Surat: જ્યારે રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોષે પૂછ્યું કે “છઠ પૂજા મેં ઘર જાયે કે બા નુ?

કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોષે પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી આ બાબતની જાણકારી સોશિયલ મીડિયાના માધ્યમ થકી આપી હતી. જેથી મહત્તમ લોકો તેનો ફાયદો લઇ શકે.

Surat: જ્યારે રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોષે પૂછ્યું કે છઠ પૂજા મેં ઘર જાયે કે બા નુ?
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2021 | 11:15 PM

દિવાળી (Diwali)નો તહેવાર પૂર્ણ થઈ ગયો છે અને દેશવાસીઓએ નવા વર્ષની ઉજવણી પણ કરી લીધી છે, ત્યારબાદ ભાઈબીજ પછી હવે છઠ પૂજાનો અવસર પણ નજીક છે. સુરત (Surat)ના ઘણા લોકો ખાસ છઠ પૂજાની ઉજવણી માટે ગામડે જાય છે, આવી સ્થિતિમાં સરકાર દ્વારા તેમના જવા માટે ખાસ સુવિધા કરવામાં આવે છે. દર વખતની જેમ આ વખતે પણ ગામમાં જતા લોકો માટે સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરવામાં આવી છે, જેની માહિતી સાંસદ દર્શના જરદોષે (Darshna Jardosh) પોતાની ફેસબુક પોસ્ટ પર આપી હતી.

તેમની ફેસબુક પોસ્ટમાં સાંસદે છઠ પર્વ નિમિત્તે દરેકને શુભેચ્છા પાઠવી અને કહ્યું, “છઠ પૂજા મેં ઘર જાયે કે બા નુ? જેના માટે બધી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. એવું તેમણે પોસ્ટમાં લખ્યું હતું. આ પછી તેમણે છઠના તહેવાર પર ગામ જવા માટે પશ્ચિમ રેલવે દ્વારા શરૂ કરવામાં આવેલી વિશેષ ટ્રેનો વિશે દરેકને માહિતી આપી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

દર્શના જરદોશે તેમની પોસ્ટમાં જણાવ્યું હતું કે, દિવાળી અને છઠ પૂજા દરમિયાન સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે પશ્ચિમ રેલવેએ 30.11.2021 સુધી 173 ટ્રિપ્સ માટે કુલ 51 હોલિડે સ્પેશિયલ ટ્રેનોને સૂચિત કરી છે. ભારતીય રેલ્વે તમને તમારા પરિવાર સાથે તહેવારોની મોસમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે.

40 હોલિડે સ્પેશિયલ ટ્રેનો સુરત/ઉધના ખાતે ઉભી રહેશે, જેનાથી પોતાના વતન જવાની મુસાફરી વધુ સરળ બનશે. યુપી, બિહાર, ઝારખંડ અને ગોવા તરફ જતી 7 ટ્રેનો સુરત/ઉધના/વલસાડથી દોડશે.

સુરત – હટિયા (ઝારખંડ) સુરત – કરમાલી (ગોવા) સુરત સુબેદારગંજ (યુપી) ઉધના – છપરા (બિહાર) ઉધના – દાનાપુર (બિહાર) સુરત – દાનાપુર (બિહાર) વલસાડ – ગોરખપુર (યુપી)

આ તમામ નિયમિત ટ્રેનો ઉપરાંત વધારાની ટ્રેનો છે જે સમયપત્રક મુજબ દોડે છે. આમ કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોષે પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી આ બાબતની જાણકારી સોશિયલ મીડિયાના માધ્યમ થકી આપી હતી. જેથી મહત્તમ લોકો તેનો ફાયદો લઈ શકે. નોંધનીય છે કે દિવાળી પછી છઠ પૂજા માટે પોતાના વતન જનારા લોકોની સંખ્યા સુરતમાં સૌથી વધારે છે.

આ પણ વાંચો :Surat: ગુમ થયેલી અઢી વર્ષની બાળકીનો મળ્યો હતો મૃતદેહ, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

આ પણ વાંચો : Surat: મંત્રી મુકેશ પટેલને મળી પેટ્રોલ પંપ પર છેતરપિંડીની ફરિયાદ, પછી જે થયું તે જાણીને તમે પણ કહેશો ‘વાહ’

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">