Surat : ચિંતા : છેલ્લા 7 દિવસમાં અઠવા અને રાંદેર ઝોનમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો, 20 દિવસમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા પાંચ ગણી વધી

છેલ્લા એક અઠવાડિયામાં અઠવા અને રાંદેર ઝોનમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

Surat : ચિંતા : છેલ્લા 7 દિવસમાં અઠવા અને રાંદેર ઝોનમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો, 20 દિવસમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા પાંચ ગણી વધી
Surat: Concern: The number of micro contentment zones in Surat has increased five times in 20 days
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 9:31 AM

પર્યુષણ અને ત્યારબાદ ગણેશોત્સવ દરમ્યાન કોરોના ની(Corona ) ગાઇડલાઇનનો અમલ કર્યા વિના લોકોની એકત્રિત થયેલી ભીડને કારણે હવે કોરોનાના કેસોમાં તબક્કાવાર વધારો(increase ) થઇ રહ્યો છે.

ખાસ કરીને છેલ્લા એક અઠવાડિયામાં અઠવા અને રાંદેર ઝોનમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. અને સંક્ર્મણ ન વધે તે માટે મહાનગરપાલિકા દ્વારા જ્યાં બે કેસ હોય તો તે સોસાયટીઓને પણ વિંગ કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવી રહી છે.

શહેરમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા 12 હતી તે વધારીને આજે 58 થઇ ગઈ છે. છેલ્લા એક અઠવાડિયામાં શહેરમાં કોરોનાના કેસોની સંખ્યામાં વધારાનો ટ્રેન્ડ નજરે ચડી રહ્યો છે. અને ખાસ કરીને અઠવા અને રાંદેર ઝોનમાં કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા 20 દિવસથી તબક્કાવાર શહેરમાં કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે અને તે માઈક્રો કન્ટેન્ટમેન્ટ એરિયાના આંકડા પરથી સ્પષ્ટ થાય છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

4 સપ્ટેમ્બરે આ કન્ટેન્ટમેન્ટ એરિયાની સંખ્યા 12 હતી તે આજે વધીને 58 થઇ ગઈ છે, જે ચિંતા ઉભી કરે છે. આ 58 માઈક્રો કન્ટેન્ટમેન્ટ એરિયા પૈકી 34 પોકેટ અઠવા અને રાંદેર ઝોનના છે. અઠવા  અને રાંદેર ઝોનના છેલ્લા એક અઠવાડિયામાં નોંધાયેલ નવા કેસો પૈકી મોટાભાગના કેસો સામે આવ્યા છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે જૈન સંવત્સરી અને ગણેશોત્સવ બાદ કોરોનાના કેસોમાં વધારો થયો છે. તે જ રીતે ગણેશ ઉત્સવમાં પણ લોકોની ભારે ભીડ એકત્ર થઇ હતી. છેલ્લા એક અઠવાડિયામાં અઠવાલાન્સ ખાતે આવેલા મેઘ મયુર એપાર્ટમેન્ટમાં કોવિડ ના 8 કેસો મળી આવ્યા છે. પરિણામે ગઈકાલે મહાનરપાલિકા દ્વારા એપાર્ટમેન્ટને માઈક્રો કનરેન્ટ્મેનર પોકેટ જાહેર કરીને સીલ કર્યું છે. બે પરિવારોમાં બબ્બે કેસો અને એપાર્ટમેન્ટના વોચમેન સહીત અન્ય ત્રણ રહીશો પોઝિટિવ આવતા મનપા દ્વારા સંક્ર્મણ અટકાવવાના ભાગરૂપે એપાર્ટમેન્ટને સીલ કરવામાં આવ્યું છે.

આમ, હવે મહાનગરપાલિકા દ્વારા સતર્કતાના ભાગરૂપે લોકોને પણ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી રહી છે. છૂટછાટોમાં વધારો થતા લોકો પણ નચિંત બની રહ્યા છે. અને ગાઈડલાઇનનું પાલન નથી કરી રહ્યા. જોકે તેના કારણે કોરોનાના કેસો વધી શકે છે.

આ પણ વાંચો :

Success Story Surat : સુરતના કાર્તિકે UPSC ની પરીક્ષામાં ગુજરાતનો ડંકો વગાડ્યો

આ પણ વાંચો :

Surat : અમદાવાદની જેમ હવે સુરતમાં પણ હોટેલ રેસ્ટોરન્ટમાં વેક્સિનેશન સર્ટી ફરજીયાત થઇ શકે છે !

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">