Surat : ઉકાઇ ડેમમાંથી તબક્કાવાર પાણી છોડવાનું ઓછું કરાતા કોઝવેની જળ સપાટીમાં પણ ધરખમ ઘટાડો થયો

સુરતના કતારગામ અને રાંદેર વિસ્તારને જોડતો કોઝવે હજી પણ ભયજનક સપાટીથી ઉપર વહેતા, વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે. પણ હવે ઉકાઈ માંથી ક્રમશઃ પાણી છોડવાનું ઓછું કરી દેવામાં આવતા કોઝવેની સપાટીમાં પણ ઘટાડો થશે

Surat : ઉકાઇ ડેમમાંથી તબક્કાવાર પાણી છોડવાનું ઓછું કરાતા કોઝવેની જળ સપાટીમાં પણ ધરખમ ઘટાડો થયો
Causeway (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2022 | 9:38 AM

ઉકાઇ (Ukai ) ડેમના ઉપરવાસમાંથી આવતા પાણીની આવકમાં (Inflow ) સાવ ધરખમ ઘટાડો થતાં ડેમના તમામ દરવાજા (Gate ) બંધ કરી દેવાયા છે આ દરમિયાન ઉકાઈ ડેમમાં 28,975 ક્યુસેક પાણીની આવક થતા ડેમની જળ સપાટી 343.87 ફૂટ પર પહોંચી જવા પામી છે અને ડેમમાંથી કેનાલ અને બે હાઈડ્રો માટે 21,514 ક્યુસેક પાણી છોડવામાંઆવી રહ્યું છે. ઉકાઇ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે અને ઉકાઇ ડેમ તેની પૂર્ણ ક્ષમતા થી માત્ર સવા ફૂટ દૂર છે.

ચોમાસા ના આખરી દિવસોમાં ઉકાઇ ડેમને તેની પૂર્ણ ક્ષમતા 345 ફૂટ સુધી ભરી દેવાના ભાગરૂપે નવા પાણીની આવક પર ઘટાડો થતાં ડેમના દરવાજા બંધ કરીને ઉકાઇ ડેમના તંત્ર દ્વારા પાણીનો સંગ્રહ શરૂ કરી દેતા સપાટી 343.87 ફૂટે પહોંચી છે. ઉકાઇ ડેમના કેચમેન્ટ એરિયામાં વરસાદ થયો નથી.

આ ઉપરાંત ડેમના ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિસ્તારમાં આવેલા હથનુર ડેમમાં થી 16 હજાર કયુસેક પાણી અને પ્રકાશા ડેમમાંથી 3- હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી તેમને તેની પૂર્ણ ક્ષમતા સુધી ભરી લેવા ઉકાઇ ડેમના તંત્ર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન ઉકાઇ ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરી દેવાતા સુરત ખાતે કોઝવે ની જળ સપાટી માં ધરખમ ઘટાડો નોંધાયો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

કોઝવેની સપાટીમાં ધરખમ ઘટાડો :

કોઝવેની સપાટી સવારે 6.63 નોંધાઈ છે. સુરતના કતારગામ અને રાંદેર વિસ્તારને જોડતો કોઝવે હજી પણ ભયજનક સપાટીથી ઉપર વહેતા વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે. પણ હવે ઉકાઈ માંથી ક્રમશઃ પાણી છોડવાનું ઓછું કરી દેવામાં આવતા કોઝવેની સપાટીમાં પણ ઘટાડો થશે. અને તે થયા બાદ ફરી એકવાર વિયર કમ કોઝવેને વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવશે તેવું સુરત મહાનગરપાલિકાના અધિકારીઓનું કહેવું છે.

નોંધનીય છે કે ગઈકાલથી સુરતમાં વાદળછાયું વાતાવરણ રહેતા ખેલૈયાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સવારે મધ્યમ વરસાદ પડ્યા બાદ બપોર પછી વરસાદે વિરામ લીધો હતો. જોકે ચોમાસાના આખરી દિવસોમાં વરસાદી રમઝટ રહેવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Latest News Updates

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
g clip-path="url(#clip0_868_265)">