Surat: કોરોના સામે લડાઈ હજી યથાવત, રવિવારે મેગા વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન

શહેરમાં (Surat) હજી વેક્સીન ન લઇ શકેલા 6.50 લાખ લોકો માટે મનપા રવિવારના રોજ મેગા વેક્સીનેશન કેમ્પ કરશે, અત્યાર સુધી મનપાના 53 હેલ્થ સેન્ટરો પરથી વેક્સીન અપાતી હતી, રવિવારના રોજ 232 સેન્ટરો પરથી વેક્સીન અપાશે.

Surat: કોરોના સામે લડાઈ હજી યથાવત, રવિવારે મેગા વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન
Mega Vaccination Drive(File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2022 | 8:18 AM

કોરોના(Corona ) મહામારીની હજી સત્તાવાર વિદાય થઈ નથી. સુરતમાં આમ જોવો તો કોરોનાના કેસો (Case) બાબતે સ્થિતિ પ્રમાણમાં સારી છે, છતાં સુરતની(Surat) આસપાસના ગુજરાતના અન્ય શહેરોમાં કોરોનાના કેસો ફરી માથું ઊંચકી રહ્યા છે. સુરતમાં કોરોના નિયંત્રણ હેઠળ હોવા છતાં રોજના એકલ દોકલ કેસ દેખાઈ દઈ રહ્યા છે. કોરોના સામે લડવા માટે વેક્સીન એકમાત્ર હથિયાર છે છતાં શહેરમાં 6.50 લાખ લોકો એવા છે કે જેઓએ હજી સુધી વેક્સીનનો પ્રથમ અથવા બીજો ડોઝ પણ નથી લીધો. એવી જ રીતે ઘણા લોકો એવા છે જેમણે બંને ડોઝ લઇ લીધા છે પણ તેમના બુસ્ટર ડોઝ લેવાના પણ બાકી જ છે.

જેના પરિણામે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે તકેદારીના ભાગરૂપે રવિવારે શહેરના 232 કેન્દ્રો ઉપરથી મેગા વેક્સીનેશન ડ્રાઈવનું આયોજન કર્યું છે. 18 વર્ષથી વધુ ઉંમરના લોકોની જ વાત કરીએ તો પ્રથમ ડોઝ 41.50 લાખ લોકોએ લીધો હતો, જ્યારે, બીજો ડોઝ 37.43 લાખ લોકોએ જ લીધો છે. આ લોકોનો બીજો ડોઝ જ બાકી હોવાથી સ્વાભાવિક રીતે તેમનો પ્રિકોશન એટલે કે બુસ્ટર ડોઝ લેવાનો બાકી છે.

સુરતના 6.50 લાખ લોકોએ પ્રથમ કે બીજો ડોઝ લીંધો નથીઃ 1.51 લાખ લોકોએ પ્રિકોશનરી ડોઝ લીધો

આજ રીતે 15થી 17 વર્ષના બાળકોની વાત કરીએ તો આ વયજૂથના અંદાજીત કુલ 1,95,617 બાળકો સુરતમાં છે. જેમાંથી પ્રથમ ડોઝ 91 ટકા બાળકોએ એટલે કે 1,77,984 બાળકોએ લીધો હતો. આ પ્રથમ ડોઝ પૈકી બીજો ડોઝ, એથી પણ ઓછા એટલે કે 83 ટકા મુજબ 1,47,537 બાળકોએ જ લીધો છે. સરકારે હવે 12થી 14 વર્ષની વયના બાળકો માટે પણ વેક્સીન લોન્ચ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

સુરતમાં 12 વર્ષથી 15 વર્ષની વયજૂથના 1,31,661 બાળકો છે. જેમાંથી 91 ટકા એટલે કે 1,20,097 બાળકોએ જ પ્રથમ ડોઝ લીધો છે. જ્યારે બીજો ડોઝ માત્ર 63 ટકા, એટલે કે 75,573 બાળકોએ લીધો છે. 60 વર્ષથી વધુ વયના વડીલો તેમજ હેલ્થ વર્કર, ફ્રન્ટ લાઈન વર્કરો સહિત અંદાજે 1,43,041 લોકોએ ત્રીજો પ્રિકોશનરી ડોઝ લીધો છે અને 18થી 59 વર્ષની વયજૂથના લોકોમાં 8,239 લોકોએ ત્રીજો ડોઝ લીધો છે. આમ કુલ 1,51,280 લોકોએ જ શહેરમાં પ્રિકોશનરી ડોઝ લીધો છે.  શહેરના 232 કેન્દ્રો ઉપર રસીકરણ કરાશે

શહેરના 232 કેન્દ્રો પરથી મેગા વેક્સિનેશન કેમ્પ હાથ ધરાશે

વેક્સીનની વાત કરીએ તો મનપા પાસે હાલ કોર્બવેક્સનો વેક્સીનનો 17,920 ડોઝનો સ્ટોક છે. કોવેક્સીનનો 17,390 ડોઝનો સ્ટોક છે. જયારે બાળકોને અપાતી ડોઝનો 45,280 ડોઝનો સ્ટોક છે. શહેરમાં હજી વેક્સીન ન લઇ શકેલા 6.50 લાખ લોકો માટે મનપા રવિવારના રોજ મેગા વેક્સીનેશન કેમ્પ કરશે, અત્યાર સુધી મનપાના 53 હેલ્થ સેન્ટરો પરથી વેક્સીન અપાતી હતી, રવિવારના રોજ 232 સેન્ટરો પરથી વેક્સીન અપાશે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">