Surat : હવે ખુલ્લી હવામાં રાહતનો શ્વાસ લઇ શકાશે, શહેરના બાગ બગીચાઓનો સમય બે વર્ષ બાદ પૂર્વવત કરાયો

કોરોનાના કેસ ઓછા થયા બાદ સવારે છ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી પાલિકાના બગીચાઓમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે સમય સાંજે 4 થી 10 વાગ્યાનો હતો. લોકોને આ સમયગાળા દરમિયાન વધુ એકઠા ન થવા પણ વિનંતી કરવામાં આવી હતી.

Surat : હવે ખુલ્લી હવામાં રાહતનો શ્વાસ લઇ શકાશે, શહેરના બાગ બગીચાઓનો સમય બે વર્ષ બાદ પૂર્વવત કરાયો
the time of the city's gardens has been restored after two years(File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2022 | 9:45 AM

સુરતમાં(Surat )  કોરોના સંક્રમણની એન્ટ્રી બાદ અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. કોરોનાના સમયગાળા દરમિયાન શહેરના બાગ બગીચાઓમાં(Garden )  લાદવામાં આવેલો પ્રતિબંધ હવે બે વર્ષ બાદ હટાવી લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના બગીચા કોરોનાના સમયગાળા દરમિયાન સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા હતા, ત્યારબાદ ચેપ ઓછો થતાં રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ થોડા સમય માટે બગીચાઓ ખોલવામાં આવ્યા હતા. હવે કોરોના લગભગ સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયો છે ત્યારે લોકોને પહેલાની જેમ મ્યુનિસિપલ ગાર્ડનમાં પૂરો સમય પસાર કરવામાં રાહત મળશે. હવે લોકો સવારે 6 થી 12 અને બપોરે 3 થી 11 વાગ્યા સુધી ગાર્ડનમાં પ્રવેશી શકશે.

બે વર્ષ પહેલા આ દિવસે સુરતમાં કોરોનાને કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જેના કારણે મહાનગરપાલિકાના બગીચામાં લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત બગીચાઓનો આરોગ્ય અને મનોરંજનના હેતુઓ માટે ઉપયોગ કરવા જતા લોકો પર પ્રવેશ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જો કે સુરત મહાનગરપાલિકાએ કોરોનાના કેસ ઓછા થતાં ગાર્ડન શરૂ કરાવ્યું હતું, પરંતુ ગાર્ડનમાં પ્રવેશવાના કડક નિયમો સાથે એન્ટ્રીનો સમય પણ ઘટાડી દેવામાં આવ્યો હતો.

કોરોનાના કેસ ઓછા થયા બાદ સવારે છ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી પાલિકાના બગીચાઓમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે સમય સાંજે 4 થી 10 વાગ્યાનો હતો. લોકોને આ સમયગાળા દરમિયાન વધુ એકઠા ન થવા પણ વિનંતી કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સુરતમાં કોરોનાના કેસ શૂન્ય થઈ ગયા છે કે એક-બે કેસ સામે આવી રહ્યા છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

આ જોતા એવું લાગે છે કે સુરતમાં લગભગ કોરોનાએ વિદાય લઈ લીધી છે, તેથી આજથી ફરીથી સુરતના ગાર્ડનનો સમય સવારે 6:00 થી બપોરે 12:00 અને બપોરે 3:00 થી 11:00 નો કરવામાં આવ્યો છે.  કોરોનાની વિદાયના કારણે આ બગીચો લોકોના આરોગ્યની સાથે-સાથે લોકોના મનોરંજન માટે પણ ઉપયોગી બનશે.નોંધનીય છે કે હવે સુરતમાં કોરોનાના કેસો સંપૂર્ણપણે કાબુમાં છે. હોસ્પિટલમાં એક પણ દર્દી દાખલ નથી. ત્યારે આરોગ્ય વિભાગને પણ તેનાથી મોટો હાશકારો થયો છે.

આ પણ વાંચો :

Surat : લોકડાઉનમાં જયારે બધી ઓફિસો બંધ હતી, ત્યારે પણ યુનિવર્સીટીએ 3 મહિનામાં 3 લાખ રૂપિયાની વીજળી વાપરી !

પાણીની પારાયણ શરૂ, વિયરની સપાટી ઘટતા ઉકાઈ ડેમમાંથી પાણી છોડવા પાલિકાએ સિંચાઈ વિભાગને પત્ર લખ્યો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">