Surat : કામરેજ નજીક ઝાડ પર વીજળી પડતા નીચે ઉભેલા પાંચ વ્યક્તિ બેભાન

સુરત (Surat )જિલ્લા ના કામરેજ માં ગત રોજ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. દરમિયાન કામરેજના કોળી ભરથાણા ગામે (Koli Bharathana village) વીજળી પાડવાનો બનાવ બન્યો હતો.

Surat : કામરેજ નજીક ઝાડ પર વીજળી પડતા નીચે ઉભેલા પાંચ વ્યક્તિ બેભાન
Surat: Five people standing unconscious after lightning struck a tree near Kamrej
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2022 | 2:49 PM

લાંબા વિરામ બાદ સુરત (Surat ) શહેર અને જિલ્લામાં (District ) ફરી એકવાર વરસાદી (Rain ) માહોલ જોવા મળ્યો હતો. નજીવા સમય માટે વરસેલા વરસાદને કારણે ઠેર ઠેર પાણી પાણી પણ થઇ ગયા હતા. પણ કામરેજના ભરથાણા (Koli Bharathana village) ગામમાં વીજળી પડવાના બનાવમાં ઝાડ નીચે ઉભેલા પાંચ વ્યક્તિઓ બેભાન થઇ ગયા હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા.

કામરેજના ભરથાણા ગામમાં પડી વીજળી :

ભારે વરસતા વરસાદમાં અનેક વાર વીજળી પડવાના બનાવ પણ બનતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ કામરેજમાં બન્યો હતો. જ્યાં ગુરુવારે વરસેલા ભારે વરસાદમાં એક ઝાડ પર વીજળી પડી હતી. જે સમયે વીજળી પડી તે સમયે ઝાડ નીચે પાંચ વ્યક્તિઓ વરસાદથી બચવા માટે ઉભા હતા. જોકે વીજળી પડતા તેઓ બેભાન થઇ ગયા હતા. જોકે સદનસીબે કોઈ મોટી દુર્ઘટના બની ન હતી.

વીજળી પડતા પાંચ વ્યક્તિઓ થયા બેભાન :

સુરત જિલ્લા ના કામરેજ માં ગત રોજ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. દરમિયાન કામરેજ ના કોળી ભરથાણા ગામે વીજળી પાડવાનો બનાવ બન્યો હતો. કોળી ભરથાણા ગામે હળપતિ વાસ માં એક ઝાડ નીચે ઉભેલા 5 વ્યક્તિ ઓ વરસાદ થી બચવા ઊભા હતા તે સમયે એ જ ઝાડ પર વીજળી પડતાં 5 વ્યક્તિ બેભાન થતા તમામ ને તાત્કાલિક ઇજાગ્રસ્ત હાલત માં સારવાર અર્થે નજીક ની ખાનગી દીનબંધુ  હોસ્પિટલ માં ખસેડાયા હતા.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

હાલ તમામની તબિયત સુધારા પર :

પાંચ ઇજાગ્રસ્તો માં એક યુવતી, એક બાળક, અને ત્રણ યુવક નો સમાવેશ થાય છે. તમામ હાલ સારવાર હેઠળ છે. અને તેઓ ની તબિયત પણ હાલ સુધારા પર હોવાનું બહાર આવ્યું છે. હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા લોકોના નામ રીંકલ શંકરભાઈ રાઠોડ, રોહિત છનાભાઈ રાઠોડ, મનોજ અરવિંદભાઈ રાઠોડ, રવિ કાળુ ભાઈ રાઠોડ, અને રાહુલભાઈ સુનિલભાઈ વાઘેલાનો સમાવેશ થાય છે.

Input Credit Jignesh Mehta (Bardoli )

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">