Surat: ખરવરનગર ફ્લાય ઓવર બ્રીજનું રીપેરીંગ કામ શરૂ થતાં જ પિક અવર્સમાં ટ્રાફિક જામના દ્રશ્યો

સુરત( Surat) મહાનગરપાલિકા દ્વારા ખરવરનગર ફ્લાયઓવર બ્રિજના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ માટે સોમવારથી 19 જુલાઇ સુધી નવસારીથી સુરત સુધીનો ભાગ બંધ રાખવામાં આવ્યો છે.

Surat: ખરવરનગર ફ્લાય ઓવર બ્રીજનું રીપેરીંગ કામ શરૂ થતાં જ પિક અવર્સમાં ટ્રાફિક જામના દ્રશ્યો
Surat Fly Over Bridge
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 28, 2022 | 4:59 PM

સુરત(Surat)-નવસારી મેઈન રોડ પર ખરવરનગર જંકશન ખાતે આવેલા ફ્લાયઓવર બ્રિજનો(Fly Over Bridge)એક ભાગ સોમવારથી સમારકામ(Reparing)માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જોકે આ બ્રિજ બંધ થતાં એક કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 19 જુલાઇ સુધી વાહનચાલકોને આવી સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.મહાનગરપાલિકા દ્વારા ખરવરનગર ફ્લાયઓવર બ્રિજના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ માટે સોમવારથી 19 જુલાઇ સુધી નવસારીથી સુરત સુધીનો ભાગ બંધ રાખવામાં આવ્યો છે.

ઘણા દિવસો સુધી ટ્રાફિક જામનો સામનો

ફ્લાયઓવરનો એક ભાગ બંધ થવાના કારણે સાંકડા સર્વિસ રોડ પર વાહનોનો ભાર આવી ગયો છે. આવી સ્થિતિમાં પ્રથમ દિવસે જ વાહનચાલકોને જામનો સામનો કરવો પડ્યો હતો. સવારથી સાંજ સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. ઉધનાથી ત્રણ રસ્તે જ વાહનોનો ચક્કાજામ જોવા મળ્યા હતા. ઉધના ત્રણ રસ્તાથી ઉધના દરવાજા સુધીનું અંતર કાપવામાં વાહનચાલકોને એક કલાકથી વધુ સમય લાગ્યો હતો. જોકે 19મી જુલાઈ સુધી બ્રિજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી વાહનચાલકોને આગામી ઘણા દિવસો સુધી ટ્રાફિક જામનો સામનો કરવો પડી શકે છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

કોર્પોરેશનના બ્રિજ સેલ દ્વારા તેને 19 જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો

ખાસ કરીને પિક અવર્સમાં સૌથી વધુ ટ્રાફિક જામ સર્જાતા લોકોના કલાકોના કલાકો બગડે છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા જ શહેરના રિંગરોડ ખાતે આવેલા સહારા દરવાજા ફલાયોવર બ્રિજ અને મલ્ટિલેયર બ્રીજનું કામ ચાલતું હોવાથી તે બ્રિજ પણ દોઢ મહિના સુધી બંધ રહ્યો હતો, જેના કારણે લોકોને પણ ખાસી હેરાનગતિ થઈ હતી. જ્યારે પણ બ્રિજ ખુલ્લો મુકાયા બાદ લોકોને તેમાંથી મોટી રાહત મળી છે. કોર્પોરેશન દ્વારા સમયાંતરે જૂના થઈ ગયેલા બ્રીજોનું સમારકામ હાથ ધરવામાં આવે છે. આ બ્રિજ પણ 2012 માં બન્યો હોય તેનું રીપેરીંગ જરૂરી લાગતા કોર્પોરેશનના બ્રિજ સેલ દ્વારા તેને 19 જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">