Surat : પાંડેસરામાં મકાનની નીચે બેસેલા ત્રણ યુવકો ઉપર ગેલેરીના સ્લેબનાં ટુકડા પડતા એકનું મોત, બે ઈજાગ્રસ્ત
ગઈ કાલે રાત્રે દસેક વાગ્યાના અરસામાં સોસાયટીમાં જ રહેતો અજય રમાશંકર સીંગ અને અન્ય બે જણા મકાનની નીચે બેસેલા હતા ત્યારે એકાએક મકાની ગેલેરી તૂટી પડી હતી.
સુરત (Surat) ના પાંડેસરા વિસ્તારમાં ગઈ કાલે રાત્રે એક મકાનની ગેલેરી તૂટી પડતા સ્થળ ઉપર ભાગદોડ અને અફડાતફડી મચી ગઈ હતી. જયારે ઘટનાને પગલે લોકો ગભરાઈ ગયા હતા. એટલુંજ નહીં મકાનની નીચે ત્રણ યુવકો બેસેલા હતા. તેમની ઉપર સ્લેબનાં ટુકડા પડતા ત્રણે ઈજાગ્રસ્ત થઇ ગયા હતા જેઓ પૈકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક યુવકનું મોત (death) નીપજ્યું હતું જયારે અન્ય બે માંથી એકને હોસ્પિટલ (hospital) માં દાખલ કરવમાં આવ્યો છે.
પાંડેસરા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરાની ધરમનગર સોસાયટીમાં આવેલ એક મકાન જૂનું અને જર્જરિત થઇ ગયું હતું. દરમિયાન ગઈ કાલે રાત્રે દસેક વાગ્યાના અરસામાં સોસાયટીમાં જ રહેતો અજય રમાશંકર સીંગ અને અન્ય બે જણા મકાનની નીચે બેસેલા હતા ત્યારે એકાએક મકાની ગેલેરી તૂટી પડી હતી.
એટલું જ નહીં ગેલેરીના સ્લેબનાં ટુકડા નીચે બેસેલ આ ત્રણે યુવકો ઉપર પડયા હતા જેના લીધે તેમને ઈજાઓ પહોંચી હતી. જ્યારે સ્લેબ પડવાનો આવાજ સાંભળી સ્થાનિકો ડરી ગયા હતા. ઘટનાને પગલે સ્થનિકોમાં ઘબરાટ ફેલાવાની સાથે ભાગદોડ મચી ગઈ હતી. ઘટના અંગે જાણ કરવામાં આવતા પાંડેસરા પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. તેમજ ત્રણ પૈકી બે જણાને વધુ ઈજા હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યા ફરજ ઉપરના ડોકટરોએ અજય સીંગને મૃત જાહેર કર્યો હતો. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે અજય સીંગને બે સંતાન છે અને વેલ્ડીંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગઈ કાલે રાત્રે તે જમીને ત્યાં મકાનની નીચે બનાવેલ ઓટલા ઉપર વેસવા માટે ગયો હતો અને કાળનો કોળિયો બની ગયો. બનાવને લઈને પોલીસ આગળની વધુ તપાસ કરી રહી છે.
ભૂકંપના આચંકા જેવો અનુભવ થયો હતો
ઘટનાને પગલે સ્થાનિક લોકો એકદમ ડરી ગયા હતા. આ બાબતે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે મકાનની ગેલેરી જૂની અને જર્જરિત થઇ ગઈ હતી. રાત્રે અચાનક ધડાકાભેર પડી ગઈ હતી. ગેલેરીના સ્લેબનાં ટુકડા એટલા ધડાકા સાથે નીચે પડયા હતા કે ધડામ થઈને થયેલા આવાજ સંભળાવવાની સાથે ભૂકંપના આંચકા જેવો એહસાસ થયો હતો. જેના પગલે લોકો ઘબરાઈ ગયા હતા અને ભાગદોડ મચી ગઈ હતી.