Surat : પુસ્તકપ્રેમીઓ માટે સુરતના અડાજણ વિસ્તારમાં શરૂ થઇ “પુસ્તક પરબ”, સેવાભાવી યુવાનો

સુરતનાં લોકો જેમ ખાણી પીણી માટે પ્રખ્યાત છે તેમજ વાંચનપ્રિય પણ છે .અને એટલા માટે જ સુરતની વાંચન પ્રિય જનતા માટે “પુસ્તક પરબ” ટૂંક સમયમાં જ એક જાણીતું અને લોકપ્રિય  નામ બની ગયું છે.

Surat : પુસ્તકપ્રેમીઓ માટે સુરતના અડાજણ વિસ્તારમાં શરૂ થઇ પુસ્તક પરબ, સેવાભાવી યુવાનો
Surat: "Book Festival" begins in Adajan area of Surat for book lovers
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2021 | 3:41 PM

એવું કહેવાય છે કે પુસ્તક(Book ) એક સારા મિત્રની ગરજ સારે છે કારણ કે પુસ્તકોમાંથી આપણે અઢળક જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા જ્યોતીન્દ્ર દવે ઉદ્યાન ખાતે વાચકોની વાંચનની ભૂખ સંતોષવા માટે દર મહિનાનાં પહેલા રવિવારે પુસ્તક પરબ ખુલ્લી મુકવામાં આવે છે જેનો નિશુલ્ક લાભ ઉદ્યાનમાં મોર્નિંગ વોક કે ફરવા માટે આવતા લોકો લઇ રહ્યા છે.

સુરતનાં લોકો જેમ ખાણી પીણી માટે પ્રખ્યાત છે તેમજ વાંચનપ્રિય પણ છે અને એટલા માટે જ સુરતની વાંચન પ્રિય જનતા માટે “પુસ્તક પરબ” ટૂંક સમયમાં જ એક જાણીતું અને લોકપ્રિય  નામ બની ગયું છે. સુરતના અડાજણ વિસ્તારના જ્યોતીન્દ્ર દવે ઉદ્યાન ખાતે દર મહિનાના પહેલા રવિવારે સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા દરમિયાન જાહેર જનતા માટે પુસ્તક પરબ ખુલ્લું મુકવામાં આવે છે.

ત્યારે સવારે ગાર્ડનમાં આવતા મુલાકાતીઓ અને સ્થાનિકો પોતાના મનગમતાં પુસ્તકો વાંચન માટે ઘરે લઇ જાય છે અને બીજા મહીને પ્રથમ રવિવારે તે પુસ્તકો પરત કરી જાય કે પછી બદલાવી જાય છે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ કાર્ય તદ્દન નિશુલ્ક રીતે કરવામાં આવે છે, આ ભગીરથ કાર્યમાં કેટલાક સેવાભાવી યુવાનો સેવા આપી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

આ પુસ્તક પરબનો લાભ લેવા કેટલાક ગૃહસ્થો અને સિનિયર સીટીઝનો તો નિયમિત આવતા જ હોય છે ત્યારે હવે ગાર્ડનમાં આવતો યુવા વર્ગ પણ પુસ્તકો પ્રત્યે આકર્ષાયો હોય તેમ દેખાઈ રહ્યું છે. આ અંગે પુસ્તક પરબ ના સભ્ય આશિષ ચૌધરીએ જણાવ્યું છે  કે” કોઈ પાસે વાંચી લીધેલા પુસ્તકો ઘરે પડ્યા હોય અને ફરી તેનો ઉપયોગ કરવાના ન હોય તો તે પુસ્તકો લોકો અમને ભેટ સ્વરૂપે આપી શકે છે. જેથી એ પુસ્તકોનો સુરતની જનતા મહત્તમ લાભ લઇ શકે.

આજના આધુનિક યુગમાં જયારે લોકો મોબાઈલની અને ઇન્ટરનેટની માયાજાળમાં રચ્યા પચ્યા રહે છે ત્યારે આ પુસ્તક પરબ એક એવું માધ્યમ બન્યું છે જે લોકોને ફરીથી પુસ્તકો તરફ દોરી શકે છે. આ પુસ્તક પરબમાં નવલકથા, વાર્તા, કવિતા, આધ્યાત્મિક, પ્રકૃતિ વિષયક તથા સામાજિક પુસ્તકો એમ તમામ પ્રકારના પુસ્તકો આપને વિના મુલ્યે વાંચવા મળશે. અહીંથી આપ પોતાને ગમતા 2 પુસ્તકો વિના મુલ્યે માત્ર નોંધણી કરાવીને વાંચવા લઇ જઈ શકે છે અને ફરીથી જયારે પણ પુસ્તક પરબની મુલાકાત લો ત્યારે પરત કરી શકે છે.

આ પણ વાંચો : સુરતમાં ફરી દુષ્કર્મની ઘટના : વરાછામાં બરોડા પ્રિસ્ટેજ પાસે 12 વર્ષની બાળકી સાથે આચરવામાં આવ્યું દુષ્કર્મ

આ પણ વાંચો : Surat: જ્યારે રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોષે પૂછ્યું કે “છઠ પૂજા મેં ઘર જાયે કે બા નુ?

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">