Surat : રક્ષાબંધનનો તહેવાર જવેલર્સને ફળ્યો, વેપાર 100 કરોડને પાર

તહેવારોની મોસમ જવેલર્સને ફળી, સારી ખરીદી નીકળતા જવેલર્સ બજારમાં રોનક પાછી ફરી છે.

Surat : રક્ષાબંધનનો તહેવાર જવેલર્સને ફળ્યો, વેપાર 100 કરોડને પાર
Jewelers Shop (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 4:37 PM

કોરોનાના કારણે છેલ્લા દોઢ વર્ષથી જવેલર્સ બજારમાં કારમી મંદીનો ઓછાયો પડ્યો હતો. જોકે છેલ્લા બે અઠવાડિયાથી રક્ષાબંધનની જે ખરીદી જોવા મળી છે તેને લઈને જવેલર્સમાં ફરી એકવાર ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને બજારમાં રોનક ફરી એકવાર પાછી ફરી છે.

કોરોનામાં લોકોના વેપાર ધંધા બંધ થઇ જતા લોકોની ખરીદ શક્તિ એકદમ ઓછી થઇ ગઈ હતી. જેથી ખરીદ શક્તિમાં ઘટાડો થવાના કારણે મોટી અસર જવેલર્સ પર પણ પડી હતી. કોરોના, લોકડાઉન અને અનલોક પછી પણ માર્કેટમાં કોઈ ખાસ ચહલ પહલ ન દેખાતા જવેલર્સ ચિંતામાં હતા.

લગ્નમાં પણ મર્યાદિત હાજરીને જ મંજૂરી હોવાથી લગ્ન પ્રંસગો પણ સાદાઈથી જ કરવામાં આવતા હતા. જેથી લોકોએ દાગીના ખરીદવાનું પણ ઓછું કરતા શહેરના જવેલર્સ કપરા દિવસો પસાર કરી રહ્યા હતા. જોકે તહેવારોની મોસમ શરૂ થતા હવે ફરી એકવાર નવો સંચાર થયો છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

હાલમાં કોરોનાની બીજી લહેરની સ્થિતિ નિયંત્રિત થતાની સાથે જ છેલ્લા 10 દિવસમાં સોનાના ભાવમાં બે વાર ઘટાડો અને એકવાર વધારો થયો હતો. આવનારા અન્ય તહેવારો વખતે ફરીથી સોનાના ભાવ વધે તેની ચિંતા વચ્ચે હમણાંથી જ રોકાણકારો દ્વારા નાની મોટી ખરીદી શરૂ કરવામાં આવી છે.

રક્ષાબંધનની ખરીદી અંગે સુરત જવેલર્સ એસોસિયેશનના પ્રમુખે જણાવ્યું હતું કે, એકદંરે માર્કેટ સારું રહ્યું છે. લોકલની સાથે સાથે ઇન્ટરનેશનલ માર્કેટમાં સારી ડિમાન્ડ છે. લોકોએ તહેવારો, લગ્ન પ્રસંગ અને રોકાણ માટે ખરીદી ધીરે ધીરે શરૂ કરી છે. સોનાના ભાવ પણ તેમાં એક અસરકારક પાસું રહ્યું છે.

ઇન્ડિયન સ્ટેટ ડિરેક્ટરે જણાવ્યું છે કે, ડાયમંડ પ્રત્યે લોકોનો વધેલો ઉત્સાહ જવેલરીની ખરીદીમાં પણ દેખાઈ રહ્યો છે. ચાંદીની રાખડીઓની સાથે સોનાના કળા, બ્રેસલેટ, લકી જેવી વસ્તુઓની ખરીદી સારા પ્રમાણમાં થઇ છે. રક્ષાબંધનનો જે વેપાર થયો છે તે અંદાજે 100 કરોડને પાર થયો છે.

આમ, તહેવારો શરૂ થતા બજારમાં ફરી એકવાર રોનક આવી છે અને જવેલર્સ પણ ખુશ દેખાઈ રહ્યા છે. આવનારા દિવસોમાં શરૂ થનારી લગ્નસરાની સીઝનમાં પણ સારી ખરીદી નીકળે તેવો જવેલર્સને આશાવાદ છે.

આ પણ વાંચો :

surat : રક્ષાબંધન પર્વે સામુહિક આપઘાતનો કેસ, બેના મોત, મહિલા તબીબની હાલત ગંભીર

Gujarat : ગણેશોત્સવની ઉજવણીને લઈ હજુ કોઈ નિર્ણય નહીં, આયોજકોમાં અસમંજસ

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">