સુરત કોર્પોરેશને ફરી કોરોના ટેસ્ટિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, રેલ્વે સ્ટેશન સહિત અનેક સ્થળોએ ટેસ્ટિંગ શરૂ કરાયું

સુરતથી ફરવા ગયેલા શહેરીજનો કોરોના લઈને ન આવે તે માટે સુરત એરપોર્ટ, રેલવે સ્ટેશન અને એસટી ડેપો સહિત જુદી-જુદી ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2021 | 4:17 PM

ગુજરાતમાં(Gujarat)કોરોના(Corona)કેસમાં ફરી ધીરે ધીરે વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ દિવાળીના(Diwali) વેકેશનના હરવા ફરવાના સ્થળો પર લોકો મોટી સંખ્યામાં એકત્ર થવાના અહેવાલો પણ સામે આવ્યા છે. તેમજ હાલ દિવાળીમાં બહારગામ ફરવા ગયેલા સુરતીઓએ(Surat)હવે પરત ફરવાનું શરૂ કરી દીધુ છે.

તેમજ બહારગામથી પરત ફરી રહેલા સુરતથી ફરવા ગયેલા  શહેરી જનો કોરોના લઈને ન આવે તે માટે સુરત એરપોર્ટ, રેલવે સ્ટેશન અને એસટી ડેપો સહિત જુદી-જુદી ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં સુરત મહાનગર પાલિકા દ્વારા શંકાસ્પદ લોકોનો સ્થળ પર જ રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે

જોકે હજુ સુધી કોઈ મુસાફરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. જેમાં સોમવારે રેલવે સ્ટેશન પર 250, બસ ડેપો પર 250 ટેસ્ટિંગ કીટ ઉપયોગમાં લેવાઇ હતી. એરપોર્ટ પર ઉતરેલા 293 યાત્રીઓમાંથી 13 લોકોનો રેપિડ ટેસ્ટ કરાયો હતો. જે તમામનો રિપોર્ટ નેગિટિવ આવ્યો હતો.

ગુજરાતમાં કોરોના વાયરસના કેસો ફરી એકવાર વધી રહ્યા હોવાનું આંકડા સૂચવી રહ્યા છે.  જેમાં સોમવારે  છેલ્લા 24 કલાકમાં 29 કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે અને 41 લોકો સાજા થયા  છે. રાજયમાં અત્યાર સુધીમાં કુલ 8.16,457 દર્દીઓ કોરોનાને  હરાવી  ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 98.75 ટકાએ પહોંચી ચુક્યો છે.

આ પણ વાંચો : અમદાવાદમાં સાબરમતી કિનારે છઠ પૂજાને લઈને કોર્પોરેશને અલગથી વ્યવસ્થા કરી

આ પણ વાંચો : મોડાસાના ડેપ્યુટી કલેકટરની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી, જાણો શું છે મામલો

Follow Us:
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">