Surat : પલસાણાના બલેશ્વરમાં ફ્લેશ ફાયરની ઘટનામાં 4 કારીગરો દાઝ્યા, તમામ સારવાર હેઠળ

રવિવારે (Sunday )સવારે એક કામદાર જયારે ચા બનાવવા માટે ગેસ સળગાવવા ગયો ત્યારે ફ્લેશ ફાયરની આ ઘટના બની હતી. અને તે બાદ રૂમમાં સુતેલા બીજા કામદારો પણ ગંભીર રીતે દાઝ્યા હતા. 

Surat : પલસાણાના બલેશ્વરમાં ફ્લેશ ફાયરની ઘટનામાં 4 કારીગરો દાઝ્યા, તમામ સારવાર હેઠળ
Workers burnt in Flesh Fire newar Baleshwar (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2022 | 10:01 AM

સુરતના પલસાણા (Palsana )તાલુકાના બલેશ્વર ખાતે એક જ રૂમમાં રહેતા 4 કામદારો ફ્લેશ ફાયર (Fire ) થતા ગંભીર રીતે દાઝી (Burnt )ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જે તમામને સારવાર માટે ચલથાણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રવિવારના રોજ આ ઘટના બની હતી. જેમાં વહેલી સવારે એકાએક ગેસની બોટલમાંથી ગેસ લીકેજ થયું હતું. અને તે બાદ ફ્લેશ ફાયર થતા આ ચારેય કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા.

ગેસ સળગાવવા જતા જ થઇ ફ્લેશ ફાયરની ઘટના :

વધુમાં મળતી માહિતી પ્રમાણે પલસાણા તાલુકાના બલેશ્વર ગામમાં આવેલા બિલાલ નગરમાં છોટુભાઈની એક બિલ્ડિંગના મકાન નંબર 17 માં રહેતા કામદારોના રૂમમાં રવિવારે સવારે એક કામદાર જયારે ચા બનાવવા માટે ગેસ સળગાવવા ગયો ત્યારે ફ્લેશ ફાયરની આ ઘટના બની હતી. અને તે બાદ રૂમમાં સુતેલા બીજા કામદારો પણ ગંભીર રીતે દાઝ્યા હતા.

ચારેય કારીગરો મૂળ મધ્યપ્રદેશના :

ગંભીર રીતે દાઝેલા કારીગરોમાં જોમરાજ વિજય પ્રજાપતિ, સુરેશ રાજકુમાર પ્રજાપતિ, રામસીયા ધરમદાસ , અને પ્રિન્સ મટુધારી નો સમાવેશ થાય છે. આ ચારેય કામદારો મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે. તેઓ પલસાણાની  એક મિલમાં કારીગર તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

બ્લાસ્ટ થયો હોય તેવો અવાજ આવ્યો :

ફ્લેશ ફાયર થતા જ જાને કોઈ મોટો બ્લાસ્ટ થયો હોય તે રીતે અવાજ આવ્યો હતો. આ ઘટના બનતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને દાઝેલા કારીગરોને તાત્કાલિક જ નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. વધુ સારવાર તેઓને ચલથાણની સંજીવની હોસ્પિટલમાં આપવામાં આવી રહી છે. ઘટના અંગે પલસાણા પોલીસે જાણવા જોગ ફરિયાદ લઈને વધુ તપાસ શરૂ કરી છે.

Input Credit Jignesh Mehta (Bardoli )

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">