Surat : શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાના કેસોની સંખ્યા વધી, પોઝિટિવિટી રેટ વધીને 2 ટકા થયો, કોર્પોરેશને ટેસ્ટિંગ પણ વધાર્યું

સુરતમાં કોરોનાના(Corona) કેસમાં વધારો થતાં હોસ્પિટલે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મ્યુનિસિપલ હેલ્થ વિભાગે જણાવ્યું હતું કે ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.

Surat : શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાના કેસોની સંખ્યા વધી, પોઝિટિવિટી રેટ વધીને 2 ટકા થયો, કોર્પોરેશને ટેસ્ટિંગ પણ વધાર્યું
Surat Corona UpdateImage Credit source: File Image
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 24, 2022 | 8:36 PM

સુરત  (Surat) શહેરમાં કોરોનાના (Corona) દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં લક્ષણો વગરના કોરોનાના દર્દીઓ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. સુરત કોર્પોરેશનના(SMC)હેલ્થ વિભાગે દરરોજ ટેસ્ટની સંખ્યા વધારીને 2200 કરી છે.જો કે હાલમાં, કોઈ માસ ટેસ્ટિંગ ચાલી રહ્યું નથી. હોસ્પિટલોમાં પરીક્ષણ માટે આવતા દર્દીઓમાંથી, દરરોજ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 50 ની નજીક પહોંચી ગઈ છે. આજે પણ સુરતમાં કોરોનાના 59 દર્દીઓ અને ગ્રામ્યમાં નવા 15 દર્દીઓ નોંધાયા છે.આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, સુરતમાં પોઝિટીવીટી દર વધીને લગભગ 2 ટકા થયો છે, જે એક અઠવાડિયા પહેલા એક ટકા કરતા પણ ઓછો હતો.

અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો

દેશના વિવિધ ભાગોમાં કોરોના ફરી વધી રહ્યો છે અને તેને ચોથી લહેર તરીકે જોવામાં આવી રહી છે. ગુજરાતમાં ચાર મહિના બાદ ફરી એકવાર કોરોના સંક્રમિતોનો આંકડો 400ને વટાવી ગયો છે. જેમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવી રહ્યા છે.નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં પણ વ્યવસ્થા વધારવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે દવા વિભાગ, પલ્મોનરી વિભાગના તબીબોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હોસ્ટેસ, નોકર, સિક્યુરીટી સહિત અન્ય સ્ટાફની નિમણૂંક કરવામાં આવી છે. શહેરમાં મોટાભાગના કોરોના દર્દીઓ ઘરે જ સારવાર લઈને સ્વસ્થ થઈ રહ્યા છે.

કોરોના ટેસ્ટની સંખ્યા 2200 કરવામાં આવી

કોરોનાના કેસમાં વધારો થતાં હોસ્પિટલે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મ્યુનિસિપલ હેલ્થ વિભાગે જણાવ્યું હતું કે ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. જૂનના પહેલા સપ્તાહમાં એક હજાર ટેસ્ટ કરવામાં આવી રહ્યા હતા, જ્યારે હવે ટેસ્ટની સંખ્યા 2200 કરવામાં આવી છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

અધિકારીઓએ જણાવ્યું કે ટેસ્ટિંગ વધવાથી કોરોના સંક્રમિતોની સંખ્યામાં પણ વધારો થયો છે. પોઝિટિવિટી રેટ પણ વધીને લગભગ 2 ટકા થયો છે. તેમણે જણાવ્યું કે માસ ટેસ્ટિંગ હજુ શરૂ કરવામાં આવ્યું નથી, પરંતુ તાવ, શરદી અને ઉધરસ અને અન્ય લક્ષણોના લક્ષણો અનુસાર, RTPCR અને રેપિડ એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવે છે. આમાં હવે દરરોજ 45-50 પોઝિટિવ મળી રહ્યા છે. જો કે હાલમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા નહિવત છે.

હોસ્પિટલ અને સરકારી ઓફિસમાં માસ્કની અવગણના

સુરત શહેર જ નહીં પરંતુ જિલ્લા અને રાજ્યભરની સરકારી કચેરીઓ અને હોસ્પિટલોમાં સ્ટાફના તબીબો, દર્દીઓ અને તેમના સગાંઓ માસ્ક પ્રત્યે બેદરકારી દાખવી રહ્યા છે. રેલ્વે સ્ટેશન, મોલ, શાક માર્કેટ સહિતના ગીચ જાહેર સ્થળોએ પણ મોટાભાગના લોકો માસ્ક વગર ફરતા નજરે પડે છે. દિવસે દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે કોરોના ઓપીડીમાં આવતા દર્દીઓ વધ્યા છે. તાવ, શરદી-ખાંસી, શરીરમાં દુખાવો અને નબળાઈ સહિતના અન્ય લક્ષણો લોકોમાં જોવા મળી રહ્યા છે. ઘણી વખત લક્ષણો હોવા છતાં, રિપોર્ટ નેગેટિવ આવે તો પણ દર્દીએ માસ્ક પહેરવું જ જોઈએ, તેવું તબીબો જણાવી રહ્યા છે.

શરદી-ખાંસીના દર્દીઓએ માસ્ક પહેરવાનું શરૂ કરવું જોઈએ. તાજેતરમાં, કોવિડના કેસોમાં વધારાને કારણે સ્ટેમ સેલ બિલ્ડિંગમાં ઇન્ડોર, ઓપીડી, આઈસીયુ અને વોર્ડમાં ડોકટરોની સંખ્યા વધારી દેવામાં આવી છે. એક્સ-રે ટેકનિશિયન પણ વધી ગયા છે. તાજેતરમાં 6 પોઝિટિવ ભરતી થયા છે, જેમાંથી એકની હાલત ગંભીર છે. તેમને વેન્ટિલેટર પર સારવાર આપવામાં આવી રહી છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">