Surat : GST મુદ્દે હજી પણ કાપડ ઉધોગ પર લટકતી તલવાર, વચગાળાની રાહત ફક્ત માર્ચ સુધી

જીએસટી દ૨ મામલે એક વિસ્તૃત રીપોર્ટ તૈયાર કરશે જે જીએસટી કાઉન્સિલ સમક્ષ રજૂ કરવામાં આવશે અને માર્ચ 2022 ના અંત સુધીમાં સંભવતઃ 12 ટકા જીએસટી લાગુ કરવો કે નહીં ? એ બાબતે આખરી નિર્ણય લેવામાં આવશે.

Surat : GST મુદ્દે હજી પણ કાપડ ઉધોગ પર લટકતી તલવાર, વચગાળાની રાહત ફક્ત માર્ચ સુધી
textile industry get interim relief only till March for GST
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 9:56 AM

જીએસટી કાઉન્સિલની (GST Council ) મળેલી બેઠકમાં કાપડ ઉદ્યોગ(Textile Industry ) પરનો પ્રસ્તાવિત 12 ટકા જીએસટી દર બે મહિના સુધી મુલતવી રખાયો છે. બે મહિના બાદ કર્ણાટકના મુખ્યમંત્રીની આગેવાનીમાં બનેલી કમિટી દ્વારા રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યા બાદ 12 ટકા જીએસટી અંગેનો છેવટનો નિર્ણય લેવાશે.

જોકે , આ દરમિયાન ચેમ્બર દ્વારા હયાત જીએસટી દર કાયમ રાખવા માટેની માગણી કરવામાં આવશે. તા . 1 જાન્યુઆરીથી કાપડ ઉદ્યોગમાં જે 12 ટકા જીએસટી લાગુ થવાનો હતો તે ગઈકાલે મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં બે માસ સુધી સ્થગિત કરવામાં આવ્યો છે. ગઈકાલે મળેલી કાઉન્સિલની બેઠકમાં નક્કી થયા મુજબ કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઇ આગેવાની હેઠળ રીડમશન ઓફ રેટ કમિટી બનાવવામાં આવી છે.

આ કમિટી ફેબ્રુઆરી સુધીમાં કાપડ ઉદ્યોગ પરના પ્રસ્તાવિત 12 ટકા જીએસટી દ૨ મામલે એક વિસ્તૃત રીપોર્ટ તૈયાર કરશે જે જીએસટી કાઉન્સિલ સમક્ષ રજૂ કરવામાં આવશે અને માર્ચ 2022 ના અંત સુધીમાં સંભવતઃ 12 ટકા જીએસટી લાગુ કરવો કે નહીં ? એ બાબતે આખરી નિર્ણય લેવામાં આવશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડન્ટ આશિષ ગુજરાતીના જણાવ્યા પ્રમાણે કાપડ ઉધોગના હિતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર સમક્ષ સતત રજૂઆતો ચાલુ રાખવામાં આવશે. કાપડ ઉધોગ માટે પાંચ ટકાનો જીએસટી દર યોગ્ય છે અને તેના કારણે જ સુરતના કાપડ ઉધોગમાં યુનિટો બંધ થતા બચશે અને મોટા પાયે લોકો બેરોજગાર થતા અટકશે.

12 ટકા જીએસટી નો અમલ બે મહિના સ્થગિત કરાવીને કેન્દ્ર સરકારને ઝુકાવવામાં ઉધોગકારોને સફળતા મળી છે જે મોટી બાબત ગણી શકાય તેવું ટેક્સ્ટાઇલ ઉધોગકારોનું માનવું છે. જોકે હજી પણ  વચગાળાની રાહત માનવામાં આવી રહી છે. ટેક્સ્ટાઇલ ઉધોગમાં આજથી લાગુ થનારા 12 ટકા જીએસટી દર ને સ્થગિત કરીને માર્ચ સુધી ફેરવિચારણા કરવાનો નિર્ણય લેવામાં આવશે.

હાલ મળેલી વચગાળાની રાહતથી વીવર્સને મહિને 50 કરોડ  રહેશે અને 100 કરોડનો ટેક્સ પણ બચશે. જોકે આવનારા દિવસોમાં ચેમ્બર ઓફ કોમર્સ અને વિવિધ સંગઠનો દ્વારા જીએસટી મામલે રજૂઆતોનો દોર યથાવત રાખવામાં આવશે તેવું વેપારી આગેવાનોનું કહેવું છે.

આ પણ વાંચો : Surat : હવામાનમાં ફેરફારને કારણે સુરતમાં વાયરલ ફીવરના કેસ વધ્યા, દવાખાના ઉભરાયા દર્દીઓથી

આ પણ વાંચો : Travel Diary : જાણો તાપી નદીના ઉદગમસ્થાન અને તેના રોચક તથ્યો વિશે

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">