Surat : ડોનેશન પેટે ચેક આપવા સોશિયલ મીડિયામાં કરેલા મેસેજનો વિવાદ : ભાજપને બદનામ કરવા ફેક મેસેજ કરનારા દિનેશ રાઠોડની ધરપકડ
ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ આ માટે ક્રાઈમ બ્રાન્ચ અને સલાબતપુરા પોલીસમાં ફરિયાદ અરજી આપી હતી. જેના આધારે સલાબતપુરા પોલીસે દિનેશ રાઠોડની ધરપકડ કરી હતી. આ મેસેજ બાદ ઘણો વિવાદ પણ ઉઠ્યો હતો.
Surat : ભાજપને (BJP) બદનામ કરવાના ઇરાદાથી પાર્ટી ફંડના નામે સુરત ટેક્ષ્ટાઇલ માર્કેટના વેપારીઓને એક લાખ રૂપિયાનો ચેક લખવા દુકાન દીઠ એક લાખ રૂપિયા ભાજપને આપવા વોટ્સએપ ગ્રુપમાં (WhatsApp group)મેસેજ કર્યો હતો .
પાર્ટી ફંડ પેટે ચેકથી ડોનેશન (Donation)આપવા માર્કેટ કમિટી તરફથી પણ ભાજપ માટેનો ખોટો મેસેજ વાઇરલ કરનારા માર્કેટ કમિટીના સભ્ય દિનેશ રાઠોડને કોઇ આદેશ કે હુકમ નહીં થયો હોવા છતાં તેઓએ અવળચંડાઇ કરી હતી . ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ આ માટે ક્રાઈમ બ્રાન્ચ અને સલાબતપુરા પોલીસમાં ફરિયાદ અરજી આપી હતી. જેના આધારે સલાબતપુરા પોલીસે દિનેશ રાઠોડની ધરપકડ કરી હતી. આ મેસેજ બાદ ઘણો વિવાદ પણ ઉઠ્યો હતો.
આ બાબતે યોગ્ય તપાસ કરી કસુરવાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા શુક્રવારે શહેર ભાજપ પ્રમુખ નીરંજન ઝાંઝમેરાએ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ અરજી આપી હતી. અરજીમાં ભાજપ તરફથી કોઇપણ પ્રકારની સુચના નહીં હોવા છતાં મનસ્વી રીતે સદતંર ખોટો મેસેજ કરી લોકોમાં ભાજપ પ્રત્યે અણગમો ઉપસ્થિત કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે.
ભાજપની વિચારધારામાં માનનારા વર્ગમાં ખોટો મેસેજ ફેલાવવા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. તેમને ઉમેર્યું હતું કે ભાજપે માર્કેટના વેપારીઓ પાસેથી કોઇ પણ પ્રકારનું ડોનેશન કે પાર્ટી ફંડ ઉઘરાવવાની જાહેરાત કરી નથી. તેમ છતાં સુરત ટેક્ષ્ટાઇલ માર્કેટ કો.ઓ. શોપ્સ એન્ડ વેરહાઉસ સોસાયટી લિ.ના સભ્ય દિનેશ મીઠાલાલ રાઠોડે માર્કેટના વેપારીઓને ગુમરાહ કરવા ખોટો મેસેજ વાઇરલ કર્યો છે.
ભાજપની છબી ખરડવા માટે અને પક્ષની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવા માટે દિનેશ મીઠાલાલ રાઠોડે પોતાના મોબાઇલ નંબર ઉપરથી ફેંક મેસેજ કર્યા હોવાનું ખાનગી રાહે કરેલી તપાસમાં જણાયું છે.ભાજપની આબરૂનું ધોવાણ કરવા અને પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવા માટે ખોટો મેસેજ સોશિયલ મિડીયામાં વાઇ૨લ કરનારા દિનેશ રાઠોડ સામે કાયદેસરની કાર્યવાહી કરવા શહેર પ્રમુખ ઝાંઝમેરાએ ક્રાઇમ બ્રાંચ અને સલાબતપુરા પોલીસને ફરિયાદ કરી છે.
શહેર ભાજપ પ્રમુખની ફરિયાદને પગલે ક્રાઇમ બ્રાંચની ટીમે દિનેશ રાઠોડ સામે તપાસ હાથ ધરી કાયદાકીય પગલાં ભરવા ચક્રો ગતિમાન કર્યા છે . સલાબતપુરા પોલીસે પણ આ મામલે ગુનો દાખલ કરી શુક્રવારે મોડી સાંજે દિનેશ રાઠોડની ધરપકડ કરી હતી.
આ પણ વાંચોઃ
Mehsana: લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 1200થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ, આરોગ્ય પ્રધાને મોડી રાત્રે હોસ્પિટલ દોડી જઇ સ્થિતિ જાણી
આ પણ વાંચોઃ