Surat : રિંગરોડ ફ્લાયઓવર બ્રીજનું કામ દોઢ મહિનામાં જ પૂરું કરી દેવાશે : મ્યુનિસિપલ કમિશનર

બ્રિજના નીચેના રસ્તાને ક્લીયર કરવામાં આવી રહ્યો છે . મનપા દ્વારા આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને પોલીસ વિભાગ દ્વારા આવતીકાલે નિરીક્ષણ કરી મનપાને આ બ્રિજ બંધ કરવા માટે એન.ઓ.સી. આપવામાં આવશે અને મનપા દ્વારા એકથી બે દિવસમાં બ્રિજ બંધ કરવા માટેનો નિર્ણય લેવાશે.

Surat : રિંગરોડ ફ્લાયઓવર બ્રીજનું કામ દોઢ મહિનામાં જ પૂરું કરી દેવાશે : મ્યુનિસિપલ કમિશનર
Ring Road flyover bridge work to be completed in one and half months: Municipal Commissioner
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 11:40 AM

સુરતમાં મેટ્રો(Metro ) પ્રોજેક્ટના કારણે ઠેર ઠેર બેરિકેટના કારણે શહેરીજનો ટ્રાફિક(Traffic ) સમસ્યાનો સામનો કરી રહ્યા છે . ત્યારે હવે અતિ ગીચતા ધરાવતા અને જ્યાંથી જ હજારો વાહનો પસાર થાય છે તેવા પારાપાર ટ્રાફિક સમસ્યા ધરાવતા રિંગ રોડ વિસ્તારના ફ્લાય ઓવરબ્રિજનું (Flyover ) રિપેરિંગ કરવા કરવાનું હોવાથી હોવાથી આ બ્રિજનો ઉપયોગ પણ બંધ કરવો પડે તેવી સ્થિતિ છે.

આ બ્રિજ 3 કે 4 મહિના માટે બંધ કરાશે તેવી ચર્ચા વચ્ચે ઊઠતાં આ વિસ્તારના લોકો અને અહીં કામ – ધંધા માટે રોજેરોજ આવતા લાખો લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે . ત્યારે મનપા કમિશનરે જણાવ્યું હતું કે , રિંગ રોડ ફ્લાય ઓવરબ્રિજની જરૂરિયાતને ધ્યાને રાખી આ 22 વર્ષ જૂના ઓવરબ્રિજને રિપેરિંગ કરી હજુ વરસો સુધી સલામત રીતે તેનો ઉપયોગ થાય એ રીતે દુરસ્ત કરવા આયોજન કરાયું છે.

પરંતુ ત્રણ ચાર માસ સુધી બંધ રહે તો સમસ્યા વધી જાય તેવી શક્યતા છે , તે ધ્યાને રાખીને મનપાના અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે કે આ રિપેરિંગ દોઢ માસની અંદર પૂરું થાય તેવા પ્રયત્નો કરવામાં આવે એ માટે જરૂરી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રિપેરિંગ કરવામાં આવશે . બ્રિજની 800 બેરિંગ બદલવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આથી બ્રિજ બંધ રહે તો નીચે ભારે ટ્રાફિક થવાની સંભાવના છે . જેથી બ્રિજના નીચેના રસ્તાને ક્લીયર કરવામાં આવી રહ્યો છે . મનપા દ્વારા આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને પોલીસ વિભાગ દ્વારા નિરીક્ષણ કરી મનપાને આ બ્રિજ બંધ કરવા માટે એન.ઓ.સી. આપવામાં આવશે અને મનપા દ્વારા એકથી બે દિવસમાં બ્રિજ બંધ કરવા માટેનો નિર્ણય લેવાશે.

સુરતના અડાજણ અને ચોક વિસ્તારને જોડતા મકાઈ  પુલની રિપેરિંગની કામગીરીને રોલઈ એક તરફનો બ્રિજ ચાર દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે . વિવેકાનંદ સર્કલથી અડાજણ તરફ જતાં બ્રિજનાં કેટલાંક જોઈન્ટ ઊંચાં થઇ ગયાં છે . જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે . જો આ જોઈન્ટ તાત્કાલિક રિપેર કરવામાં ન આવે તો અકસ્માત થવાની શક્યતા છે . જેના કારણે મનપાએ તાકીદે રિપેરિંગની કામગીરી શરૂ કરી છે.

આ પણ વાંચો :

સુરતના રાંદેર વિસ્તારમાં ઉછીના પૈસાની માથાકુટમાં પ્રેમીએ જ પ્રેમિકાની હત્યા કરી નાખી

યુક્રેન ક્રાઈસિસ: સુરતના ચાર સહિત કુલ 450 વિદ્યાર્થીઓ બોર્ડર પહોંચશે, તમામ વિદ્યાર્થીઓ યુક્રેનના ચર્નોવિસ્ટ્રીની DSMU કોલેજના

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">