Surat : સુરતની છઠ્ઠા ભાગની વસ્તીને ચાલે તેટલું પાણી ગણેશ વિસર્જન માટે વપરાઈ ગયું

મનપા દ્વારા અલગ અલગ સાત ઝોનમાં બનાવવામાં આવેલા 19 કૃત્રિમ તળાવોમાં 200 લાખ લીટર પાણી ભરીને વિસર્જન કરાયું હોય સુરતની છઠ્ઠા ભાગની વસ્તીને એક દિવસ ચાલે તેટલું પાણી વિસર્જનમાં વાપરવામાં આવ્યું હતું.

Surat : સુરતની છઠ્ઠા ભાગની વસ્તીને ચાલે તેટલું પાણી ગણેશ વિસર્જન માટે વપરાઈ ગયું
Surat: One-sixth of Surat's population used enough water to discharge Ganesha
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2021 | 12:42 PM

રવિવારે શાંતિપૂર્ણ રીતે શહેરમાં વિસર્જન પ્રક્રિયા(Ganesh Visarjan ) પૂર્ણ થઇ હતી. શહેરીજનોની સમજણને કારણે કોરોનાની(Corona ) ગાઈડલાઇનનું યોગ્ય રીતે પાલન કરીને આ વર્ષે વિસર્જન પ્રક્રિયા પાર પડી

સુરતમાં ઉત્સાહ ભેર કૃત્રિમ તળાવોમાં પણ ગણેશજીની પ્રતિમાઓ વિસર્જિત થઇ હતી. છેલ્લા 3 વર્ષથી સુરત મહાનગરપાલિકા દ્વારા તાપી નદીમાં વિસર્જન પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે આ વખતે પણ મનપા દ્વારા ગણેશ વિસર્જન માટે 19 જેટલા કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા હતા. જેથી પર્યાવરણ ને કોઈ નુકશાન ન થાય.

મનપા દ્વારા અલગ અલગ સાત ઝોનમાં બનાવવામાં આવેલા 19 કૃત્રિમ તળાવોમાં 200 લાખ લીટર પાણી ભરીને વિસર્જન કરાયું હોય સુરતની છઠ્ઠા ભાગની વસ્તીને એક દિવસ ચાલે તેટલું પાણી વિસર્જનમાં વાપરવામાં આવ્યું હતું. શહેરની વસ્તી અંદાજે 60 લાખથી વધુની છે. તેમજ સરેરાશ રોજના 200 લીટર પાણીનો વપરાશ પ્રતિ વ્યક્તિ દીધી ગણીએ તો પણ કુલ 10 લાખ લોકોને એક દિવસ ચાલે તેટલું પાણી વિસર્જનમાં વાપરવામાં આવ્યું છે.

રાત્રે 9 વાગ્યે વિસર્જન પ્રક્રિયા સંપન્ન થઇ હતી. વહેલી સ્વાર્થી જ રાઉન્ડ ધ ક્લોક ફરતા રહેનારા મનપા કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે વિસર્જન સમયસર અને શાંતિથી સંપન્ન થયું છે તે માટે સુરતવાસીઓની જાગૃતિ અભિનંદનને પાત્ર છે. મોટા ભાગે ગાઈડલાઇનના પાલન સાથે સુરતવાસીઓએ વિસર્જન યાત્રા કાઢી છે અને આ વર્ષે ઘરઆંગણે વિસર્જનનું પ્રમાણ પણ મોટું રહ્યું છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

તાપી નદીમાં વિસર્જન નહીં કરીને કૃત્રિમ તળાવ બનાવવાથી પર્યાવરણને પણ એક મોટો ફાયદો થયો છે. જોકે આ વર્ષે તો ભક્તોએ કૃત્રિમ તળાવમાં પણ વિસર્જન નહીં કરીને ઘર આંગણે જ ગણેશજીનું વિસર્જન ઇકો ફ્રેન્ડલી રીતે કરતા તે પણ એક મોટી જાગૃતિ અને પર્યાવરણ માટે મોટું યોગદાન ગણી શકાય છે.

આ વર્ષે એક પણ સ્થળે કોઈપણ અનિચ્છનીય બનાવ ન બનતા પોલીસને પણ મોટી રાહત થઇ છે. વ્યવસ્થામાં 9 હજાર કરતા પણ વધુનો પોલીસ સ્ટાફ જોતરાયો હતો. અને કાયદો વ્યવસ્થાનું ધ્યાન રાખ્યું હતું.

આ પણ વાંચો :

Surat : સુરતમાં આગામી ફેબ્રુઆરી 2022માં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજાશે

Surat : સુરતના આ વ્યક્તિ પાસે છે 50 હજાર થી પણ વધુ ઐતિહાસિક ચલણ નો સંગ્રહ

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">