Surat: શિયાળો જામતા જ સુરતીઓ ઈમ્યુનિટી વધારવા સાલમપાક તરફ વળ્યા

શિયાળા દરમિયાન ઠંડીથી બચવા અને શરીરમાં ગરમાટો રહે તે માટે લોકો શિયાળુ પાક ખાતા હોય છે. શિયાળુ પાકનું મહત્વ એટલે પણ છે કે તેમાં પડતા 32 જાતના ગરમ મસાલાનું આયુર્વેદિક દ્રષ્ટિ એ ખુબ જ મહત્વ છે.

Surat: શિયાળો જામતા જ સુરતીઓ ઈમ્યુનિટી વધારવા સાલમપાક તરફ વળ્યા
Salampak
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2021 | 11:34 PM

શિયાળાની (Winter) શરૂઆત થઈ ચૂકી છે. તેમાં પણ બે દિવસ પડેલી ઠંડીના કારણે લોકો શિયાળુ પાક તરફ વળ્યા છે. શિયાળામાં ખવાતા વસાણા પણ બજારમાં આવી ગયા છે. ખાસ કરીને ગૃહિણીઓ (Housewife)એ ઘરે જ વસાણા બનાવવાની શરૂઆત કરી દીધી છે તો બીજી તરફ બહારના દેશોમાં વસતા ગુજરાતીઓમાં પણ શિયાળા દરમિયાન સાલમપાકની ખુબ જ ડિમાન્ડ રહેતી હોવાથી તે મોકલવાની પણ શરૂઆત થઈ ચૂકી છે.

શિયાળા દરમિયાન ઠંડીથી બચવા અને શરીરમાં ગરમાટો રહે તે માટે લોકો શિયાળુ પાક ખાતા હોય છે. શિયાળુ પાકનું મહત્વ એટલે પણ છે કે તેમાં પડતા 32 જાતના ગરમ મસાલાનું આયુર્વેદિક દ્રષ્ટિએ ખુબ જ મહત્વ છે. આ શિયાળુ પાકમાં સાલમ પાક, કોપરા પાક,ખજૂર પાક, મેથીપાક, અડળીયું પાક, કચરિયાનો સમાવેશ થાય છે. આ તમામ વસ્તુઓમાં અલગ અલગ મસાલા અને ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ થાય છે, જે આરોગ્ય માટે ખુબ જ સારા હોય છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ગૃહિણીઓ જાતે જ ઘરે વસાણા બનાવવાનું પસંદ કરે છે અને બે દિવસ પડેલી ઠંડીના કારણે ગૃહિણીઓ સાલમપાક સહિતના વસાણા બનાવી પણ દીધા છે. આ અંગે ગૃહિણી ધર્મિષ્ઠાબેન ગાંધી એ કહ્યું કે “બજારમાં વિવિધ જાતના વસાણા મળતા જ હોય છે. પરંતુ ઘરમાં બનાવેલ વસાણાની વાત જ અલગ હોય છે.

ઘરમાં ક્યારેક આ પ્રકારની વસ્તુઓ બનતી હોય છે, ત્યારે આપણને ખબર હોય છે કે તેમાં કેટલી અને કઈ વસ્તુ નાખવી જ્યારે બહારથી રેડીમેડ વસાણા મળે જ છે. પરંતુ તેઓ કઈ રીતે બનાવે છે તે આપણને ખબર હોતી નથી. એટલે ઘરે બનાવવા એ જ સારું હોય છે. સાથે જ બધા જ પરિવારને ચાલી રહે એ પ્રમાણે બનાવવાના હોય છે.

મીઠાઈ વિક્રેતાએ કહ્યું કે”સાલમ પાકની ડિમાન્ડ ભારતની બહાર ખૂબ જ રહે છે. શિયાળા દરમિયાન બહારના દેશમાં વસતા એન.આર.આઈ લોકો સાલમપાક મગાવે છે ખાસ કરીને યુરોપમાં વસતા ભારતીયો સાલમ પાક ખાવાનું વધુ પસંદ કરે છે. તેમને ઉમેર્યું હતું કે હાલ ફરી એકવાર ઠંડીની મોસમ શરૂ થઈ ગઈ છે તો બીજી તરફ વાયરસના સંક્રમણથી બચવા માટે લોકો ઈમ્યુનિટી વધારવા માટે પ્રયત્નો કરતા હોય છે, ત્યારે આ શિયાળુ પાક ખુબ ફાયદાકારક સાબિત થાય છે.

આ પણ વાંચો : Surat : ઓમિક્રોનનો ડર અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ કેન્સલ થતા ટુર્સ ટ્રાવેલ્સ કંપનીઓને નુકશાન

આ પણ વાંચો : Surat : માવઠાને કારણે દક્ષિણ ગુજરાતના ડાંગર પકવતા ખેડૂતોને 30 ટકા સુધીનું નુકશાન

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">