Surat : મ્યુનિસિપલ કમિશનરના નામે રૂપિયાની માંગણી, ઠગબાજે આરોગ્ય અધિકારીને ફોન કરતા ભાંડો ફૂટ્યો

સુરત (Surat )શહેરના ઇતિહાસમાં સંભવત પ્રથમ વાર એવું બન્યું છે કે પૈસા માંગનાર ઠગબાજે સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના નામે ફોન અને મેસેજ કરી પૈસાની માગણી કરી છે.

Surat : મ્યુનિસિપલ કમિશનરના નામે રૂપિયાની માંગણી, ઠગબાજે આરોગ્ય અધિકારીને ફોન કરતા ભાંડો ફૂટ્યો
Municipal Commissioner of Surat (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2022 | 9:10 PM

શહેરીજનોને ફોન કરી અલગ- ઓનલાઇન(Online ) ઠગાઈ કરતા ઠગબાજો હવે આઈએએસ(IAS) ઓફિસરને પણ -છોડતા નથી. સુરત (Surat )શહેરના સંભવત પ્રથમ વાર એવો કેસ સામે આવ્યો છે કે જેમાં ઠગબાજ ફોન કરી આઈએએસ ઓફિસર સુરત મ્યુનિસિપલ કમિશનર નામ પૈસાની માગણી કરી છે. જોકે ઠગબાજે આ ફોન સુરત મહાનગરપાલિકાના જ આરોગ્ય અધિકારીને કરતા સમગ્ર -ભાંડો ફૂટી ગયો હતો. બનાવને પગલે સુરત મ્યુનિસિપલ કમિશનર તાત્કાલિક સોશિયલ મીડિયા મારફતે શહેરીજનોને અપીલ કરી હતી કે તેમના કોઈ પણ ફોન કે મેસેજ આવે તો તેને માન્ય રાખવો નહીં.

હાલ તો ફોન કરનાર ઈસમ સામે સુરત મ્યુનિસિપલ કમિશનરના પીએએ સાયબર ક્રાઇમમાં લેખિતમાં અરજી આપી દીધી છે. પોલીસે આગળની તપાસ પોલીસે શરૂ કરી છે. સુરત શહેરના સાયબર ક્રાઇમ પોલીસ મથક અને ક્રાઈમ બ્રાંચ પોલીસ મથકે અનેક ફરિયાદો ઓનલાઇન ઠગાઈની નોંધાતી હોય છે. પરંતુ સુરત શહેરના ઇતિહાસમાં સંભવત પ્રથમ વાર એવું બન્યું છે કે પૈસા માંગનાર ઠગબાજે સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના નામે ફોન અને મેસેજ કરી પૈસાની માગણી કરી છે. બન્યું એવું કે સુરત મહાનગરપાલિકામાં જ આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા એક અધિકારી પર ફોન આવ્યો હતો અને કમિશનરશ્રીના અગ્ર રહસ્ય સચિવ ફોન કરનાર અજાણ્યા ઈસમે પોતાની ઓળખ સુરત મ્યુનિસિપલ કમિશનર આઇ.એ.એસ ઓફિસર બંછાનીધી પાની તરીકે આપી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ત્યારબાદ આ ઈસમે તેને તાત્કાલિક પૈસાની જરૂર છે તેમ કહી આરોગ્ય અધિકારી પાસે પૈસાની માંગણી કરી હતી. જેથી આરોગ્ય અધિકારીને ફોન કરનાર અજાણ્યા ઈસમ પર શંકા જતા તેમણે સુરત મ્યુનિસિપલ કમિશનરને ફોન કરી આ વાત અંગે ધ્યાન દોર્યું હતું. જેથી સુરત મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક આ અજાણ્યા નંબર સાથેનો એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જે મેસેજમાં સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે આ નંબર તેમનો નથી. જેથી જો કોઈને પણ તેમના નામે ફોન કરી અથવા મેસેજ કરી પૈસાની માગણી કરવામાં આવે તો તેને ધ્યાન પર ન લેવા સુરત મ્યુનિસિપલ કમિશનરે શહેરીજનોને અપીલ કરી છે.

મ્યુનિસિપલ કમિશનરે પોલીસ કમિશનરને જાણ કરી

હાલ તો પ્રાથમિક તપાસમાં ફોન કરનાર ઈસમ રાજસ્થાન બાજુનો હોવાનું અજાણ્યા ઈસમ દ્વારા મ્યુ.કમિશનરના નામે ફોન કરી પૈસાની માંગણી કરવામાં આવતી હોવાની જાણ થતાની સાથે જ તેઓએ તાત્કાલિક પોલીસ કમિશનર અજયકુમાર તોમને ફોન કરી આ વાતની જાણ કરી હતી. આ ઉપરાંત તેઓએ પીએ દ્વારા સાઇબર ક્રાઇમ પોલીસમાં અરજી કરી છે જેથી પોલીસે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મનપા કમિશનરના નામે પૈસા મંગાવામાં આવતા પોલીસ તંત્ર પણ હરકતમાં આવી ગયું છે.

.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">