Surat : રખડતા ઢોર મામલે હાઇકોર્ટના આકરા વલણ બાદ કોર્પોરેશન એક્શનમાં, એક જ દિવસમાં 17 તબેલા હટાવ્યા

અત્યારસુધી શહેરીજનોની અસંખ્ય ફરિયાદોને(Complaints ) ફક્ત ઘોળીને પી જવામાં આવતી હતી. જોવાનું એ રહેશે, કે આગામી કેટલા દિવસો સુધી કોર્પોરેશનની આ કામગીરી યથાવત રહે છે.

Surat : રખડતા ઢોર મામલે હાઇકોર્ટના આકરા વલણ બાદ કોર્પોરેશન એક્શનમાં, એક જ દિવસમાં 17 તબેલા હટાવ્યા
Surat: After the High Court's strong stand on the issue of stray cattle, in a corporation action, 17 stables were removed in a single day.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2022 | 10:21 AM

સુરત (Surat )સહિત સમગ્ર રાજ્યમાં રખડતાં ઢોર(Stray Cattles ) મુદ્દે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ગુરુવારે સવારે કતારગામ (Katargam) ઝોનમાં આંબા તલાવડી સહિત વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર તબેલાઓ દુર કરવા માટે મનપા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. તબેલાના માલિકો દ્વારા વિરોધની પ્રબળ શક્યતાઓને પગલે મનપા દ્વારા માર્શલો અને એસઆરપીના જવાનોની ટીમો સાથે રાખીને અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 20થી વધુ ગૌવંશોને પાંજરાપોળ મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સુરત મહાનગર પાલિકાના કમિશનર દ્વારા હાલમાં જ રખડતા ઢોર મુદ્દે લાલ આંખ કરવામાં આવી છે. તેઓએ આ સંદર્ભે સ્પષ્ટ શબ્દોમાં શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દુર કરવા અંગે આદેશ ફરમાવવામાં આવ્યા બાદ આજે સવારથી જ શહેરના કતારગામ ઝોનમાં અલગ – અલગ વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર તબેલાઓ વિરૂદ્ધ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન આંબા તલાવાડી અને આસપાસના વિસ્તારોમાં રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે તબેલાઓ દુર કરવાની કામગીરી શરૂ કરવામાં આવતાં એક તબક્કે વાતાવરણ તંગ બની જવા પામ્યું હતું.

ગેરકાયદેસર તબેલાના માલિકો દ્વારા શરૂઆતમાં આ તબેલાઓ દૂર ન કરવા માટે હરસંભવ પ્રયાસ કર્યા હતા. જો કે, માર્શલો અને એસઆરપીના જવાનો સાથે પહોંચેલી મનપાની ટીમ ટસની મસ ન થતાં અંતે 17 જેટલા સ્થળેથી તબેલાઓ દુર કરવામાં આવ્યા હતા. જ્યારે 20 જેટલા ગૌવંશોને પાંજરાપોળ મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ કામગીરી મોડી રાત સુધી ચાલુ રહી હતી.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

આમ હાઇકોર્ટના આકરા વલણ બાદ સુરત મહાનગરપાલિકાની ટિમ એક્શનમાં આવી છે. અને મોડે મોડે પણ હવે રખડતા ઢોર મામલે કડક કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. બાકી અત્યારસુધી શહેરીજનોની અસંખ્ય ફરિયાદોને ફક્ત ઘોળીને પી જવામાં આવતી હતી. જોવાનું એ રહેશે, કે આગામી કેટલા દિવસો સુધી કોર્પોરેશનની આ કામગીરી યથાવત રહે છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">