Surat : VNSGU એ કરેલ ટ્યુશન ફીનો 10 ટકા વધારો પરત ખેંચવા માંગ

કોરોનાની (Corona ) મહામારી માંડ માડ ઓછી થઇ છે, જેમાં અનેક પરિવારો આર્થિક રીતે પાયમાલ થયા હોય, મોઘવારી પણ વધી હોય તેવા સંજોગોમાં યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા 10 ટકા ટયુશન ફી વધારાને પાછો ખેંચવો જરૂરી છે.

Surat : VNSGU એ કરેલ ટ્યુશન ફીનો 10 ટકા વધારો પરત ખેંચવા માંગ
Veer Narmad South Gujarat University (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 9:23 AM

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા ટયુશન ફી (Tuition Fee )માં 10 ટકાનો કરવામાં આવેલો વધારો પાછો ખેંચવા માટે કુલપતિને (VC) રજૂઆત કરવામાં આવી હતી. નર્મદ યુનિવર્સીટીએ ટ્યુશન ફીમાં ઝીંકેલો 10 ટકા વધારો પરત ખેંચવા રજુઆત કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે તમામ અભ્યાસક્રમોમાં અંદાજે 50 હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ કે જે હાલમાં જ માંડ માંડ કોરોના મહામારીના નો સામનો કરીને ઉભા થયા છે, તેવા સમયમાં 10 ટકાનો ટયુશન ફી વધારો અસહ્ય બન્યો છે. જો ફિ વધારો પરત નહી ખેચાય તો આગામી દિવસોમાં આંદોલન કરવાની વિદ્યાર્થીઓને ફરજ પડશે તેવી પણ રજૂઆત કરાઈ છે.

તમામ કોલેજોને 10 ટકા સુધીની ટયુશન ફી વધારવાની છુટ આપવામાં આવતા શોપિંગ સેન્ટરમાં ચાલતી અને તમામ નિયમોને અનુસરતી કોલેજોને એકસરખો ફી વધારો આપી યુનિવર્સીટીએ શિક્ષણ માફિયાઓને છાવરતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે.

સેનેટ સભ્ય ભાવેશ રબારીએ 10 ટકાનો ફી વધારા સંદર્ભે કુલપતિને કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યું હતુ કે નાણાં સમિતિની ભલામણને આધારે એકેડેમીક કાઉન્સીલ અને સિન્ડિકેટની સભા દ્વારા નવા સત્રથી કોઈપણ યુનિવર્સિટીઝ ફી વધારા કે ઘટાડાનો નિર્ણય એફ.આર.સી. એટલે કે ફી નિર્ધારણ કમીટી દ્વારા જ લેવામાં આવતો હોય છે અને આપણી યુનિવર્સિટીમાં આ કમીટી માત્ર નામની બનાવી દેવામાં આવી હોય એમ માત્ર એક જ મીટીંગ કરી ત્યારબાદ કોઈ મીટીંગ પણ કરવામાં આવી નથી.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

સેનેટ સભ્યે રજૂઆત કરતા વધુમાં જણાવ્યું હતુ કે કોરોનાની મહામારી માંડ માડ ઓછી થઇ છે, જેમાં અનેક પરિવારો આર્થિક રીતે પાયમાલ થયા હોય, મોઘવારી પણ વધી હોય તેવા સંજોગોમાં યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા 10 ટકા ટયુશન ફી વધારાને પાછો ખેંચવો જરૂરી છે.

તેઓએ વધુમાં ઉમેર્યું છે કે આ ફી વધારાથી આગળ અભ્યાસ કરવા માંગતા સામાન્ય વિદ્યાર્થીઓને પણ ઘણી આર્થિક મુશ્કેલી ઉભી થશે. જેથી આ ફી વધારો પાછો ખેંચવામાં આવે, નહીં તો આ મામલે આગામી દિવસોમાં ઉગ્ર રજૂઆતો પણ કરવામાં આવશે.

આ પણ વાંચો :  Kutch : ખેડુતોનું દુધઇ કેનાલની અધૂરી કામગીરી પૂર્ણ કરવા સરકારને અલ્ટિમેટમ, નહી તો આંદોલનની ચીમકી  

આ પણ વાંચો :  Ahmedabad: 16 મહિનાના બાળકના ફેફસાની દુર્લભ ગાંઠ સર્જરી કરી ડોકટરોએ દૂર કરી, બાળકને નવજીવન બક્ષ્યુ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">