Surat: ભેસ્તાનમાં સરસ્વતી આવાસમાં સ્લેબ ધરાશાયી, બે વ્યક્તિને ગંભીર ઈજા

ભેસ્તાન વિસ્તારમાં સરસ્વતી આવાસમાં સ્લેબ ધરાશાયી થવાની જાણ થતાં જ મહાનગરપાલિકાનો સ્ટાફ અને અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

Surat: ભેસ્તાનમાં સરસ્વતી આવાસમાં સ્લેબ ધરાશાયી, બે વ્યક્તિને ગંભીર ઈજા
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 04, 2021 | 5:10 PM

સુરત (Surat)ના ભેસ્તાન વિસ્તારમાં આવેલ સરસ્વતી આવાસમાં આજે સવારે અચાનક જ સ્લેબ ધરાશાયી થવાની દુર્ઘટના બની હતી. આ સમયે ઘરમાં હાજર બે વ્યક્તિને માથાના અને શરીરીના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેમને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ભેસ્તાન વિસ્તારમાં સરસ્વતી આવાસમાં સ્લેબ ધરાશાયી થવાની જાણ થતાં જ મહાનગરપાલિકાનો સ્ટાફ અને અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. નોંધનીય છે કે મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા આવાસોમાં સ્લેબ પડવાની આવી ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. ત્યારે આવાસ બનાવતા કોન્ટ્રાક્ટરોની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આવાસો તો તૈયાર કરી દેવામાં આવે છે. પરંતુ આ આવાસોની બનાવટમાં કૌભાંડો પણ થયા હોય તેવા આક્ષેપો પણ અસંખ્યવાર થયા છે. ભેસ્તાન વિસ્તારમાં આવેલ સરસ્વતી આવાસમાં આજે વહેલી સવારે એક પરિવાર ઘરમાં કામ કરી રહ્યો હતો, ત્યારે અચાનક જ સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો હતો. જેના કારણે ઘરમાં બેસેલા બે વ્યક્તિના માથે સ્લેબ પડતા બંનેને ગંભીર ઈજા પણ પહોંચી હતી.

આખો સ્લેબ તૂટી પડવાના કારણે મોટો ધડાકો થયો હતો. જેના કારણે અન્ય રહીશોમાં પણ ગભરાહટનો માહોલ ફેલાઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્યુલન્સને જાણ કરી હતી. ઈજાગ્રસ્તોને તાકીદે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવની જાણને પગલે ઝોનના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર દોડી ગયા હતા. આ દુર્ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના મેળાપીપણામાં આવાસોમાં કૌભાંડ આચરવામાં આવે છે. જેના કારણે આવાસ ઝડપથી જર્જરિત થઈ જાય છે.

નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી ઉપરાછાપરી આવી દુર્ઘટનાઓ બનતી રહે છે. જોકે આવા કેસમાં મનપાના અધિકારીઓ દ્વારા કોન્ટ્રાકટરો સામે કોઈ સઘન કાર્યવાહી કરવામાં આવતી નથી. ભેસ્તાન આવાસમાં આવેલ અન્ય બિલ્ડીંગો પણ આવી જ જર્જરિત અવસ્થામાં જોવા મળી રહી છે. જે પણ સ્થાનિકોના જીવ સામે જોખમ ઉભું કરી શકે તેવી છે.

આ પણ વાંચો : Surat : તાપી જિલ્લાની સખી મંડળની બહેનોની અદ્દભુત કારીગરી, નારિયેળીના રેસામાંથી બનાવી ગણેશજીની મૂર્તિ

આ પણ વાંચો:  Surat: વસ્તીનિયંત્રણ કાયદા વચ્ચે લાગ્યા બેનર, ગુજરાતમાં વસ્તી નિયંત્રણનો કાયદો ક્યારે અમલમાં આવશે?

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">