Surat: કોરોનાના કેસો ઘટવા લાગ્યા, વેકસીનેશનની કામગીરીએ રફતાર પકડી

સુરતમાં 68 દિવસ પછી કોરોનાના 267 નવા કેસ સામે આવ્યા છે. આ પહેલાં 15 માર્ચે 262 કેસ નોંધાયા હતા. સોમવારે શહેરમાં 181 અને જિલ્લામાં 86 નવા દર્દીઓ નોંધાયા હતા.

Surat: કોરોનાના કેસો ઘટવા લાગ્યા, વેકસીનેશનની કામગીરીએ રફતાર પકડી
File Photo
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 25, 2021 | 1:32 PM

સુરતમાં 68 દિવસ પછી કોરોનાના (Corona Cases) 267 નવા કેસ સામે આવ્યા છે. આ પહેલાં 15 માર્ચે 262 કેસ નોંધાયા હતા. સોમવારે શહેરમાં 181 અને જિલ્લામાં 86 નવા દર્દીઓ નોંધાયા હતા. અત્યાર સુધી 1,38,809 પોઝિટિવ દર્દીઓ નોંધાઇ ચુક્યા છે. ત્યાં શહેરમાં 2 અને જિલ્લા માં 4 એટલે કે છ દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધી 2040 વ્યક્તિઓના કોરોનાથી મોત થયા છે.

મે મહિનામાં આ પાંચમી વખત છે, જ્યારે કોરોનાથી મોતનો આંકડો સિંગલ ડિજિટમાં નોંધાયો છે. 631 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે અને અત્યાર સુધી 1,31,640 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. હાલ 5129 એક્ટિવ દર્દીઓની સારવાર ચાલી રહી છે.

કોરોનાના ઘટતાં કેસોને જોતા સિવિલમાં કિડની હોસ્પિટલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા જૂની બિલ્ડિંગમાં કોરોનાની સારવાર બંધ કરવામાં આવી હતી. કિડની હોસ્પિટલમાં અત્યારે 10 થી 12 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

કોરોનાના કેસ વધવા લાગ્યા હતા, ત્યારે ત્રણ બિલ્ડીંગોમાં સારવાર શરૂ કરવામાં આવી હતી. પહેલા સ્ટેમસેલ, પછી જૂની બિલ્ડિંગ અને પછી કિડની હોસ્પિટલમાં કોરોના દર્દીઓ સારવાર શરૂ કરી હતી. હાલ સિવિલમાં કોરોનાના કુલ ત્રણસો દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જેમાંથી 14 વેન્ટિલેટર પર અને 65 બાઇપેપ પર તેમજ 81 દર્દીઓ ઓક્સિજન પર છે.

તો બીજી તરફ વેકસીનેશનની (Vaccination) પ્રક્રિયા પણ પુરજોશમાં ચાલી રહી છે. સોમવારે સુરતમાં 20,006 લોકોને વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. રવિવારે 9,957 લોકોને વેકસીન આપવામાં આવી હતી. સોમવારે સૌથી વધારે 18+ લોકોને 18,030 લોકોને વેક્સિન આપવામાં આવી, જ્યારે 2000 ડોઝ સાથે 45+ લોકો, હેલ્થ કેર, ફ્રન્ટલાઇન વર્કર્સને વેક્સિન આપવામાં આવી હતી.

સેન્ટ્રલ ઝોનમાં 2210, વરાછામાં 2746, સરથાણામાં 2519, રાંદેરમાં 3063, કતારગામમાં 2829, લિંબાયતમાં 1975, ઉધનામાં 2399 અને અઠવામાં 2265 વેકસિન આપવામાં આવી હતી.

Latest News Updates

જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
g clip-path="url(#clip0_868_265)">