારે કાશ્મીર મુવી આવ્યું ત્યારે કાશ્મીર થીમ ઉપર સાડી પણ બનાવવામાં આવી હતી અને દેશભક્તિ બતાવી હતી ત્યારે આ અભિયાનની અંદર તિરંગા અભિયાન ની અંદર વેપારીઓ પણ જોડાઈ રહ્યા છે અને તારીખ 13 થી 15 સુધી તમામ ટેક્સટાઇલ માર્કેટની અંદર મોટા પ્રમાણમાં રાષ્ટ્રધ્વજ છે તે લહેરાવવામાં આવશે અને એક અનોખું અભિયાન છે ત્યારે અનોખો સંદેશ છે લોકો સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે.