Surat : આચાર્ય, અધ્યાપકોની ભરતી નથી કરતી તેવી ખાનગી કોલેજોમાં નવાં શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ ફાળવણી નહીં
આમ, કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈને યુનિવર્સીટી દ્વારા આ મહત્વનો નિર્ણય કહી શકાય. કારણ કે આચાર્યો, શિક્ષકોની ભરતી વગર જ વિદ્યાર્થીઓને આડેધડ પ્રવેશ આપવામાં આવતા વિદ્યાર્થીઓના શિક્ષણની ગુણવત્તા સામે પણ અનેક સવાલો ઉભા થતા હતા.
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી(VNSGU) સંલગ્ન કોલેજોના જોડાણની પ્રક્રિયા ગુરુવારે મળેલી સિન્ડિકેટની(Syndicate ) બેઠકમાં મંજૂર કરવામાં આવી હતી અને જે કોલેજ(College ) આચાર્ય અને અધ્યાપકોની ભરતીની શરતનું પાલન નહિ કરશે તેવી કોલેજમાં શૈક્ષણિક વર્ષ 2022-2023 માટે પ્રવેશ ફાળવણી કરવામાં આવશે નહીં . અત્રે ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટી દ્વારા 104 ખાનગી કોલેજોના આચાર્યો અને 300 થી વધુ અધ્યાપકોની ભરતી બહાર પાડી છે . જુદી જુદી 12 વિદ્યાશાખાની કોલેજોના 50 અભ્યાસક્રમોમાં ભરતી પ્રક્રિયા થશે . આ ભરતી 11 માસના કરાર આધારિત હશે .
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સિલિડકેટની સભા ગુરુવારે યોજાયેલ સિન્ડિકેટની બેઠકમાં આ ચર્ચા કરવામાં આવી હતી . જેમાં કોલેજોના જોડાણ સંદર્ભે ચર્ચા – વિચારણા કરી મંજૂરી આપવામાં આવી હતી . જે ખાનગી કોલેજોને આચાર્ય અને અધ્યાપકોની ભરતીની શરતને આધીન મંજૂરી આપવામાં આવી છે . તેવી ચાલુ જોડાણ ધરાવતી કોલેજ આચાર્ય અને અધ્યાપકોની ભરતી નહિ કરશે , તો શૈક્ષણિક વર્ષ 2022-2023 માટે તે કોલેજમાં પ્રવેશ ફાળવણી કરવામાં આવશે નહીં તેવો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો . વિદ્યાર્થીઓ બીસીએના અભ્યાસ બાદ એમએસસીઆઇટીમાં પ્રવેશ મેળવી શકે તે માટે ત્રણ સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે .
હાલમાં એમએસસી આઇટીમાં પ્રવેશ ધોરણ -12 ના પરિણામના આધારે આપવામાં આવે છે . હવે બીસીએના અભ્યાસ પછી પણ પ્રવેશ મેળવી શકે તેવી તજવીજ હાથ ધરી છે . બોયઝની નવી હોસ્ટેલ બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો . જેનું નામ સ્વામી વિવેદાનંદ બોયઝ હોસ્ટેલ અપાશે . હાલમાં આ સંદર્ભે રિપોર્ટ બનાવવા માટે કમિટીને સૂચના આપવામાં આવી છે . બીસીએ બાદ એમએસસી આઇટીમાં પ્રવેશ અને બોયઝની નવી હોસ્ટેલના નિર્માણ માટે નિર્ણય લેવામાં આવ્યો છે.
આમ, કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈને યુનિવર્સીટી દ્વારા આ મહત્વનો નિર્ણય કહી શકાય. કારણ કે આચાર્યો, શિક્ષકોની ભરતી વગર જ વિદ્યાર્થીઓને આડેધડ પ્રવેશ આપવામાં આવતા વિદ્યાર્થીઓના શિક્ષણની ગુણવત્તા સામે પણ અનેક સવાલો ઉભા થતા હતા. જેથી હવે આ શરતોનું પાલન નહીં કરે તેઓને આગામી શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ ફાળવણી નહીં કરવા દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો :