Surat : જીવનજ્યોત ખાડીથી ઉધના દરવાજા સુધીનો વન-વે બ્રિજ 27 જૂનથી બંધ રહેશે

સુરત-નવસારી મુખ્ય માર્ગ પર ખરવરનગર જંકશન ખાતે આવેલ ફ્લાયઓવર બ્રિજના (Flyover bridge) વેરીગ કોટના સમારકામની કામગીરી કરવામાં આવશે. જેના કારણે નવસારીથી સુરત આવતા બ્રિજનો ભાગ 27 જૂનથી 19 જુલાઈ સુધી તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે બંધ રહેશે.

Surat : જીવનજ્યોત ખાડીથી ઉધના દરવાજા સુધીનો વન-વે બ્રિજ 27 જૂનથી બંધ રહેશે
વન-વે બ્રિજ 27 જૂનથી બંધ રહેશે
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 24, 2022 | 9:20 AM

સુરતમાં (Surat) રીંગરોડ ફ્લાયઓવર બ્રિજના સમારકામ બાદ હવે વધુ એક ફલાયઓવર બ્રિજ (Flyover bridge)રીપેરીંગ માટે બંધ રાખવાનો નિર્ણય સુરત મહાનગરપાલિકા (Corporation)દ્વારા કરવામાં આવ્યો છે. સુરત-નવસારી રોડ પરના ખરવર નગર ફ્લાયઓવર બ્રિજના રિપેરિંગની કામગીરી માટે આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં વરસાદની સીઝન દરમિયાન, એટલે કે 27 જૂનથી 19 જુલાઈ સુધી, જીવનજ્યોત ખાડીથી ઉધના દરવાજા તરફ જતા પુલનો એક ભાગ વાહનોની અવરજવર માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

દરમિયાન, ખરવારનગર જંકશન ખાતે ફ્લાયઓવર બ્રિજની ડાબી બાજુના સર્વિસ રોડનો ઉપયોગ વાહનોની અવરજવર માટે કરવા જણાવાયું છે. જો કે, સર્વિસ રોડ સાંકડો થવાને કારણે પીક અવર્સમાં ટ્રાફિકની સમસ્યા સર્જાવાની સંભાવના છે.

સુરત-નવસારી મુખ્ય માર્ગ પર ખરવરનગર જંકશન ખાતે આવેલ ફ્લાયઓવર બ્રિજના વેરીગ કોટના સમારકામની કામગીરી કરવામાં આવશે. જેના કારણે નવસારીથી સુરત આવતા બ્રિજનો ભાગ 27 જૂનથી 19 જુલાઈ સુધી તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે બંધ રહેશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ સમયગાળા દરમિયાન સુરત-નવસારી મુખ્ય માર્ગ પર ખરવારનગર જંકશન ખાતે ફ્લાયઓવર બ્રિજની ડાબી બાજુના સર્વિસ રોડનો ઉપયોગ વૈકલ્પિક માર્ગ અને ટ્રાફિકની સરળતા માટે થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન શહેરના લોકોની જાનમાલની સલામતી અને ટ્રાફિક નિયમનની સુવિધા માટે સુરત-નવસારી મુખ્ય પર ખરવરનગર જંકશન ખાતેના ફ્લાયઓવર બ્રિજની ડાબી તરફના સર્વિસ રોડ પર કોઈપણ પ્રકારના વાહનોનું પાર્કિંગ અને માલના લોડિંગ અને અનલોડિંગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

નવસારીથી સુરત આવતો ખરવર નગર ફ્લાયઓવર બ્રિજ ચોમાસા દરમિયાન બંધ કરવાની પાલિકાએ જાહેરાત કરી છે. પરંતુ જે રોડ પર વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જાહેરાત કરવામાં આવી છે તે રોડ સાંકડો તેમજ દબાણ હેઠળ હોવાથી પ્રતિબંધ દરમિયાન પીક અવર્સ દરમિયાન ટ્રાફિકની સમસ્યા સર્જાય તે નક્કી છે.

નોંધનીય છે કે સુરત મહાનગરપાલિકા એકમાત્ર એવી મહાનગરપાલિકા છે, જે બ્રિજના રીપેરીંગ અને જાળવણી માટે એક આખો અલગ વિભાગ બ્રિજ સેલ તરીકે ધરાવે છે, જે સમયાંતરે જર્જરિત થઈ ગયેલા અને રિપેરીંગ માંગી લેતા બ્રિજનું રીપેરીંગ તાકીદના ધોરણે હાથ ધરે છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">