Surat : સહકારી પેટ્રોલપંપોને અપાતું પેટ્રોલ ડીઝલ છ થી આઠ રૂપિયા મોંઘુ, સહકારી ખેડૂત સંસ્થાઓનો વિરોધ
રિટેલર પેટ્રોલ પમ્પના ભાવમાં કોઈ વધારો થયો ન હોય ખેડૂતો અને સહકારી મંડળીઓને સીધો અન્યાય થઇ રહ્યો છે. જેના કારણે ઓલપાડ તાલુકાની સાયણ સુગર મિલ, પુરુષોત્તમ ફાર્મ્સ જિનિંગ મંડળી અને દૂધ મંડળીઓએ ભાવ વધારાને કારણે ખોટ સહન કરવા કરતા હાલ પેટ્રોલ પમ્પો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
પેટ્રોલિયમ (Petroleum )કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ( IOC ) દ્વારા છેલ્લા 8 દિવસમાં ખાનગી રિટેઇલરો દ્વારા સંચાલિત પંપ કરતાં સહકારી મંડળીઓ અને ટ્રસ્ટો દ્વારા સંચાલિત પેટ્રોલ અને ડિઝલ પમ્પોને 8 રૂપિયે મોંઘું ડિઝલ આપવામાં આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે.ગુજરાતમાં સહકારી મંડળીઓ અને ટ્રસ્ટો દ્વારા 200 પમ્પ ચલાવવામાં આવે છે.એ પૈકી 50 પમ્પ સુરત જિલ્લાની સહકારી મંડળીઓ , સુગર મંડળીઓ દ્વારા ચલાવવામાં આવે છે .
આઇઓસી કંપનીની બેધારી નીતિ સામે સહકારી ખેડૂત સંસ્થાઓનો વિરોધ જોવા મળી રહ્યો છે. તેમનો વિરોધ એટલા માટે છે કે અન્ય પમ્પો કરતા સહકારી પેટ્રોલ પામ્પોને અપાતા પેટ્રોલ ડીઝલ છ થી આઠ રૂપિયા મોંઘઆપવામાં આવી રહ્યા છે.
આઈઓસી દ્વારા છેલ્લા 8 દિવસમાં ડિઝલના ભાવમાં 8 રૂપિયાનો વધારો કરાયો
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન પેટ્રોલિયમ કંપની દ્વારા સહકારી મંડળીઓને કન્ઝ્યુમર પેટ્રોલ પમ્પની ફાળવણી કરવામાં આવી છે. જે મંડળીઓ દ્વારા ખેડૂત સભાસદોને પેટ્રોલ ડીઝલનું વેચાણ કરે છે. પરંતુ કંપની દ્વારા છેલ્લા 8 દિવસથી કરવામાં આવેલા ભાવ વધારાને મંડળીઓના કન્ઝ્યુમર પેટ્રોલ પમ્પ માટે ડીઝલમાં આઠ રૂપિયા જેટલો ધરખમ વધારો કરવામાં આવ્યો છે.
જયારે રિટેલર પેટ્રોલ પમ્પના ભાવમાં કોઈ વધારો થયો ન હોય ખેડૂતો અને સહકારી મંડળીઓને સીધો અન્યાય થઇ રહ્યો છે. જેના કારણે ઓલપાડ તાલુકાની સાયણ સુગર મિલ, પુરુષોત્તમ ફાર્મ્સ જિનિંગ મંડળી અને દૂધ મંડળીઓએ ભાવ વધારાને કારણે ખોટ સહન કરવા કરતા હાલ પેટ્રોલ પમ્પો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
પેટ્રોલ ડીઝલના ભાવો સુરત શહેર – જિલ્લાના રિટેઇલ પમ્પો કરતા વધી જતાં ઓલપાડ તાલુકાની મંડળીના પમ્પ બંધ કરી દેવાની નોબત આવી છે. સુમુલ ડેરીના ઓલપાડના ડિરેકટર અને સહકારી આગેવાન જયેશ પટેલે જણાવ્યું હતું કે , સહકારી મંડળીઓએ હાલ પેટ્રોલ અને ડિઝલનું વેચાણ બંધ કરી દીધું છે . પેટ્રોલ અને ડિઝલના વેચાણમાં સહકારી મંડળીઓને ખોટ જતી હોવાથી આ નિર્ણય લેવાયો છે .
ઓલપાડ જિન , કિમ જિન , ટકારમા જિન અને સાયણ સુગર સહિતની મંડળીઓ સહકારી ધોરણે આ આ પ્રકારના પંપ ચલાવે છે . આ મામલે ભાવ વધારો પાછો ખેંચવા અમે કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા , પુરુષોત્તમ રૂપાલાને રજૂઆત કરી છે . કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીને પણ ઈ – મેલથી જાણ કરી છે .