Surat : મેટાસ એડવેન્ટિસ્ટના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ કાર્ડ ન આપતાં વાલીઓની કલેકટરને રજુઆત
છેલ્લા ઘણા સમયથી શહેરના અઠવા લાઈન્સ ખાતે આવેલ મેટાસ એડવેન્ટિસ્ટમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના પ્રવેશ કાર્ડ ન આપવામાં આવતાં વાલીઓમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે.
Surat : શહેરના અઠવા લાઈન્સ ખાતે આવેલ મેટાસ એડવેન્ટિસ્ટ શાળાના (Matas Adventist School)સંચાલકો અને વાલીઓ વચ્ચેનો ગજગ્રાહ દિવસે ને દિવસે વધુ ઘેરો બની રહ્યો છે. વાલીઓ દ્વારા નિશ્ચિત ફી (fee) ભરવા છતાં શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને પ્રવેશ કાર્ડ આપવામાં આનાકાની કરવામાં આવી રહ્યાના આક્ષેપ સાથે આજે શિક્ષણાધિકારીને (Education Officer) રજુઆત કરવામાં આવી હતી.
છેલ્લા ઘણા સમયથી શહેરના અઠવા લાઈન્સ ખાતે આવેલ મેટાસ એડવેન્ટિસ્ટમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના પ્રવેશ કાર્ડ ન આપવામાં આવતાં વાલીઓમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. હાલમાં જ શાળામાં વાલીઓ અને સંચાલકો વચ્ચે આ મુદ્દે ભારે વિરોધ થતાં કેમ્પસ બહાર ક્રોધે ભરાયેલા વાલીઓ દ્વારા રામધૂનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જોકે, આજે મોટી સંખ્યામાં વાલીઓએ એકઠાં થઈને સૂત્રોચ્ચાર સાથે જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ આ મુદ્દે રજુઆત કરી હતી. એફઆરસી કમિટી દ્વારા પણ આ મુદ્દે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે વાલીઓએ જણાવ્યું હતું કે, ફી મુદ્દે શાળાના સંચાલકો દ્વારા ધરાર મનમાની કરવામાં આવી રહી છે.
વાલીઓના કહેવા મુજબ શાળાની ફી નિર્ધારણ માટે ફી કમિટી બનાવવામાં આવી હતી પરંતુ ધીમે ધીમે તમામ શાળાઓની ફી તેમના મન પ્રમાણે નક્કી કરવામાં આવી રહી છે. આમાં માતા-પિતાને કોઈ ફાયદો નથી. સુરત સહિત દક્ષિણ ગુજરાતની 2000 જેટલી શાળાઓની ફી નક્કી કરવાની જવાબદારી FRCની છે. જો કે, ઘણી શાળાઓ સમિતિના નિર્ણયનું પાલન કરતી નથી અને તેમની પસંદગી મુજબ ફી વસૂલ કરે છે.
શાળા દ્વારા નિશ્ચિત કરવામાં આવેલ ફી ભરવા છતાં હજી પણ ક્લાસનું પ્રવેશ કાર્ડ આપવામાં આવ્યું નથી. જેને પગલે આજે સૂત્રોચ્ચાર સાથે વાલીઓએ મોરચો કાઢીને જિલ્લા કલેકટર સહિત ડીઈઓને રજુઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી.
આ પણ વાંચો : Chaitri Navratri : જગદંબાની આરાધનામાં જો નહીં રાખો આ સાવધાની તો ભારે પડશે આદ્યશક્તિની નારાજગી !