Surat : મેટ્રો રેલની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા 14 સીટી બસ સ્ટોપ તોડી પાડવા દરખાસ્ત!

આમ, હવે મેટ્રોની (Metro )કામગીરી પુરઝડપે આગળ વધી રહી છે. ત્યારે આગામી દિવસોમાં બસ સ્ટોપને તોડી પાડવાની મંજૂરી મળ્યા બાદ તે દિશામાં પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Surat : મેટ્રો રેલની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા 14 સીટી બસ સ્ટોપ તોડી પાડવા દરખાસ્ત!
Metro Rail Project Surat (Symbolic Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2022 | 9:47 AM

શહેરના(Surat ) અત્યંત મહત્વાકાંક્ષી મનાતા સુરત મેટ્રો(Metro )  રેલ પ્રોજેક્ટની કામગીરી ઝડપભેર ચાલી રહી છે. મેટ્રોના પ્રથમ ફેઝમાં સરથાણાથી (Sarthana ) ડ્રીમસીટીના રૂટ પર સીવીલ વર્ક ચાલુ કરી દેવાયું છે. હાલ ખજોદ ડ્રીમસીટીથી નાનપુરા કાદરશાની નાળ સુધીના મેટ્રો રેલના રૂટમાં નડતરરૂપ એવા સીટી બસના 14 જેટલા બસ સ્ટોપને તોડી પાડવા માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત મુકવામાં આવી છે. જોકે આ બસ સ્ટેશન અન્ય બીજી જગ્યાએ જીએમઆરસી દ્વારા જ બનાવી  આપવામાં આવશે, એવો ઉલ્લેખ પણ દરખાસ્તમાં કરવામાં આવ્યો છે.

મેટ્રો રેલ પ્રોજેક્ટ દ્વારા જ બસ સ્ટોપ ફરી બનાવી આપવામાં આવશે :

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન(જીએમઆરસી) દ્વારા સુરત મેટ્રો પ્રોજેક્ટની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. હાલ પ્રથમ ફેઝમાં ખજોદ, ડ્રીમસીટીથી સરથાણાના રૂટ પર અન્ડરગ્રાઉન્ડ તેમજ અન્ય વિસ્તારમાં એલીવેટેડ રૂટ પર મેટ્રો માટે કન્સટ્રક્શન વર્ક શરૂ કરી દેવાયું છે. હાલ પ્રથમ ફેઝમાં કાદરશાની નાળથી ડ્રીમસીટી સુધીના રૂટ પર મનપા દ્વારા બનાવાયેલા સીટીબસના 14 બસ સ્ટોપ નડતરરૂપ હોય, આ 14 બસ સ્ટોપ તોડી પાડવાની નોબત આવી છે. જે માટે શાસકો સમક્ષ મંજુરી માંગવામાં આવી છે. બસ સ્ટોપ તોડી પાડવાની કામગીરી જીએમઆરસી દ્વારા જ કરાશે અને તેના સ્થાને નવા સ્ટેશન પણ બનાવી અપાશે.

મકાઇપુલના સ્વામી વિવેકાનંદની પ્રતીમાને ખસેડવામાં આવશે :

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ મેટ્રો ફેઝ૧ માં ડ્રીમ સીટીથી સરથાણા રૂટમાં નડતરરૂપ સેન્ટ્રલ ઝોન વિસ્તારના ત્રણ સર્કલ દુર કરવાના કામ મંજુર કરાયા હતા. જેમાં મક્કાઇપુલ ખાતે આવેલી સ્વામી વિવેકાનંદની પ્રતિમા, નાનપુરા એકતા સર્કલ ખાતે આવેલી હોડી અને સગરામપુરા વિજય વલ્લભ ચોક પાસેના કળશના સ્કલ્પચરને હટાવવા મંજુરી અપાઈ હતી. સ્વામી વિવેકાનંદની પ્રતિમા સહિતના આ 3 સ્કલ્પચરને સ્થળાંતર કરી જીએમઆરસી દ્વારા અન્ય જગ્યાએ પ્રસ્થાપિત કરવામાં આવશે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

આમ, હવે મેટ્રોની કામગીરી પુરઝડપે આગળ વધી રહી છે. ત્યારે આગામી દિવસોમાં બસ સ્ટોપને તોડી પાડવાની મંજૂરી મળ્યા બાદ તે દિશામાં પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે હાલ ચોમાસાની સીઝનમાં પણ મેટ્રોની કામગીરી કોઈપણ રીતે સ્થગિત કરવામાં નથી આવી. પણ વરસાદમાં પણ આ કામગીરી સતત ચાલી રહી છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">