સુરત શહેરનો કચરો સુંવાલી ગામમાં ઠાલવવા સામે ગ્રામ્યજનોનો સખ્ત વિરોધ

Surat : સુંવાલી  અને તેના આસપાસની જગ્યા હજીરાના ઉધોગો માટે સંપાદન કરવામાં આવી છે. જો ડમ્પિંગ સાઈટ (dumping site ) માટે ફાળવવામાં આવે તો સ્થાનિક પશુપાલન,ખેતી અને માછીમારી જેવા વ્યવસાય પર અસર પડશે. તેમ ગ્રામ્યજનોનુ કહેવુ છે.

સુરત શહેરનો કચરો સુંવાલી ગામમાં ઠાલવવા સામે ગ્રામ્યજનોનો સખ્ત વિરોધ
Surat: Strong protest against dumping of city waste in Sunwali village
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2021 | 7:30 PM

Surat સુરત મહાનગરપાલિકા ( SMC ) દ્વારા રોજનો કચરો ખજોદ( Khajod ) લેન્ડ ફિલ્ડ સાઈટ (Land Field Site) પર ઠાલવવામાં આવે છે. જે કચરો હવે ઓલપાડ તાલુકાના ભાડુત અને મંદરોઈ ગામમાં નહીં ઠાલવીને હવે સુંવાલી ગામની જમીનની માંગણી કરવામાં આવી હતી. જેનો સુંવાલી ગામના લોકોએ સખ્ત વિરોધ કર્યો છે. આજે તેઓ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે શહેરનો સૌથી મોટો ઉકરડો કહેવાતી ખજોદ લેન્ડ સાઈટ હવે કચરામાંથી કંચન બની ગઈ છે. ડ્રિમ સિટીનો આવિષ્કાર થઇ શક્યો છે. પણ શહેરમાંથી પ્રતિદિન નીકળતો કચરો ક્યાં ઠાલવવો તેની મડાગાંઠ ઉભી થઇ છે. જેનો ઉકેલ હજી સુધી આવ્યો નથી. આ પ્રશ્ન ઉકેલવા માટે અગાઉ ભાડુત અને મંદ્રોઈ  ગામ પર પસંદગી ઉતારવામાં આવી હતી. પરંતુ સ્થાનિક લોકો તરફથી વિરોધનો સુર તીવ્ર બન્યો હતો. એટલું જ નહિ આ બંને ગામો દરિયાકિનારા નજીકના છે. આ બંને ગામોને સીઆરઝેડ અસર કરે છે.

જેથી હવે નવા વિકલ્પ તરીકે હાલમાં સુરત સિટીનો ( Surat City ) કચરો શહેરથી અંદાજિત 25 કિલોમીટર દૂર સુંવાલી( Sunvali )  ગામમાં ઠાલવવા સરકાર પાસે મંજૂરી માગી છે. વિકાસની હરણફાળ દોડ ભરી રહેલા સુરત શહેરમાં ઘન કચરાના નિકાલ માટે મહાનગરપાલિકા દ્વારા આગામી 20 વર્ષની સ્થિતિને ધ્યાનમાં રાખીને ડમ્પિંગ સાઈટ માટે રાજ્ય સરકાર પાસે સુંવાલી ગામ નજીક 50 હેકટર જમીન તથા સૂકા કચરાને પ્રોસેસ કરીને ખાતર બનાવવા માટે 25 હેકટર જમીનની માંગણી કરવમાં આવી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

પરંતુ ગ્રામવાસીઓનું કહેવું છે કે સુંવાલી ગામમાં ઘન કચરો ઠાલવવામાં આવે તો પશુપાલન વ્યવસાય તથા માનવજાતને ગંભીર અસર થાય તેવું છે. આજે સુંવાલી સહીત રાજગરી અને શિવરામપુરના સરપંચો સહીત ગ્રામ્યજનો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. તેઓએ ઉમેર્યું હતું કે સુંવાલી  અને તેના આસપાસની જગ્યા હજીરાના ઉધોગો માટે સંપાદન કરવામાં આવી છે. જો ડમ્પિંગ સાઈટ (dumping site ) માટે ફાળવવામાં આવે તો સ્થાનિક પશુપાલન,ખેતી અને માછીમારી જેવા વ્યવસાય પર અસર પડશે. મનપા દ્વારા જે જમીન માંગવામાં આવી છે તેની આસપાસ આવેલી શાળાઓમાં પણ 3500 થી વધુ બાળકોના સ્વાસ્થ્ય પર પણ તેની વિપરીત અસર પડશે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">