Surat : શ્રીલંકાનાં આર્થિક સંકટે સુરતના કાપડ ઉદ્યોગને માર્યો આર્થિક ફટકો, કરોડોની ચૂકવણી અટકી જતા વેપારીઓ મુશ્કેલીમા
ત્યાંના વેપારીઓ સુરતમાંથી મોટા પાયે સાડીઓ ખરીદે છે. પરંતુ આ દિવસોમાં શ્રીલંકા(Srilanka)માં સ્થિતિ વણસેલી છે. ત્યાં રૂપિયાના અવમૂલ્યનને કારણે ત્યાંથી પેમેન્ટ આવતું બંધ થઈ ગયું છે. જેના કારણે અહીંના અનેક વેપારીઓને પેમેન્ટ મળતું નથી.
શ્રીલંકામાં (Srilanka )સુરતી સાડીઓની (Saree )ઘણી માંગ છે, પરંતુ શ્રીલંકામાં સર્જાયેલી પરિસ્થિતિને કારણે આ સ્થિતિ થોડી મુશ્કેલ બની છે. શ્રીલંકામાં આર્થિક(Financial ) કટોકટી સતત ઘેરી બની રહી છે. જેના કારણે ત્યાંનો વેપાર અને ઉદ્યોગ પણ બરબાદ થઈ ગયો છે. પરંતુ ત્યાં ધંધો પડી ભાંગવાને કારણે સુરતના કાપડ બજારને પણ માઠી અસર થઈ રહી છે. સુરતથી શ્રીલંકા દર મહિને 20 કરોડનું કાપડ મોકલવામાં આવતું હતું. શ્રીલંકાના કેટલાક વેપારીઓ સીધા સુરતથી કાપડ મંગાવતા હતા અને કેટલાક લોકો ચેન્નાઈના વેપારીઓ પાસેથી માલ ખરીદતા હતા. આ રીતે બંને રીતે સુરતનું કાપડ મોટા પાયે શ્રીલંકા મોકલવામાં આવતું હતું.
પરંતુ આ દિવસોમાં માલ ત્યાં જવાનું પણ બંધ થઈ ગયું છે અને સુરતથી શ્રીલંકા કપડા વેચતા વેપારીઓના પૈસા ફસાઈ ગયા છે. એક અંદાજ મુજબ શ્રીલંકામાં સુરતના વેપારીઓના રૂ.50 કરોડનું પેમેન્ટ અટવાયું છે.સુરત પોલિએસ્ટર કાપડના હબ તરીકે જાણીતું છે. સુરતમાં બનેલા કપડા દેશ-વિદેશમાં વેચાય છે. સુરતમાં બનતા કપડા સસ્તા હોવાના કારણે એશિયાના ઘણા દેશોમાં સુરતી કપડાની ખૂબ માંગ છે. સુરતમાં બનતી સાડીઓ અને ડ્રેસ મટિરિયલ્સની અમેરિકા અને યુરોપમાં પણ નિકાસ થાય છે. શ્રીલંકામાં પણ સુરતી કપડાંની ખૂબ માંગ છે. સુરતમાં બનતા કપડા ચેન્નાઇ ના વેપારીઓ ખરીદે છે અને ત્યાંથી શ્રીલંકામાં નિકાસ કરે છે.
આ ઉપરાંત ઘણા વેપારીઓ સુરતના વેપારીઓ પાસેથી એજન્ટો મારફત સીધો માલ ખરીદે છે, જે મુંબઈ કે દિલ્હી થઈને કોલંબો પહોંચે છે. ત્યાં લોકોની સામે જીવન જીવવા માટે મૂળભૂત વસ્તુઓની પણ અછત છે. શ્રીલંકામાં લોકો પેટ્રોલ, ડીઝલ, દવા, અનાજ વગેરે માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સુરતથી કપડા મોકલવાનું પણ બંધ થઈ ગયું છે.
ત્યાંના વેપારીઓ સુરતમાંથી મોટા પાયે સાડીઓ ખરીદે છે. પરંતુ આ દિવસોમાં શ્રીલંકામાં સ્થિતિ વણસેલી છે. ત્યાં રૂપિયાના અવમૂલ્યનને કારણે ત્યાંથી પેમેન્ટ આવતું બંધ થઈ ગયું છે. જેના કારણે અહીંના અનેક વેપારીઓને પેમેન્ટ મળતું નથી. બીજી તરફ ત્યાં શિપિંગ પણ બંધ થઈ ગયું છે. જેના કારણે સુરતના કાપડ બજારને ફટકો પડ્યો છે. સુરતની સાડીઓ મોટા પાયે શ્રીલંકામાં મોકલાતી હતી જે હવે બંધ થઈ ગઈ છે.
લોકડાઉન બાદથી શ્રીલંકા સાથે વેપાર નબળો છે
શ્રીલંકામાં સુરતના કપડાં મોટા પાયે વેચાય છે. કેટલાક વેપારીઓ ચેન્નાઈના વેપારીઓ પાસેથી સુરતનું કાપડ ખરીદે છે, જ્યારે કેટલાક વેપારીઓ સીધા શ્રીલંકાથી આવે છે અને નિકાસ માટે ઓર્ડર આપે છે. છેલ્લા બે વર્ષથી, કોરોનાની આર્થિક સ્થિતિને કારણે, શ્રીલંકાના વ્યવસાયમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જે વેપારીઓ ત્યાં અગાઉ માલ ખરીદવા આવતા હતા તેઓ પણ ઓછા જોવા મળે છે. આ પછી ત્યાં રાજકીય અને આર્થિક સંકટ ઊભું થયું છે. જેના કારણે સુરતના વેપારીઓને પણ હાલાકી ભોગવવી પડી છે. સુરતમાં બનેલા કપડા ઘણા દેશોમાં વેચાય છે. પરંતુ વેપારના દૃષ્ટિકોણથી શ્રીલંકા સુરત માટે સારું બજાર રહ્યું છે.
ત્યાંના વેપારીઓ ચેન્નાઈ, તિરુચિરાપલ્લીની મંડીઓમાંથી સુરતની સાડીઓ અને ડ્રેસ ખરીદે છે. ત્યાંથી 90 ટકા માલ પહેલા કોલંબો જાય છે, ત્યારબાદ નાની મંડીઓના વેપારીઓ માલ લઈ જાય છે. હાલમાં ત્યાંની આર્થિક કટોકટીના કારણે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગકારોના પેમેન્ટ અટવાઈ પડ્યા છે. એટલું જ નહીં, મોકલવામાં આવતા ઓર્ડર પણ બંધ થઈ ગયા છે. ત્યાંની સ્થિતિ ક્યારે સામાન્ય થઈ જશે તેની આગાહી કરવી મુશ્કેલ છે. ચેન્નાઇના વેપારીઓના 100 કરોડ રૂપિયા ત્યાં અટવાયેલા છે. એક અંદાજ મુજબ સુરતના વેપારીઓના 50 કરોડનું પેમેન્ટ પણ શ્રીલંકામાં અટવાયું છે. ખબર નથી કે તે ક્યારે ઉપલબ્ધ થશે.
આ પણ વાંચોઃ Valsad: ગુજરાતનું ચેરાપુંજી કહેવાતા કપરાડા તાલુકાના લોકોને દર વર્ષે ઉનાળામાં પાણી માટે વલખાં મારવાં પડે છે
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો