Surat : મેટ્રોની કામગીરી અને ઠેર-ઠેર ખોદકામ, રાજમાર્ગના વેપારીઓની સિઝન પહેલાં જ હાલત કફોડી

રાજમાર્ગના વેપારીઓની(Traders ) અગાઉ પણ એ ફરિયાદ રહી હતી કે કોરોના પછી માંડ માંડ ધંધો બેઠો થયો હતો, ત્યાં હવે મેટ્રોની કામગીરીને કારણે અમારા ધંધા પર અસર પડી છે.

Surat : મેટ્રોની કામગીરી અને ઠેર-ઠેર ખોદકામ, રાજમાર્ગના વેપારીઓની સિઝન પહેલાં જ હાલત કફોડી
Metro project work in Surat (File Image )
Follow Us:
| Updated on: Jul 04, 2022 | 3:25 PM

સુરત મહાનગર પાલિકા(SMC) દ્વારા  શહેરમાં મેટ્રોની કામગીરીના ધમધમાટ વચ્ચે હાલ ભાગળ (Bhagal ) રાજમાર્ગના વેપારીઓની હાલત કફોડી થવા પામી છે. એક તરફ મેટ્રો (Metro )કામગીરીને પગલે અડધો રસ્તો બ્લોક થઈ ગયો છે તો બીજી તરફ દુકાનની સામે જ ખોદકામને કારણે વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આગામી દિવસોમાં રક્ષાબંધન – ગણેશોત્સવ સહિતના તહેવારોની સિઝન વચ્ચે રાજમાર્ગમાં ટ્રાફિકની સમસ્યા સહિતની હાલાકીને કારણે વેપારીઓની ધંધા પર સીધી અસર પડે તેની ચિંતા સતાવી રહી છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી બાદ માંડ માંડ પાટે ચઢેલા વેપાર – ધંધા વચ્ચે રાજમાર્ગના વેપારીઓ માટે હજી અચ્છે દિન દુર હોય તેવું ભાસી રહ્યું છે. હાલ ચોમાસાની સિઝનના પ્રારંભ વચ્ચે મેટ્રોની કામગીરીને પગલે અડધો રસ્તો બ્લોક થઈ જવા પામ્યો છે ત્યારે બીજી તરફ ખોદકામને કારણે ટુવ્હીલરો પણ રસ્તા વચ્ચે પાર્ક કરવાની નોબત આવી છે.

આ સ્થિતિમાં આગામી દિવસોમાં તહેવારોની સિઝન છતાં ખરીદદારો ટ્રાફિક જામની સ્થિતિને પગલે રાજમાર્ગથી બે ગજ અંતર રાખે તેવી ચિંતા વેપારીઓની સતાવી રહી છે. રક્ષાબંધન, નવરાત્રી અને ગણેશોત્સવ સહિતની ખરીદી જુલાઈ મહિનાના અંતથી શરૂ થઈ જતી હોય છે તેમ છતાં હજી આગામી દિવસોમાં આ હાલાકી દુર થાય તેવી શક્યતા નહિવત હોવાને કારણે વેપારીઓના આ વર્ષે સિઝનનો ધંધો નિષ્ફળ જાય તેવી ભીતિ સતાવી રહી છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

રાજમાર્ગના વેપારીઓની અગાઉ પણ એ ફરિયાદ રહી હતી કે કોરોના પછી માંડ માંડ ધંધો બેઠો થયો હતો, ત્યાં હવે મેટ્રોની કામગીરીને કારણે અમારા ધંધા પર અસર પડી છે. ચોમાસા દરમ્યાન તો વધારે હાલાકી પડી રહી છે. આગામી દિવસોમાં તેની અસર અમારા ધંધા પર પડશે. અન્ય એક વેપારીનું કહેવું છે કે અમારો મેટ્રો પ્રોજેક્ટ સામે  કોઈ વિરોધ નથી. વિકાસના કામમાં અમે અવરોધરૂપ થવા માંગતા પણ નથી. પરંતુ અમારા ધંધા રોજગાર પર તેની અસર પડી રહી છે તે ખોટું છે. હાલ ચોમાસામાં પણ મેટ્રોની કામગીરી કોર્પોરેશન દ્વારા ચાલુ રાખવામાં આવી છે. અને ખોદકામ કરવાથી મુશ્કેલીઓ ઓર વધી છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">