Surat : દિવાળીમાં GSRTC ને વધારાની બસો દોડાવીને ફાયદો, ત્રણ જ દિવસમાં 2.14 કરોડની થઇ આવક
જીએસઆરટીએસીના સુરત ડિવિઝનના ડાયરેક્ટર સંજય જોશીના જણાવ્યા પ્રમાણે દિવાળી તહેવાર દરમ્યાન મુસાફરોની ભારે ભીડને જોતા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર સહીત બીજા સ્થળો માટે બસો ચલાવવામાં આવી રહી છે.
ગુજરાત રાજ્ય રોડ પરિવહન નિગમ સુરત વિભાગની દિવાળી એડવાન્સ બુકિંગની સાથે સાથે ધનવર્ષા સારા પ્રમાણમાં થઇ છે. અત્યાર સુધી જીએસઆરટીસીએ 30 ઓક્ટોબરથી લઈને અત્યાર સુધી 1421 વધારાની બસો દોડાવીને ઓછામાં ઓછી 2.14 કરોડની વધારે રૂપિયાની આવક કરી છે. દિવાળી સ્પેશ્યલ બસોનુ સંચાલન સાંજે 4 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી લંબે હનુમાન રોડ ખાતે આવેલા એસટી બસ ડેપોથી કરવામાં આવી રહ્યું છે.
જીએસઆરટીએસીના સુરત ડિવિઝનના ડાયરેક્ટર સંજય જોશીના જણાવ્યા પ્રમાણે દિવાળી તહેવાર દરમ્યાન મુસાફરોની ભારે ભીડને જોતા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર સહીત બીજા સ્થળો માટે બસો ચલાવવામાં આવી રહી છે. સીઝન શરૂ થવાના પહેલા જ મુસાફરો દ્વારા 350 થી વધારાની બસોનું બુકીંગ કરી દેવામાં આવ્યું હતું.
હીરાના કારખાનામાં કામ કરનારા રત્નકલાકારો માટે સોસાયટીથી પોતાના ગામ સુધી બસો દોડાવવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે 30 ઓક્ટોબર સુધી સ્પેશ્યલ બસો દોડાવવામાં આવી રહી છે. પરંતુ 3 નવેમ્બરે સૌથી વધારે એક જ દિવસમાં 250 થી વધારે બસો રવાના કરવામાં આવી હતી. તેના કારણે ગુજરાત રાજ્ય રોડ પરિવહન નિગમ, સુરતને 39 લાખ 90 હજાર 760 રૂપિયાની આવક થઇ હતી.
સુરતથી અમરેલી, સાવરકુંડલા, ભાવનગર, મહુવા, ગારિયાધાર, જૂનાગઢ, રાજકોટ, તાલાળા , ગઢડા, જામનગર, અમદાવાદ, પાલનપોર, ઝાલોદ અને દાહોદ સહીત અલગ અલગ સ્થળ પર પહોંચવા માટે લોકો મોટી સંખ્યામાં બસ સ્ટેશન પહોંચી રહ્યા છે. આમ, દિવાળી સમયમાં વધારાની બસો દોડાવીને એસટી વિભાગને સૌથી વધારે આવક પણ થઇ છે.
નોંધનીય છે કે ગયા વર્ષે કોરોના તેમજ લોકડાઉનને કારણે લોકો દિવાળીમાં જઈ શક્યા ન હતા. પરંતુ હવે જયારે કેસો ઓછા થયા છે અને પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવ્યા છે. ત્યારે પોતાના વતન જવા તેમજ હરવા ફરવા જવા માટે સુરતીઓએ દોટ મૂકી છે. વતન કે ગામ જવાની સાથે સાથે ચાલુ વર્ષે દિવાળી વેકેશનમાં મિત્રો અને સબંધીઓ સાથે હરવા ફરવા માટે પણ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે અને આ જ કારણ છે કે સુરત રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર વધારાની બસો અને ટ્રેનોમાં મુસાફરોનો ભારે ધસારો દેખાઈ રહ્યો છે.
આ પણ વાંચો : Surat : દિવાળી પછી હવે છઠપૂજા માટે વતન જનારાઓને કારણે રેલવે સ્ટેશન પર જોવા મળી ભીડ
આ પણ વાંચો : Surat : રબર ગર્લ તરીકે ઓળખાતી આ દીવ્યાંગ બાળકીની અનોખી સિદ્ધિ, રાષ્ટ્રપતિના હસ્તે મળશે રાષ્ટ્રીય એવોર્ડ