Surat : સુરતીઓ 13નાં આંકડાને અનલકી માને છે ! માત્ર ડાયમંડ બુર્સ નહીં ઘણી હાઈરાઈઝ ઇમારતોમાં 13 મો માળ ગાયબ

ટૂંકમાં 13 નંબરને અપશુકનિયાળ માનવામાં ફક્ત ડાયમંડ બુર્સ જ નહીં શહેરની ઘણી હાઈરાઈઝ બિલ્ડીંગો પણ તેમાં સામેલ છે જેમાં તેઓએ 12 પછી સીધી 14 મો માળ પસંદ કર્યો છે. 

Surat : સુરતીઓ 13નાં આંકડાને અનલકી માને છે ! માત્ર ડાયમંડ બુર્સ નહીં ઘણી હાઈરાઈઝ ઇમારતોમાં 13 મો માળ ગાયબ
Surat: Not only Diamond Bourse but the 13th floor of many high-rise buildings in Surat is missing
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2021 | 1:00 PM

10..11..12..14… .તમને નથી લાગતું કે કોઈ એક નંબર(digit ) ખૂટે છે? હા. તમે સાચા છો. 13 નંબરને બાકાત રાખવાની પ્રથા આપણી જેમ રિયલ્ટી(realty ) માર્કેટમાં વ્યાપકપણે પ્રચલિત છે. કારણ કે ડેવલપર્સ અને પ્રોપર્ટી ખરીદનારા વ્યક્તિઓ તેની સાથે સંમત નથી. કારણ તેઓ 13 નંબરને અશુભ(unlucky ) માને છે.

નંબર ગેમમાં 13 નંબરને અપશુકનિયાળ ગણવામાં આવે છે. અને આ વાતની સાબિતી સુરતમાં પણ મળી રહે છે. કારણ કે એશિયાના સૌથી મોટા ડાયમંડ બુર્સમાં 13મોં માળ ગાયબ કરીને 12 પરથી સીધો 14મોં માળ નો નંબર આવે છે. આવું સુરતની બીજી હાઈરાઈઝ ઇમારતોમાં પણ જોવા મળે છે,

સુરત ડાયમંડ બુર્સ (SDB) નું ઉદાહરણ જ લઇ લો, ખજોદ ખાતે ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઇલ (ડ્રીમ) સિટીમાં 66 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં આવતો વિશ્વનો સૌથી મોટો ડાયમંડ બુર્સ. ગ્રાઉન્ડ પ્લસ 15 માળ ધરાવતાં તમામ નવ ટાવરોને તેમની ઓફિસોને કારણે ડાયમન્ટેયર્સની સુવિધા માટે 14 નંબર સાથે બદલવામાં આવ્યા છે. 15 માળના ટાવર 16 માળના બની ગયા છે કારણ કે આયોજકોએ ખરીદદારોની સુવિધા માટે 13 નંબર છોડી દીધો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

SDB ડાયમંડ બુર્સ લિમિટેડના પ્રવક્તા મથુર સવાણીએ જણાવ્યું કે, “આ માન્યતા છે કે 13 નંબર અશુભ છે અને તે ધર્મ અને અંકશાસ્ત્ર પર આધારિત છે. SDB પ્રોજેક્ટમાં, અમે અમારા ઉદ્યોગના ખરીદદારોની સુવિધા માટે ફ્લોર નંબર 13 ને બદલવાની ખાસ કાળજી લીધી છે. પ્રોજેક્ટમાં પાર્કિંગ લોટ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સંખ્યાની પણ સમાન માન્યતા સાથે કાળજી લેવામાં આવી છે. તેમણે  ઉમેર્યું હતું કે બધા જ હીરા ઉધોગકારો  નહીં, પરંતુ તેમાંથી મોટાભાગના લોકો અંધશ્રદ્ધામાં સખત રીતે માને છે. ઘણા લોકો મહિનાના 13 મા દિવસે બિઝનેસ સોદા કરવાનું છોડી દે છે. આ નંબરનો ઉપયોગ છોડી દેવો વ્યાવસાયિક વ્યાપાર ઉકેલ માનવામાં આવે છે.

ક્રેડાઇ-સુરતના ભૂતપૂર્વ પ્રમુખ વેલજી શેટા એ જણાવ્યું હતું કે, “આ સામાન્ય પ્રથા નથી, પરંતુ રિયલ્ટર અને વ્યક્તિગત ખરીદદારો સહિત લોકોનો એક વર્ગ  છે જે 13 નંબરને છોડવા માને છે. હાલમાં, 40 મીટરની જગ્યાએ ઊંચી ઇમારતોમાં, ઊંચાઈ વધારીને 45 મીટર કરવામાં આવે છે અને આવા કિસ્સાઓમાં, લોકો ફ્લોર નંબર કરવાનું છોડી શકે છે, પરંતુ તમામ એફએસઆઈનો ઉપયોગ થાય છે. આમ સુરતમાં ઘણી એવી હાઈરાઈઝ બિલ્ડીંગ છે જેમાં તેમના દ્વારા 13 નંબર છોડવામાં આવ્યા છે.

વેસુમાં શહેરના પ્રથમ બહુમાળી રહેણાંક પ્રોજેક્ટ સાથે 19 માળ ધરાવતાં રિયલ્ટી ગ્રુપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે 13 મા માળને 14 સાથે અંકિત કર્યા છે. આજે પણ અમારી પાસે એવા લોકો છે જે અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરે છે અને તેનું પાલન કરે છે. આમ, અમે વ્યાપક સંસ્કૃતિ અને પરંપરાના ભાગરૂપે સમાન સિસ્ટમ અપનાવી છે.

ટૂંકમાં 13 નંબરને અપશુકનિયાળ માનવામાં ફક્ત ડાયમંડ બુર્સ જ નહીં શહેરની ઘણી હાઈરાઈઝ બિલ્ડીંગો પણ તેમાં સામેલ છે જેમાં તેઓએ 12 પછી સીધી 14 મો માળ પસંદ કર્યો છે.

આ પણ વાંચો : Surat : તાપીમાં 3 લાખ ક્યુસેક પાણી ન છોડાય ત્યાં સુધી સુરત માટે ચિંતાનો કોઈ વિષય નહીં : સુરત જિલ્લા કલેકટર

આ પણ વાંચો : 2.75 લાખ કયુસેક પાણીની આવકથી ઉકાઈ ડેમના 7 ગેટ ખોલી પાણી છોડાયું , તાપી નદીકાંઠા અને સુરતના વિસ્તારોને એલર્ટ કરાયા

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">