Surat : અફઘાની સુકામેવાની આયાત અટવાઈ, ભાવમાં 35 થી 40 ટકાનો વધારો
અફઘાનિસ્તાનમાં મચેલી અરાજકતાએ સામા તહેવારે ભારતમાં અને શહેરોમાં ડ્રાયફ્રૂટના ભાવોમાં પણ વધારો કરી દીધો છે.
અફઘાનિસ્તાનમાં(Afghanistan ) તાલિબાનોએ કબ્જો જમાવી લીધો છે. અફઘાનિસ્તાનના લોકો ડરના માર્યા હિજરત કરી રહ્યા છે. ભારતનો અફઘાનિસ્તાન સાથે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધ છે. બંને દેશોના વ્યાપારિક સંબંધો પણ ખુબ જુના છે. ભારત અફઘાનિસ્તાનનો નેચરલ ટ્રેડિંગ પાર્ટનર છે અને દક્ષિણ એશિયામાં અફઘાનિસ્તાનના ઉત્પાદનોનું સૌથી મોટું બજાર છે. જોકે અફઘાનિસ્તાની હાલતના કારણે ડ્રાયફ્રૂટમાં મોટા પાયે ભાવ વધારો થયો છે.
બદામની આયાત અમેરિકાથી કરવામાં આવે છે. પરંતુ અફઘાનિસ્તાનમાં તાલિબાનોના આતંક બાદ હાલ સુકામેવાના ભાવમાં 20 ટકાનો ભાવવધારો થયો છે. અફઘાનિસ્ણાતાનમાંથી પિસ્તા, બદામ, અંજીર, અખરોટ, કીસમીસ જેવા ડ્રાયફ્રુટ મંગાવવામાં આવે છે. છેલ્લા પંદર દિવસથી અફઘાનિસ્તાનમાંથી આયાત થઇ શકી નથી. જેના કારણે બજારમાં સુકામેવાની અછત પણ સર્જાઈ છે. આગામી દિવસોમાં તહેવારો પણ શરૂ થવા જઈ રહ્યા છે.
ભારતીય પરંપરા મુજબ મીઠાઈઓમાં ડ્રાયફ્રૂટનો (Dryfruits ) ઉપયોગ થાય છે તેમજ સંબંધીઓને પણ ભેંટ સ્વરૂપે સુકામેવા આપવામાં આવે છે. ત્યારે આ ભાવવધારો સુકામેવા આધારિત તમામ વસ્તુને પ્રભાવિત કરી શકે છે. ત્યારે હવે સરકાર જ કોઈ નક્કર પગલાં લઇ શકે છે.
સુરતના ડ્રાયફ્રૂટના વેપારીનું કહેવું છે કે અફઘાનિસ્તામાં મચેલ ઉથલપાથલને કારણે સૂકા મેવાની આયાત બંધ થઇ ગઈ છે. જેના કારણે આખા ભારતમાં ડ્રાયફ્રૂટના ભાવમાં ધરખમ વધારો થયો છે. અફઘાનિસ્તાન 500 થી વધુ વેપારીઓ છે. પરંતુ તાલિબાનોના કબ્જા બાદ તેઓ વેપાર ઘર બધું છોડી પરિવાર સાથે હિજરત કરી રહ્યા છે. અનેક વેપારીઓ બોર્ડર પર હિજરત માટે આવી પહોંચ્યા છે. હાલ 35 થી 40 ટકા ભાવ વધ્યા છે. જો પરિસ્થિતિ કાબુમાં નહીં આવે તો હજી 20 ટકા ભાવ આગામી સમયમાં વધી શકે છે.
અફઘાની વેપારીઓની ખુબ કપરી હાલત છે. તેઓ પરિવાર સાથે બોર્ડર પર આવી ગયા છે. જેના કારણે ડ્રાયફ્રૂટના ભાવમાં મોટાપાયે વધારો થયો છે. ડ્રાયફ્રૂટનો માલ અફઘાનિસ્તાન, નવી ઇરાનમાંથી પાકિસ્તાન થઈને વાઘા બોર્ડર પર આવે છે. હાલ વાઘા બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. માલ બોર્ડર પર અટવાયો છે. આ ઉપરાંત હજી પણ ત્રીજી લહેરનો ડર રહેલો છે. તેને ધ્યાનમાં રાખીને પણ લોકો ડ્રાયફ્રુટ સ્ટોર કરી રહ્યા છે.
આ પણ વાંચો :